ખરાબ લાઈફસ્ટાઈલ તથા ખાનપાનમાં ગરબડના કારણે આજકાલ લોકોનું પેટ ખરાબ રહેવું સામાન્ય વાત છે. તમારે સવારે ઉઠીને અમુક વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ.
સવારે ઉઠીને બે કલાક બાદ કરો નાસ્તો
ખાલી પેટ ન ખાઓ કાચા શાક
જ્યુસ સાથે ન કરો દિવસની શરૂઆત
ખરાબ લાઈફસ્ટાઈલ તથા ખાનપાનની ગરબડને કારણે આકાલ લોકોનું પેટ ખરાબ રહેવું એક સામાય વાત છે. દર 5 માંથી 1 માણસ પેટમાં ખરાબીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે.
સવારે ઉઠીને બે કલાક બાદ કરો નાસ્તો
મેડિકલ એક્સપર્ટસનું કહેવું છે કે સવારે ઉઠ્યાના ઓછામાં ઓછા 2 કલાક બાદ જ નાસ્તો કરવો જોઈએ. આનું કારણ એ છે કે શરીરનું પાચન તંત્ર ઘણા કલાકો સુધી સુયા બાદ કામ કરવાનું શરુ કરે છે તથા તેને સક્રિય થવા માટે થોડા સમયની જરૂર પડે છે. ખાલી પેટ નાસ્તામાં એવી વસ્તુઓને ભૂલીને પણ ન લેવી જોઈએ, જે પેટ તથા શરીરને નુકસાન પહોંચાડે છે. એવી કઈ વસ્તુઓ છે, એ અમે તમને જણાવીશું.
ખાલી પેટ ન લો કાચા શાક
કાચા શાક તથા સલાડ ફાઈબરથી ભરપૂર હોય છે. તેને ખાલી પેટ લેવાથી શરીર પર અતિરિક્ત ભાર પડી શકે છે. ખાલી પેટ આ વસ્તુઓ લેવાથી પેટ ફુલાય છે તથા પેટમાં દુખાવાનું કારણ પણ બને છે, એટલા માટે સવારે ખાલી પેટ કાચા શાક લેવાથી બચવું જોઈએ.
જ્યુસ સાથે ન કરો દિવસની શરૂઆત
એક્સપર્ટસ અનુસાર, દિવસની શરૂઆત ફળો તથા જ્યુસ સાથે ક્યારેય ન કરવી જોઈએ. આનું કારણ એ છે કે જ્યુસ અગ્નાશય પર અતિરિક્ત ભાર મૂકી શકે છે, જે શરીર માટે સારું નથી.પેટ ખાલી હોવાથી ફળોમાં ફ્રકટોઝના રૂપમાં હાજર ખાંડ લિવર પર અધિક દબાવ નાંખી શકે છે, એટલા માટે સવારે ખાલી પેટ જ્યુસ પીવાથી બચવું.
પેટમાં એસિડિટી કરી શકે છે કોફી
એક કપ કોફી સાથે દિવસની શરૂઆત કરવી એક સામાન્ય બાબત છે. ખાલી પેટ કોફી પીવાથી એસિડીટી થઇ શકે છે. ખાલી પેટ તેના સેવનથી પાચન તંત્રમાં હાઈડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ ઉત્તેજિત થાય છે, જે લોકોના પેટમાં સમસ્યાનું કારણ બને છે, એટલા માટે ખાલી પેટ કોફીના સેવનથી બચવું જોઈએ.
ખાલી પેટ દહીં ખાવાથી બચવું
દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેને સવારે ખાલી પેટ ક્યારેય ન લેવું જોઈએ. આનું કારણ એ છે કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે પેટની અમ્લતાના સ્તરને બગાડી શકે છે. આમાં હાજર લેક્ટિક એસીડ, પેટ માટે સારા બેક્ટેરિયાને મારી શકે છે, જેથી પેટમાં દુખાવો તથા એસિડીટીની સમસ્યા વધી શકે છે.
સવારે ખાટા ફળો લેવા હાનિકારક
ખાટા ફળો વિટામિન સીના ખૂબ જ સારા સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય આ ફળોને સવારે ખાલી પેટ ન લેવા જોઈએ. અસલમાં, ખાટા ફળો લેવાથી પેટમાં એસિડ ઝડપથી બનવા લાગે છે. આ ફળોમાં ફ્રક્ટોઝ તથા ફાઈબર પણ વધારે માત્રામાં હાજર હોય છે, જેથી સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી પાચન તંત્ર ધીમું પડી જાય છે.
નાસ્તામાં ન લો મસાલેદાર ખોરાક
મસાલેદાર ખોરાક લેવો ભારતીયોની સામાન્ય આદત છે. પરંતુ કોશિશ કરો કે સવારે ખાલી પેટ તીખા મરચાથી બનેલ ભોજન ન લો. અસલમાં, મસાલાની પ્રકૃતિ તીખી હોય છે, જે પેટના પાચન તંત્રને ખરાબ કરી શકે છે. ઘણા લોકો સવારના સમયે નાસ્તામાં સમોસા, પકોડા, કચોરી ખાવાનું પસંદ કરે છે. જેથી બચવું જોઈએ. આમ કરવાથી પેટમાં ગરબડની આશંકા વધી જાય છે.