ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મોને ખૂબ માનવામાં આવે છે અને ખૂબ જ ઉંડાણથી તેને સમજવામાં પણ આવે છે. ધર્મ જ ભારતનો ગર્વ છે તો બીજી તરફ આ જ ધર્મ અને જાતિને લઇને લોકો એકબીજાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ધર્મ અને જાતિના નામે ભારતમાં ઘણી ઘટનાઓ બની છે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા મોઢામાંથી પણ વાહ નીકળી જશે. અમદાવાદના રાજવીર ઉપાધ્યાય નામના વ્યક્તિએ સમાનતા અને ધર્મનિરપેક્ષતાની એક મિસાલ ઉભી કરી છે.
ધર્મનિરપેક્ષતા અને સમાનતા
દેશભરમાં ઉદાહરણ બન્યા રાજવીર
દીકરીના સર્ટીફિકેટમાં નથી કોઇ ધર્મ કે જાતિ
રાજવીરે તેમની દીકરીને એક એવુ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ અપાવ્યુ છે જે એકદમ અલગ અને અનોખુ છે. આ પ્રમાણપત્રમાં ના તો તેની જાતિ લખવામાં આવી છે ના કોઇ ધર્મ, આ પ્રકારનું આ પહેલુ પ્રમાણપત્ર છે.
આ સિવાય રાજવીરે સ્કૂલ પ્રશાસનની સાથે સાથે અમદાવાદ જીલ્લા અધિકારી તેમજ મુખ્યમંત્રીને પણ આવેદન કર્યુ છે કે આ પ્રકારની વ્યવસ્થા બધે જ થાય. કારણકે ધર્મ અને જાતિના કારણે ભેદભાવ વધે છે અને આપણે બાળકોને સમાનતા શીખવાડવી જોઇએ. બાળકોના ઘડતરમાં સમાનતા અને ધર્મનિરપેક્ષતા ખૂબ જ જરૂરી છે. સ્કૂલ પ્રશાસને તેમની ભાવનાને સમજી અને આ પ્રકારનું સર્ટીફિકેટ બનાવી આપવા માટે તૈયાર થઇ ગયા.
રાજવીર હાલ એક યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી વિષયમાં માસ્ટર કરી રહ્યાં છે અને આજીવિકા માટે તે રિક્ષા ચલાવે છે. તેમના આટલા ઉંચા વિચાર જોઇને દરેક વ્યક્તિએ કંઇક શીખવું જોઇએ. માત્ર પુસ્તકમાંથી મેળવેલુ જ્ઞાન નહી પરંતુ ઘડતર માટે આ પ્રકારનું જ્ઞાન પણ જરૂરી છે.
રાજવીર જેવા લોકો ખૂબ ઓછા હોય છે જે ધર્મ, જાતિ વગેરેનો મોહ ત્યાગી શકે અને તેમના બાળકોને સારુ શિક્ષણ અને સંસ્કાર આપી શકે.