હોલીવુડનાં એક્ટર બ્રૂસ વિલિસ જે બીમારીના શિકાર બન્યા છે, જાણો તે Aphasia શું છે અને શું છે તેના લક્ષણો
હોલીવુડનાં એક્ટર બ્રૂસ વિલીસે છોડી એક્ટિંગ કરિયર
ઇન્સ્ટાગ્રામ દ્વારા મળી રિટાયરમેંટ અને બીમારીની જાણકારી
ભારતમાં પણ છે Aphasiaનાં દર્દીઓ
હોલીવુડ ફિલ્મોના શોખિન લોકો એક્ટર બ્રૂસ વિલિસને તો ઓળખતા જ હશે. પરંતુ ક્યારેય કોઈએ નહોતું વિચાર્યું કે આ દમદાર એક્ટર બીમારીને કારણે એક્ટિંગની દુનિયા છોડી દેશે. હોલીવુડમાં 40 વર્ષ કાઢ્યા બાદ બ્રૂસ વિલિસ હવે નિવૃત્તિ લઇ રહ્યા છે, જેનું કારણ છે તેમની બીમારી આ બિમારીનું નામ Aphasia છે.
ઇન્સ્ટાગ્રામ દ્વારા મળી રિટાયરમેંટની જાણકારી
એક્ટરનાં પરિવારે ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેર કરી છે કે બ્રૂસ વિલિસ Aphasiaનાં શિકાર થયા છે અને એક્ટિંગની દુનિયાને અલવિદા કહી રહ્યા છે. બ્રૂસ વિલિસની ઉંમર 67 વર્ષ છે.
શું છે Aphasia?
બ્રૂસ વિલિસ Aphasia નામની બીમારીથી પીડિત છે. આ એક પ્રકારે બ્રેન સાથે જોડાયેલ બીમારી છે. આ બીમારી હેઠળ વ્તાક્તિને બોલવા, લખવા અને વાંચવામાં તકલીફ પડે છે. તે લખેલા શબ્દોને સમજી શકતો નથી. આ બીમારીના દર્દીઓને બીજા સાથે કમ્યૂનીકેટ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે. બ્રૂસ વિલિસને આ બીમારીને કારણે બોલવા, લખવા અને સમજવામાં તકલીફ પડી રહી છે.
Aphasia શા માટે થાય છે?
આ બિમારીનાં થવાનું સૌથી મોટું કારણ છે બ્રેન સ્ટ્રોક છે. બ્રેન સ્ટ્રોકને કારણે મગજની કોઈ નસમાં બ્લડ કલોટ જામવી કે પછી કોઈ નસમાં બ્લીડીંગને કારણે તેનું ફાટી જવું Aphasiaનું કારણ બની શકે છે. આ ઉપરાંત, અચાનક એક્સિડન્ટથી માથામાં ઈજા થવાથી પણ Aphasia થઇ શકે છે.
આ લોકોને જલ્દી થાય છે આ બિમારી
Aphasia આમતો કોઇપણ ઉંમરમાં થઇ શકે છે. જોકે ઉંમર વધવાની સાથે સાથે આ બીમારીનો ખતરો પણ વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરનાં દર્દીઓ, હાર્ટનાં દર્દીઓ અને ખૂબ જ સ્મોકિંગ કારવાવાળા લોકોમાં આ બિમારીનો વધારે ખતરો રહે છે કેમકે આ ત્રણેય સ્થિતિમાં બ્રેન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
ભારતમાં પણ છે આ બીમારીનાં દર્દીઓ
સ્ટ્રોકનાં શિકાર 20 થી 30 ટકા દર્દીઓને Aphasia થઇ શકે છે. Indian Academy of Neurologyનાં 2 વર્ષ જુના ડેટા અનુસાર, ભારતમાં 20 લાખ લોકો આ બીમારી સાથે લડી રહ્યા છે. બીજી મગજની બીમારીઓની જેમ આ બીમારીનો ઈલાજ પણ વૈજ્ઞાનિકો માટે એક પડકાર છે.
દર્દીઓ સાથે આ પ્રકારે કરવી જોઈએ વાત
આવા દર્દીઓ સાથે સરળ ભાષામાં, નાના નાના વાક્યોમાં જ વાત કરવી જોઈએ.
ધીરે બોલવું જોઈએ.
આસપાસ ઓછો અવાજ ઓછો કરવો જોઈએ.
સ્પીચ થેરાપીથી પણ રાહત મળી શકે છે.
આવા દર્દીઓ સાથે કાયમી સંવાદ કરવાથી સારા પરિણામો મળી શકે છે.