30 મેનાં રોજ વટ સાવિત્રી વ્રતનો અવસર છે. જાણો આ દિવસના શુભ મૂહુર્ત તથા પૂજાવિધિ.
30 મેનાં દિવસે રાખવામાં આવશે વટ સાવિત્રી વ્રત
અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે આ વ્રત
પતિનાં લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવન માટે રાખવામાં આવે છે વ્રત
વટ સાવિત્રી વ્રત પતિનાં લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવન માટે રાખવામાં આવે છે. આ વર્ષે 30 મે એટલે કે સોમવારના રોજ વટ સાવિત્રી વ્રત છે. આ દિવસે સોમવતી અમાવસ્યા અને શનિ જયંતી પણ છે. વટ સાવિત્રી વ્રતનાં દિવસે વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્યની કામનાથી ઉપવાસ રાખે છે અને વટ વૃક્ષની પૂજા કરે છે.
વટ સાવિત્રી વ્રતમાં શું કરવું જોઈએ?
1. વટ સાવિત્રી વ્રતની પૂજા માટે સામગ્રીની વ્યવસ્થા પહેલા જ કરી લો નહીંતર વ્રતના દિવસે તકલીફ પડશે.
2. વ્રતનાં દિવસે વિવાહિત મહિલાઓ સ્વયંનાં શ્રુંગારની સામગ્રી ખરીદી લે કેમકે આ વ્રત અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે.
3. વટ સાવિત્રી વ્રતમાં ભીના ચણા ખાઈને જ પારણ કરવામાં આવે છે.પારણનાં સમયે 11 ભીના ચણા ચાવ્યા વિના ખાવાના હોય છે.
4. આ દિવસે વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેમાં 7 વાર કાચો દોરો લપેટવાનો હોય છે. વટ વૃક્ષની ઓછામાં ઓછી 7 વાર અને વધારેમાં વધારે 108 વાર પરિક્રમા કરવામાં આવે છે.
5. વ્રત રાખનાર વ્યક્તિએ પૂજાનાં સમયે વ્રત કથા વાંચવી જોઈએ કે સાંભળવી જોઈએ. કથા સાંભળવાથી વ્રતનાં મહત્વ વિષે જાણકારી મળે છે.
6. પોતાના કપડા અથવા શ્રુંગારની વસ્તુઓમાં લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ.
વટ સાવિત્રી વ્રતમાં શું ન કરવું જોઈએ?
1. આ દિવસે તમારે કાળા, સફેદ કે વાદળી રંગની બંગડીઓ ન પહેરવી જોઈએ. તેને નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે.
2. કાળા, સફેદ કે વાદળી રંગની સાડી પણ ન પહેરવી જોઈએ. આ દિવસે આ રંગની વસ્તુઓનાં ઉપયોગથી પણ બચવું જોઈએ.
3. આ વ્રત સુહાગ માટે જો રાખ્યું છે, તો આ દિવસે સંયમિત વ્યવહાર કરવો જોઈએ. જીવનસાથી સાથે વાદ-વિવાદથી બચવું જોઈએ.
4. આ દિવસે ખોટું ન બોલવું જોઈએ. મનમાં કોઈના પણ પ્રત્યે ઘૃણા, દ્વેષ વગેરે ન રાખવા જોઈએ.