ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSનું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે કારણ એ કે હવે બસો જ કોર્પોરેશનની માલિકીની નથી બચી
રાજ્યભરમાં અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ત્રણ દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ તેમજ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે. 4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 5 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગરમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે 6 મેના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.
7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાનારી છે. પરીક્ષાના તમામ આયોજન સાથે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ સાથે વીટીવીએ ખાસ વાતચીત કરી છે. તેમણે વ્યવસ્થા અંગે કહ્યું કે, દરેક જિલ્લાએ વ્યવસ્થા સરસ રીતે ગોઠવી છે ત્રણ જિલ્લાઓને બાદ કરતા દરેક જિલ્લામાં પરીક્ષા છે.પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ગયા શનિવારે જિલ્લા પરીક્ષા સમિતી જેમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી છે. પરીક્ષા માટે સ્ટાફની નિમૂણક થઈ ગઈ છે તેમજ તાલીમ પણ અપાઈ ગઈ છે. તેમજ મુખ્ય સચિવે પણ સમીક્ષા બેઠક કરી લીધી છે, તંત્ર તૈયાર છે. તેમણે કહ્યું પોલીસ અને રાજ્યના ઈન્ટેલિજન્ટની આ પરીક્ષામાં ગેરરીતિ મામલે તેમજ અસમાજિક તત્વો સામે ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે તેવી અમે સુચના આપી છે તેમજ ઉમેદવારોનો સામાન પરીક્ષા ખંડ નજીક નહી પરંતુ સ્કૂલ કેમ્પસમાં દરવાજાની નજીક રાખવા આયોજન કરવાનું પણ કહ્યું છે અને જેનો પોલીસ ધ્યાન રાખશે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગત 10 દિવસમાં રાજ્યમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, ત્યારે આજે ફરી રાજકોટમાંથી હાર્ટ એટેકની 2 ઘટના સામે આવી છે. રાજકોટના લાયન્સ ક્લબના પૂર્વ પ્રમખ સચિન મણિયાર અને અમિત ચૌહાણ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટનામાં બંન્ને લોકોના મૃત્યુ થયા છે. સચિન મણિયારને પોતાના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે અમિત ચૌહાણ નામના યુવકને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ મ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બંન્ને લોકોનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, 10 દિવસની અંદર રાજકોટમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, જ્યારે સુરતમાં 1 યુવકને હાર્ટ એટેક આવ્યો છે. આ ચારેય ઘટનામાં 4 લોકોનું મૃત્યુ થયું છે.
અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSનું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે કારણ એ કે હવે બસો જ કોર્પોરેશનની માલિકીની નથી બચી. એએમટીએસની કુલ હાલ શહેરમાં 800 બસો દોડે છે, આ 800 બસોનું સંચાલન હવે ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદના રસ્તાઓ પર દોડતી AMTS બસનું સંપૂર્ણ ખાનગીકરણ કરાયું છે. શહેરમાં દોડતી કુલ 800 બસોમાંથી એક પણ બસ મનપાની માલિકીની નથી. ખાનગી ઓપરેટરોને આ તમામ બસો સોંપી દેવામાં આવી છે. જેના કારણે વાર્ષિક કરોડો રૂપિયાનું નુકસાન કોર્પોરેશનને થઈ રહ્યું છે અને ખાનગી બસ ઓપરેટરોને કમાણી થઈ રહી છે. ફક્ત એટલું જ નહીં નવા બજેટની બસોનું પણ સંચાલન ખાનગી ઓપરેટરો જ કરશે. હાલ આ 800 બસોને 6 એજન્સીઓ ઓપરેટ કરે છે. જેમાં શ્રી મારુતિ ટ્રાવેલ્સ(દાદા), આદિનાથ બલ્ક પ્રાઇવેટ લિમિટેડ, શ્રી મારુતિ ટ્રાવેલ્સ, ટાંક સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ, અર્હમ ટ્રાન્સપોર્ટ, મહેશ્વરી બસ ઓપરેટર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ હાલ શહેરમાં 800 બસોનું સંચાલન કરી રહી છે.
ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનારા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિતના તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સીટના સ્પેશ્યલ જજ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ 1728 પાનાનો ઐતિહાસિક ચૂકાદો જાહેર કર્યો હતો. ત્યારે આ ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે અવલોકન કર્યું છે. સ્પેશ્યલ જજે ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું છે કે, નરોડા પાટિયા અને નરોડા ગામ હત્યાકાંડ એક જ સમયે થયો હતો. તો બંન્ને જગ્યાએ આરોપીઓ કઈ રીતે હાજર હોય. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, ફરિયાદી પક્ષ કાવતરું સાબિત કરી શક્યો નથી. 11 લોકોને જીવતા સળગાવ્યા હોવાના પુરાવા મળ્યા નથી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોરબંદર SPરવી મોહન સૈની અને કીર્તિમંદિર પોલીસ મથકના PIને રૂ.5,000નો દંડ ફાટકારાયો છે.કોર્ટ ઓફ કંટેમ્પ્ટ બદલ કોર્ટ દ્વારા દંડ ફાટકારાયો છે. અરજદાર પ્રકાશ સોલંકીની ફરિયાદ ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. અરજદાર અને તેની બહેનને કીર્તિમંદિર પોલીસ મથકમાં માર મારવા અને બીભત્સ ગાળો ભાંડવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં ક્રિમીનલ એપ્લિકેશ પર વર્ષ 2022માં કાર્યવાહી કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. છતા હાઈકોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા કોર્ટે આકરું વલણ આપનાવી દંડ ફટકર્યો છે.
રાજકોટના બાલાજી મંદિરના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સ્થાનિકોના હોબાળા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા બાલાજી મંદિર ટ્રસ્ટના કોઠારીને ગેરકાયદેસર બાંધકામને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામને રોકવાનો આદેશ અપાયો છે. સરકારી જમીન હોવાથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવતા કલેક્ટર પ્રભવ જોષીએ ગેરકાયદે બાંધકામ મુદ્દે કાર્યવાહી તેજ કરી છે. જિલ્લા કલેક્ટરને 4 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ વચ્ચે હવે કોઠારી સ્વામી વિવેક સાગરનું નિવેદન સામે આવ્યું છે.રાજકોટના બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામ વિવાદ મામલે કોઠારી સ્વામી વિવેક સાગરે જણાવ્યું કે, બાંધકામ મામલે કોઈ વિવાદ નથી. અમુક લોકોએ મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. સરકારે અમને મંદિરનું બાંધકામ કરવા માટે મૌખિક મંજૂરી આપી હતી. અમે સરકારમાં તમામ જવાબો લેખિતમાં રજૂ કર્યા છે. જ્યાં સુધી લેખિત મંજૂરી ન મળે ત્યાં સુધી બાંધકામ બંધ રાખશું. જો ગેરકાયદેસર બાંધકામ હશે તો અમે દૂર કરશું. અમે ૩ કરોડના ખર્ચે કરણસિંહજી હાઇસ્કૂલનું સમારકામ કર્યું છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. કર્ણાટકમાં ભાજપને ફરી સત્તામાં લાવવાના અભિયાનમાં લાગેલા PM મોદીએ ફરી એકવાર વિપક્ષ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. અહીં મુડબિદ્રીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર દેશ વિરોધી શક્તિઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. PM મોદીએ અહીં કહ્યું, કોંગ્રેસ 'દેશદ્રોહી' સાથે ગઠબંધન કરે છે અને ચૂંટણી માટે ભારત વિરોધી શક્તિઓની મદદ લે છે. તેઓ 'દેશદ્રોહી' સામેના કેસ પાછા ખેંચે છે અને તેઓ આતંકવાદી સમર્થકોની ઢાલ બની જાય છે. આ સાથે તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ કર્ણાટકમાં શાંતિની દુશ્મન છે... તે વિકાસની દુશ્મન છે. આ સાથે કહ્યું કે, કોંગ્રેસ આતંકના આકાઓને બચાવે છે. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત બજરંગ બલીને વખાણ કરીને કરી અને કહ્યું કે, કર્ણાટકની જનતા કોંગ્રેસનો ભયાનક ચહેરો જોઈ રહી છે. PM મોદીએ કહ્યું, 'ભારત માતા કી જય... બજરંગ બલી કી જય... શાંતિ અને સૌહાર્દનો સંદેશ ફેલાવનારા તમામ મઠ, તીર્થંકરો અને સંતોને હું આદરપૂર્વક નમન કરું છું. 'સબકા સાથ અને સબકા વિકાસ'નો મંત્ર જે સાથે આજે આપણે આગળ વધી રહ્યા છીએ તેમાં તમામ સંતોની પ્રેરણા છે.
