યાચિકાકર્તાએ માંગ કરી કે સરકારે મંદિરોમાં પ્રવેશ કરવા માટે એક ડ્રેસ કોડ નિર્ધારિત કરવાનો આદેશ આપવો જોઈએ. કોર્ટે આ મામલામાં ટિપ્પણી કરતા કહ્યું કે દેશ સર્વોપ્પરી છે કે ધર્મ?
શું છે મામલો?
યાચિકાકર્તાને કોર્ટની ચેતવણી
કોર્ટ: અનુષ્ઠાનનો કયો હિસ્સો કહે છે કે ધોતી પહેરો કે પેંટ?
કર્નાટકમાં હિજાબ વિવાદ વચ્ચે તામિલનાડુમાં ધોતી વિવાદને લઈને મામલો ગરમ છે. અમુક લોકોએ ડ્રેસ કોડ સંબંધિત વિવાદો ઉઠાવ્યા છે તથા આ આખા ભારતમાં ફેલાઈ રહ્યું છે. આ વચ્ચે મંદિરોમાં ગેર હિંદુઓના પ્રવેશ પર પાબંધી લાવવાના સંબંધે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે ગુરુવારે સુનાવણી કરી. યાચિકાકર્તાએ માંગ કરી કે સરકારે મંદિરોમાં પ્રવેશ કરવા માટે એક ડ્રેસ કોડ નિર્ધારિત કરવાનો આદેશ આપવો જોઈએ. કોર્ટે આ મામલામાં ટિપ્પણી કરતા કહ્યું કે દેશ સર્વોપ્પરી છે કે ધર્મ?
ગુરુવારે મદ્રાસ હાઈ કોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એમએન ભાદારી તથા ન્યાયમૂર્તિ ડી ભરત ચક્રવર્તીની પીઠે કહ્યું કે આ વાસ્તવમાં ચોંકાવનાર છે, કોઈ 'હિજાબ' માટે કોર્ટ જઈ રહ્યું છે, કોઈ 'ટોપી' માટે તથા કોઈ બીજું કોઈ અન્ય વસ્તુ માટે કોર્ટ જઈ રહ્યા છે. શું આ એક દેશ છે કે ધર્મથી વિભાજિત કઈ બીજું? આ ઘણું આશ્ચર્યજનક છે.
ધર્મ નિરપેક્ષ ભારતને રેખાંકિત કરતાં કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ભંડારીએ કહ્યું કે વર્તમાન મામલાઓથી જે સામે આવી રહ્યું છે તે ધર્મના નામ પર દેશને વિભાજિત કરવાના પ્રયાસો સિવાય બીજું કઈ જ નથી. સર્વોપ્પરી શું છે? દેશ કે ધર્મ?
પીઠે તિરૂચિરાપલ્લી જીલ્લામાં શ્રીરંગમ નરસિમ્હન દ્વારા દાયર જનહિત યાચિકા પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી. નરસિમ્હન ઇચ્છતા હતા કે અદાલત મંદિરોમાં ગેર હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકે તથા તામિલનાડુ સરકાર હિંદુ ધાર્મિક તથા ધર્માર્થ બંદોબસ્તી વિભાગને મંદિરોમાં પ્રવેશ કરવાવાળા ભક્તો માટે એક ડ્રેસ કોડ સુનિશ્ચિત કરવાનો આદેશ આપે.
કોર્ટ: અનુષ્ઠાનનો કયો હિસ્સો કહે છે કે ધોતી પહેરો કે પેંટ?
યાચિકાકર્તાએ ગેર હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાવાળા ડિસ્પ્લે બોર્ડોને મંદિરોના પ્રવેશ દ્વાર પર પ્રમુખતાથી મુકવા માટે કહ્યું. પીઠે યાચિકાકર્તાને સવાલ કર્યો કે જ્યારે કોઈ વિશેષ ડ્રેસ નથી, તો ડિસ્પ્લે બોર્ડ મુકવાનો સવાલ કઈ રીતે ઉઠી શકે? પરંતુ યાચિકાકર્તા પોતાની વાત પર અડગ રહ્યા. પીઠે અંતે તેમને પોતાની પ્રાર્થના માટે સબૂત પેશ કરવાની સલાહ આપી. અદાલતે પૂછ્યું કે 'અનુષ્ઠાનનો કયો હિસ્સો પેંટ, ધોતી તથા શર્ટનો ઉલ્લેખ કરે છે?'
યાચિકાકર્તાને કોર્ટની ચેતવણી
ન્યાયાધીશોએ યાચિકાકર્તાને અનુચિત વ્યવહાર માટે ચેતવણી પણ આપી. કહ્યું કે તેમને અદાલતમાં વ્યક્તિગત રૂપથી પેશ થવા પર રોકવામાં આવી શકે છે તથા તેમને ઉચિત શબ્દોનો ઉપયોગ કરવા તથા ઝઘડો કરવાથી રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો.
શું છે મામલો?
યાચિકાકર્તા નરસિમ્હન પર ગયા ડિસેમ્બરે નર્તક ઝાકીર હુસેને શ્રીરંગમના પ્રસિદ્ધ રંગનાથ સ્વામી મંદિરથી તેમને બહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ચેન્નાઈમાં સ્થિત નર્તકની પોલીસ ફરિયાદમાં કહેવાયું છે કે જોકે તેમણે ઘણીવાર મંદિરમાં પ્રવેશ કર્યો છે. નરસિમ્હને તેમને મુસ્લિમ હોવાને કારણે મંદિરમાં પ્રવેશ કરવાથી રોક્યા હતા.