આજકાલના સ્ટ્રેસને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તો જાણો શું શું ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે.
આજકાલના તણાવને કારણે સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર
ડ્રાયફ્રુટ તણાવ ઘટાડવામાં ઉપયોગી
બેરી પણ છે ફાયદાકારક
તણાવને કારણે સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર
આજકાલના યુવાઓની લાઇફસ્ટાઇલ થોડી અલગ છે, જે આપણા દાદા-દાદી કે ઘરના વડીલોને ફાવતી નથી. તેઓ હંમેશા ટોકતાં રહે છે કે આટલું મોડે સુધી સૂવું પછીને ઊઠીને સીધું ખાવું, આ જીવવાની રીત નથી. આ વાક્ય સૌને સાંભળવા મળતું હશે અને જ્યારે તમારી તબિયત ખરાબ હોય છે, તો તેમણે લાગે છે કે ખરાબ લાઇફસ્ટાઇલને કારણે જ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. પરંતુ આ સો ટકા સત્ય નથી. વ્યક્તિનું શરીર ઘણા અંગોથી બન્યું છે અને તેમને કંટ્રોલ કરવાનું કામ મગજના ન્યૂરોનસ અને હાર્મોન્સ કરે છે. હાર્મોન્સ મગજને સંકેત આપે છે જેમાં તામી ખુશી, દુઃખ અને ભૂખને પણ ફીલ કરો છો. આ બધુ હાર્મોન્સ કરાવે છે. તો આવો જાણીએ હાર્મોન્સને કંટ્રોલમાં રાખવા માટે રોજ ડાયેટમાં શું સામેલ કરવું જોઈએ.
બટેટા
બટેટા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન અને ખનીજની ભરપૂર માત્રા હોય છે, જે તમારી સ્કીન અને મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને રોજ ખાવાથી તણાવ પણ દૂર થાય છે.
ડ્રાયફ્રુટ
રોજ તણાવ પૂર્ણ જીવન જીવવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધે છે. કાજૂ, પિસ્તા અને બદામ જેવા સૂકા મેવા સ્વસ્થ ફેટી એસિડનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે તમારા ડેઇલી ડાયેટમાં સામેલ કરવાથી અઢળક ફાયદા મળે છે, કેમકે તેમાં વિટામિન ઇ અને બીની માત્રા પણ ભરપૂર હોય છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ છે. આ ખાવાથી મૂળ સ્વિંગની સમસ્યા પણ કંટ્રોલમાં રહે છે.
બેરી
મોટેભાગે મગજ શાર્પ કરવા માટે અખરોટ, કિશમિશ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે બેરી ખાવાથી તમારા મગજની કામ કરવાની ક્ષમતા બમણી ઝડપથી વધે છે કેમકે તેમાં રહેલા ફ્લેવનોઈડ્સ તમારા મગજમાં લોહીનું પરિવહન ઝડપી બનાવે છે, જેથી તમારી બુદ્ધિનો વિકાસ થાય છે અને તણાવ ઘટાડવા માટે તે રામબાણ સાબિત થાય છે.