હિન્દુ ધર્મ મુજબ ઘરમાં પૂજા માટે પૂજા ઘર માટે ઘણી માહિતી આપવામાં આવી છે, જેનું પાલન કરીને તમે ઘરમાં સુખ, સમૃદ્ધી અને શાંતિ લાવી શકો છો.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મંદિરમાં રાખો આ વસ્તુ
ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખશો તો થશે અશાંતિ
પૂજાનું સારું ફળ મળશે તો ઘરમાં શાંતિ જળવાઈ રહેશે
પૂજાનું શુભફળ મેળવવા કરો આટલું
આમ તો ઘણા ઘરમાં નાના અને ઘણા ઘરમાં મોટા મંદિર બનાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો ઘરમાં મંદિર બનાવ્યાં બાદ એવી ભૂલો કરે છે, જેનાથી સુખ, શાંતિ આવવાના બદલે ઘરમાં દરિદ્રતા અને અશાંતિ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરમાં બનેલા મંદિરને લઇને અનેક વાત કહેવામાં આવી છે, જેનું પાલન કરવુ જોઈએ. જેનાથી પૂજાનું શુભ ફળ પણ મળશે અને ઘરમાં શાંતિ અને સકારાત્મક માહોલ પણ જળવાઈ રહેશે.
મંદિરમાં શું મુકવુ જોઈએ અને શું નહીં
ઘરના પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખી છે તો આ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ના રાખવી જોઈએ. આવુ કરશો તો તમારા ઘરમાં અશાંતિ આવી શકે છે. તમે ગણેશજીની એક અથવા બે મૂર્તિ રાખી શકો છો.
તમારા ઘરના મંદિરમાં શંખ રાખો છો તો સારી વાત છે, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પૂજા ઘરમાં ફક્ત એક શંખ રાખવો જોઈએ. જો એકથી વધુ શંખ પૂજાઘરમાં છે તો એકને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દો.
ઘરના મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા હોતી નથી. તેથી અહીં મોટી મૂર્તિઓ ના રાખવી જોઈએ.
જો તમે તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માગો છો તો શિવલિંગ અંગૂઠાના આકારથી મોટું ના હોવુ જોઈએ.
મંદિરમાં ભૂલથી પણ ખંડિત મૂર્તિઓ ના રાખવી જોઈએ. કારણકે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાશે. જે ઘર પરિવાર માટે અશુભ માનવામાં આવે છે.
જો તમે આરતી કરી રહ્યાં છો તો દીવામાં પૂરતુ ઘી રાખો જેના કારણે પૂજા દરમ્યાન દીવો બંધ ના થાય. જો અધવચ્ચે દીવો બંધ થાય તો તેનું સંપૂર્ણ ફળ મળતુ નથી.