આજે 27 ફેબ્રુઆરીના રોજ વિજયા એકાદશી છે. જાણો આ દિવસે શું કરવું તથા શું ન કરવું
આજે છે વિજયા એકાદશી
જાણી લો આ જરૂરી નિયમો
નહીતર થશે નુકસાન
દર મહીને બે એકાદશી આવે છે તથા આ બધી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આમાંથી અમુક એકાદશી અત્યંત ખાસ હોય છે. આમનથી જ એક છે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી. આ વર્ષે એટલે કે આજે 27 ફેબ્રુઆરીના રોજ વિજયા એકાદશી છે. માન્યતા છે કે વિજયા એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે. આ દિવસનું મહત્વ જોતા અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે.
આ નિયમોનું કરો પાલન
એકાદશીને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે નોનવેજ કે શરાબનું ભૂલથી પણ સેવન ન કરો.
વિજયા એકાદશીનાં દિવસે ચોખાનું પણ સેવન ન કરો. કોઈપણ એકાદશીમાં ચોખા વર્જિત છે.
એકાદશી વ્રતનાં દિવસે ભૂલથી પણ જુગાર ન રમો. આવું કરવાથી વ્યક્તિના વંશનો નાશ થાય છે.
એકાદશી વ્રત રાખવાવાળા રાત્રે ન સુવો, પરંતુ આખી રાત જાગીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરો.
એકાદશીના દિવસે ખોટું બોલવું કે ચોરી કરવી 7 પેઢીને પાપ આપે છે. આવું ન કરો.
આ કામ કરવાથી પૂરી થશે બધી મનોકામનાઓ
આ દિવસે ગંગા સ્નાન કરો કે ગંગાજળ મેળવેલા પાણીથી સ્નાન કરો. આવું કરવાથી પુણ્ય મળે છે.
સંભવ હોય તો એકાદશીનાં વ્રતનું પાલન કરો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ સાથે સાથે માં લક્ષ્મીની પણ કૃપા મળે છે તથા જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. આ વ્રત બધી મનોકામનાઓ પૂરી કરે છે.
જો જલ્દી વિવાહ કરાવવા માંગો છો તો એકાદશીનાં દિવસે કેસર, કેળા કે હળદરનું દાન કરો.