આજે એટલે કે 19 એપ્રિલનાં રોજ સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાયો કરવામાં અવે છે, જેથી હંમેશા ઘરમાં સુખ સમુદ્ધિ બની રહે છે.
આજે છે સંકષ્ટી ચતુર્થી
સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે મહિલાઓ રાખે છે વ્રત
જાણો શુભ મુહૂર્ત અને કરવામાં આવતા ઉપાયો
આજે છે સંકષ્ટી ચતુર્થી
હિંદુ પંચાંગ અનુસાર, દર મહિનાની બંને પક્ષોની ચતુર્થી તિથિનાં દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે. એક વર્ષમાં 4 ચતુર્થી એવી આવે છે, જેને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. અનર બધી મહિલાઓ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે આ દિવસે વ્રત રાખે છે.
સંકષ્ટી ચતુર્થી પર મહિલાઓ આખો દિવસ કંઈ ખાતી પીતી નથી અને સાંજે પહેલા શ્રી ગણેશ અને પછી ચંદ્રને જોઇને પોતાનું વ્રત પૂર્ણ કરે છે. જ્યોતિષો અનુસાર, ચતુર્થી તિથિ 19 એપ્રિલ, મંગળવારની સાંજે લગભગ 4:38 પર શરુ થશે, જેનું સમાપન 20 એપ્રિલ બપોરે 1:52 મિનિટ પર થશે. આ દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી તમારી કિસ્મતનાં દરવાજા ખુલી શકે છે.
શુભ મુહૂર્ત
સવારે 11:55 થી 12:૪૬ સુધી - અભિજિત મુહૂર્ત
બપોરે 2:06 થી 2:57 સુધી - વિજય મુહૂર્ત
સાંજે 4:07 થી 5:35 સુધી - અમૃત કાળ
ચંદ્રોદયનો સમય - રાત્રે 9:50
આ દિવસે કરવામાં આવતા ઉપાયો
સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશનો અભિષેક દૂધ અથવા સાફ પાણીથી કરો. અભિષેક કરતા સમયે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરતા રહો. આમ કરવાથી તમારી તકલીફો દૂર થઇ જશે.
ચતુર્થી તિથિ પર કોઈ ગણેશ મંદિરમાં જઈને ત્યાં અન્નક્ષેત્રમાં અનાજનું દાન કરો. આ ગુપ્ત દાન હોવું જોઈએ જેથી કોઈને આ વિષે જાણ ન થાય. આમ કરવાથી તમારી તકલીફો દૂર થશે.
જો કોઈનાં લગ્નમાં સમય લાગી રહ્યો છે કે વારંવાર તકલીફો ઉભી થઇ રહી છે, તો સંકષ્ટી ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશને હળદરથી બનેલી માળા પહેરાવો અને આરતી કરો. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ પણ રાખો. તમારા વિવાહનાં યોજ જલ્દી બની શકે છે.
ધન લાભ માટે સંકષ્ટી ચતુર્થી પર કોઈ કિન્નરને લીલી બંગડીઓ અને સાડી દાનમાં આપો. સાથે જ તેની પાસેથી 1 કે 2 રૂપિયાનો સિક્કો લઇ તેને પોતાની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બન્યા રહેશે.
સંકષ્ટી ચતુર્થી પર કોઈ એવા ગણેશ મંદિરમાં જાઓ, જ્યાં ખૂબ જ ઓછા લોકો જાય છે, તે સ્થાનની સાફ સફાઈ કરો અને શુદ્ધ ઘીનો દીવો કરો. આ દર બુધવારે કરો. આમ કરવાથી તમારી કિસ્મત ચમકી જશે.