વજન વધારવા માટે તમે અંજીરને ઘણી બીજી વસ્તુઓ સાથે લઇ શકો છો. જાણો કઈ રીતે અંજીરનું સેવન કરવાથી મહત્તમ લાભ મળશે.
વજન ઘટાડવા માટે તો આપણે ઘણી તરકીબો અપનાવીએ છીએ, પરંતુ વજન વધારવા વિષે ખૂબ જ ઓછા લોકો વિચારે છે. જે લોકો દુબળા પાતળા હોય છે, તેઓ મોટાભાગે વેઇટ ગેઇન કરવાના ઉપાયો શોધતા હોય છે. તેઓ પોતાના ડાયેટમાં એવી ઘણી વસ્તુઓ શામેલ કરી શકે છે જેને ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે. જો તમે પણ વજન વધારવા માંગો છો તો પોતાના ડાયેટમાં અંજીર શામેલ કરી શકો છો. હકીકતે, અંજીર એક એવું ફળ છે જેને કાચું કે સુકું બંને પ્રકારે લઇ શકાય છે. અંજીરમાં પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ તથા વિટામિનના ગુણો ભરપૂર માત્રામાં હાજર હોય છે. આવામાં વજન વધારવા માટે તમે અંજીરને ઘણી બીજી વસ્તુઓ સાથે લઇ શકો છો.
અંજીર તથા કિશમિશ બંનેમાં હેલ્ધી ફેટ હાજર હોય છે. વજન વધારવા માટે તમે 10 કિશમિશ તથા 5 અંજીર રાત્રે પાણીમાં પલાળીને સવારે લઇ શકો છો. આનું સેવન કરવાથી તમારું વજન વધવા લાગશે તથા તમને દુબળા પાતળા હોવાની ફરિયાદ નહિ રહે.
દૂધમાં કેલ્શિયમ અધિક માત્રમાં હાજર હોય છે. અંજીર તથા દૂધ સાથે લેવાથી શરીર સ્વસ્થ રહે છે. વજન વધારવામાં પણ તમે અંજીર તથા દૂધનું સેવન કરી શકો છો. આ બોડી વેઇટને વધારવામાં મદદ કરે છે તથા શીયાળામાં રરીરને ગરમ રાખે છે.
ઓટ્સને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. જોકે, ઓટ્સ ખાવાથી વજન ઓછું થાય છે, પરંતુ જો તમે વજન ઝડપથી વધારવા માંગો છો તો ઓટ્સમાં દૂધ તથા અંજીરના નાના નાના ટુકડાઓ લેવાથી વજન વધારવામાં મદદ મળશે.
જો તમને મીઠું ખાવું પસંદ છે તો તમે પોતાના ડાયેટમાં અંજીરના હલવાને પણ શામેલ કરી શકો છો. અંજીરનો હલવો સ્વાદ તથા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી વજન વધારવામાં મદદ મળે છે. સાથે જ આ શીયાળામાં શરીરને સ્વસ્થ રાખે છે.
અંજીર તથા ખજૂર હરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખજૂરમાં ઘણા પોષક તત્વો હોય છે. જો તમે પોતાનું વજન વધારવા માંગો છો તો ખજૂર મિલ્કશેક અથવા અંજીર તથા ખજૂરનો હલવો બનાવીને લઇ શકો છો.