સૂર્ય 15 માર્ચ 2022નાં રોજ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જાણો આ દરમિયાન અશુભ ફળ ન મળે એટલા માટે ક્યા કાર્યો ન કરવા જોઈએ
સૂર્યનું થવા જઈ રહ્યું છે રાશિ પરિવર્તન
આ કાર્યો કરવાથી મળશે અત્યંત અશુભ ફળ
જાણો શું કરવા જોઈએ ઉપાયો
સૂર્યનું થવા જઈ રહ્યું છે રાશિ પરિવર્તન
સૂર્ય 15 માર્ચ 2022ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યને નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યનું ગોચર 15 માર્ચ 2022નાં રોજ બપોરે 12 કલાક 31 મિનિટ પર થશે. ત્યાર બાદ સૂર્ય 14 એપ્રિલ, 2022નાં રોજ સવારે 8 કલાક 56 મિનિટ પાર પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરશે. સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, એટલા માટે તેને મીન સંક્રાંતિનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું ઘણું મહત્વ હોય છે અને સૂર્યદેવની પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તન દરમિયાન, અમુક કાર્યો ન કરવા જોઈએ. આવો જાણીએ આ ક્યા કાર્યો છે.
વિવાહ
આ દરમિયાન, વિવાહ ન કરવા જોઈએ. આવું માનવામાં આવે છે કે જો તમે આ સમયકાળ દરમિયાન વિવાહ કરો છો, તો ન તમને ભાવનાત્મક સુખ મળશે કે ન તો શારીરિક સુખ.
મકાન સંબંધિત કાર્યો
આ સમયે નવા મકાનનું નિર્માણ પણ ન કરવું જોઈએ. આ દરમિયાન, તમે પૈસાની લેવડ-દેવડ અને રજીસ્ટ્રી કરી શકો છો, પરંતુ આ સમય દરમિયાન,, નવું ઘર કે ઈમારતમાં જઈને રહેવું કે તેનું નિર્માણ કરવું અશુભ માનવામાં આવે છે. સાથે આ સમયકાળ દરમિયાન, તમે પૂજન પણ ન કરાવી શકો. આવું કરવાથી ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મકાનમાં તમને નિવાસ સુખ ક્યારેય પ્રાપ્ત થશે નહી.
નવા વ્યવસાયની શરૂઆત
આ સમય દરમિયાન, નવા વ્યવસાય અને નવા કામ શરુ ન કરવા જોઈએ. આવું કરવાથી તમને નુકસાન થઇ શકે છે. દેણું વધી શકે છે અને આ ઉપરાંત, અન્ય શુભ કાર્યો પણ આ સમય દરમિયાન ન કરવા જોઈએ.
સૂર્યનાં રાશિ પરિવર્તનનો પ્રભાવ
મેષ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધનુ, કુંભ અને મીન રાશિના જાતકોએ સૂર્યનાં આ રાશિ પરિવર્તન દરમિયાન, તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આવામાં જો તમે નકારાત્મક પ્રભાવોથી બચવા માંગો છો, તો આ ઉપાયો કરી શકો છો.
આ જાતકોને આ સમય દરમિયાન, ગુસ્સો આવી શકે છે, જેને કારણે તમારા કામ બગડી શકે છે, તો આવામાં આ રાશિનાં લોકોએ ખુદ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
ઉપાય
આ દરમિયાન, આ રાશિનાં જાતકો સવારે ભગવાન સૂર્યને હળદરવાળું પાણી ચઢાવો. આ ઉપરાંત, રોજ સવારે અને સાંજે સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ. તમે રવિવારે વ્રત પણ રાખી શકો છો. આવું કરવાથી સૂર્યનાં રાશિ પરિવર્તનની ખરાબ અસર તમારા પર નહી પડે.