RRRનાં કલાકાર રામ ચરણે પોતાની નવી ફિલ્મ વિષે વાત કરતા કહ્યું કે પહેલા બોલિવુડની ચર્ચા થતી હતી પણ હવે સાઉથની ફિલ્મો દેશભરમાં છવાઈ ગઈ છે.
એસએસ રાજામૌલીની RRRમાં રામ ચરણે મચાવી હતી ધમાલ
પહેલા બોલિવુડ સ્ટાર્સ વિષે વાત થતી હતી, હવે અમે છવાઈ ગયા છીએ - રામ ચરણ
હવે ફિલ્મ આચાર્યમાં જોવા મળશે રામ ચરણ
એસએસ રાજામૌલીની RRRમાં રામ ચરણે મચાવી હતી ધમાલ
એસએસ રાજામૌલીની RRRમાં ધમાલ મચાવ્યા બાદ હવે રામ ચરણની ફિલ્મ 'આચાર્ય' સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે, જે 29 એપ્રિલનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેઓ પોતાના પિતા ચિરંજીવી સાથે જોવા મળશે અને ઓપોઝિટમાં પૂજા હેગડે પણ હશે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ ખુશી પણ જતાવી હતી કે હાલના વર્ષોમાં સાઉથની ફિલ્મો દેશભરમાં લોકપ્રિયતા મેળવી રહી છે.
પહેલા થતી હતી બોલિવુડની ચર્ચા, હવે સાઉથની ફિલ્મો છવાઈ ગઈ છે
રામ ચરણે દક્ષિણ ભારતીય ફિલ્મોને દેશભરમાં લોકપ્રિયતા મળવા પર ખુશી જતાવતાં કહ્યું કે દેશમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોની લોકપ્રિયતા જોવી અદ્ભુત છે. મારા પિતા કહેતા હતા કે ત્યારે લોકો બોલિવુડમાં માત્ર સુપર સ્ટાર વિષે વાત કરતા હતા. હવે અમારી ફિલ્મો, જેવી કે KGF 2, RRR અને અન્ય ફિલ્મોનાં સ્ટાર આખા દેશમાં છવાઈ ગયા છે. મને આનો હિસ્સો બનવા પર ગર્વ છે.
આચાર્યમાં રામ ચરણનાં પાત્ર વિષે વાત કરતા તેઓ કહે છે કે સિદ્ધ એક એવો માણસ છે જે અહિંસાનું પાલન કરવા માટે બાધ્ય છે, પરંતુ દુશ્મન સોનું સુદ સાથે જંગ લડવા માટે તેણે એક અલગ રસ્તો અપનાવવો પડે છે. આચાર્ય કોરાતાલા શિવા દાવાર નિર્દેશિત ફિલ્મ છે અને રામ ચરણે નિરંજન રેડ્ડી સાથે 140 કરોડનાં બજેટમાં આ ફિલ્મ બનાવી છે.