અભિનેતા રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ જયેશભાઈ જોરદારમાં ગુજરાતીનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે ગુજરાત અને ગુજરાતીઓનાં વખાણ કર્યા. જાણો તેમણે શું કહ્યું
ફિલ્મ રામલીલાને કારણે હું સ્ટાર બન્યો - રણવીર સિંહ
જયેશભાઈ જોરદારમાં પણ ગુજરાતીનું પાત્ર ભજવશે રણવીર સિંહ
જયેશભાઈ જોરદાર 13 મે 2022નાં રોજ થશે રિલીઝ
સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા-રામલીલા'માં રામનું પાત્ર ભજવ્યા બાદ ફરી બિગ સ્ક્રીન પર એક ગુજરાતીનું પાત્ર નિભાવી રહેલા રણવીર સિંહ ગુજરાતીઓ પાસેથી પહેલા જેટલો જ પ્રેમ મળવાની આશા રાખે છે. તેમની અપકમીગ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં તેઓ એક ગુજરાતી છોકરાનાં પાત્રમાં જોવા મળશે. રણવીરે કહ્યું કે હું રામલીલા બાદ ફરી એકવાર એક ગુજરાતીનું પાત્ર ભજવવા જઈ રહ્યો છું. આ એક એવી ફિલ્મ હતી જેને કારણે હું સ્ટાર બની ગયો હતો. રામલીલાએ મને લોકોથી, ખાસ કરીને વિશ્વભરનાં ગુજરાતીઓથી અવિશ્વસનીય પ્રેમ અપાવ્યો હતો. તે ફિલ્મ કર્યા બાદ હું જ્યારે પણ હું ગુજરાતીઓને મળું છું, તો તેઓ હંમેશા એ વાત કરે છે કે તેમને રામલીલામાં મારું પરફોર્મન્સ કેટલું પસંદ પડ્યું હતું.
ગુજરાતને લઈને પોતાના પ્રેમ વિષે રણવીર કહે છે કે મને ગુજરાત વિષે બધું જ પસંદ છે - ત્યાની સંસ્કૃતિ, ઉત્સાહ, જીવંતતા અને સૌથી મહત્વપૂર્ણ છે ત્યાના લોકો. એટલા માટે જ મેં 'જયેશભાઈ જોરદાર' માટે હા પાડી હતી.
તેઓ આગળ કહે છે કે મને આશા છે કે દર્શકો પણ આ ફિલ્મને પસંદ કરશે. મેં આ ફિલ્મને મારું સર્વસ્વ આપ્યું છે અને મને ખ્યાલ છે કે અમારી પાસે દર્શકો સામે પેશ કરવા માટે એક ખૂબ જ ખાસ ફિલ્મ છે.
મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે પણ છે, જે રણવીર સાથે બોલિવુડની બિગ ક્સ્રિન પર ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું ડાયરેકશન નવોદિત દિવ્યાંગ ઠક્કરે કર્યું છે. આ ફિલ્મ વર્લ્ડ વાઈડ 13 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં થવા જઈ રહી છે.