ઘરમાં મની પ્લાન્ટ હોવા છતાં પણ જો પૈસાની અછત રહે છે, તો જાણી લો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ઘરમાં રાખવાની સાચી રીત
મની પ્લાન્ટ ઘરમાં હોય તો આર્થિક અછત ક્યારેય થતી નથી
સાચી દિશામાં મની પ્લાન્ટને મુકવો જોઈએ
ઘરની અંદર મની પ્લાન્ટ રાખવાથી ખૂબ ફાયદો થાય છે
મની પ્લાન્ટ ઘરમાં હોય તો આર્થિક અછત ક્યારેય થતી નથી
ઘણા લોકોને વૃક્ષો સાથે ઘણી લાગણી હોય છે. એટલા માટે તેઓ ઘરમાં પણ છોડ કે વૃક્ષો વાવે છે. અમુક છોડ ઘરમાં વાવવા અત્યંત શુભ માનવામાં આવે છે. આમાંથી જ એક છે મની પ્લાન્ટ. જેવું તેનું નામ છે, તેવું જ તેનું કામ પણ છે. એવું માનવામાં આવે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી પૈસાની અછત ક્યારેય થતી નથી, પરંતુ અમુક લોકોના ઘરમાં મની પ્લાન્ટ હોવા છતાં પણ પૈસાની અછત બની રહે છે. આ પાછળ અમુક કારણો જવાબદાર છે. આ કારણો વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલા છે. આવો જાણીએ આ કારણો વિષે.
સાચી દિશામાં મની પ્લાન્ટને મુકવો જોઈએ
જો મની પ્લાન્ટથી શુભ ફળ મેળવવા છે, તો તેના માટે જરૂરી છે કે તમે તેને સાચી દિશામાં રાખો. ઘણી વાર આપણે મની પ્લાન્ટને સમજ્યા વિચાર્યા વગર કોઈપણ દિશામાં રાખી દઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટ લગાવવાની સાચી દિશા દક્ષિણ - પૂર્વ છે. આ દિશાને અગ્નેય કોણ પણ કહેવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘણો ફાયદો થાય છે.
જમીનને ન અડવા જોઈએ પત્તા
મની પ્લાન્ટને લગાવતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે તેના પત્તાઓ ક્યારેય જમીનને ન અડે. આ માટે તમે મની પ્લાન્ટની વેલને કોઈ દોરડાની ઉપરની તરફ લગાવી શકો છો. આવું માનવામાં આવે છે કે જો મની પ્લાન્ટનાં પત્તા જમીનને અડે છે, તો ઘરમાં નેગેટીવ એનર્જી આવે છે.
ઘરની અંદર મની પ્લાન્ટ રાખવાથી ખૂબ ફાયદો થાય છે
મની પ્લાન્ટને ઘરની બહાર રાખવાને બદલે ઘરમાં જ રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે. ઘરની અંદર મની પ્લાન્ટને એવી જગ્યાએ મુકવો જોઈએ જ્યાં સીધી કોઈની નજર ન પડે. જો તેને બહાર મુકવામાં આવે છે, તો પોઝીટીવ અસર ખતમ થઇ જાય છે અને આ સારું ફળ આપવાને બદલે નુકસાન કરવા લાગે છે.
સૂકાયેલ મની પ્લાન્ટ ઘરમાં ન રાખો
ક્યારેય પણ ઘરમાં સૂકાયેલ મની પ્લાન્ટ રાખવાની ભૂલ ન કરતા. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. મની પ્લાન્ટ તમને પૂરો ફાયદો આપે એટલા માટે સુનિશ્ચિત કરો કે આ પ્લાન્ટની વેલ હંમેશા ઉપરની તરફ રહે. વેલને નીચે તરફ રાખવી અશુભ માનવામાં આવે છે.
પોતાના ઘરમાં લાગેલા મની પ્લાન્ટને ક્યારેય પણ બીજાને ગિફ્ટ ન કરો. કેમકે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી બીજાને ત્યાં જતી રહેશે, જેથી તમને શુભ ફળ નહીં મળે.