#WATCH | "Congress aatank ke aakao ko bachati hai, tushtikaran ko badhati hai. Tushtikaran ki yahi neeti Congress ki ekamatr pehchan hai," says PM Narendra Modi in Mudbidri, Karnataka pic.twitter.com/FiIc6Ipvs3
ભારતમાં હાલમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતાની ચર્ચા થઈ રહી છે. સમલૈંગિક લગ્નના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ મામલે મોટા સમાચાર એ છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે સમલૈંગિક યુગલોને સામાજિક લાભ આપવા પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવવા માટે તૈયાર છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવશે, જે જો સમલૈંગિક યુગલોના લગ્નને કાયદાકીય રીતે માન્યતા ન મળે તો તેમને શું સામાજિક લાભો આપી શકાય તે અંગે વિચારણા કરવામાં આવશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ SCને માહિતી આપી હતી કે સમલૈંગિક યુગલો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની તપાસ કરવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. એસજી મહેતાનું કહેવું છે કે અરજદારો સૂચનો આપી શકે છે જેથી કમિટી તેના પર ધ્યાન આપી શકે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રે 3 મે સુધીમાં સંભવિત સામાજિક લાભો પર જવાબ આપવા કહ્યું હતું.
મોદી સરનેમ કેસ રાહુલ ગાંધીનો પીછો છોડે તેમ લાગતું નથી. સુરત બાદ હવે ઝારખંડની રાંચી કોર્ટમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ થયો છે જેની ગઈકાલે સુનાવણી ચાલી હતી. એક જનસભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમણે લોકસભાનું સભ્યપદ પણ ગુમાવી દીધું હતું. કોંગ્રેસે દેશભરમાં તેનો વિરોધ કર્યો હતો. આખરે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ કોમેન્ટથી દુખી થઈને રાંચીમાં પણ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Jharkhand | MP/MLA court in Ranchi rejects Congress leader Rahul Gandhi's plea for exemption from personal appearance in 'Modi Surname case'. A defamation case was filed against him by a person named Pradeep Modi in Ranchi.
અમેરિકામાં ભારતીય મૂળના વધુ એક નેતાએ દુનિયામાં પરચમ લહેરાવ્યો છે. વર્લ્ડ બેન્કના 25 સભ્યોવાળા કાર્યકારી બોર્ડે બુધવારે અજય બાંગાની પાંચ વર્ષ તરીકે પ્રેસિડન્ટ તરીકે નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. તેઓ 2 જુનના દિવસે હોદ્દો સંભાળશે. 23 ફેબ્રુઆરી 2023ના દિવસે વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ તરીકે અજય બાંગાની નિયુક્તીની જાહેરાત કરાઈ હતી જેના લગભગ 3 મહિના બાદ આજે બાંગાએ વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળી લીધો છે. 23 ફેબ્રુઆરી 2023ના દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને તેમના નામ પર મંજૂરીની મહોર મારી હતી. વ્હાઈટ હાઉસે આ વાતની જાણકારી આપી હતી.
Indian American businessman Ajay Banga becomes the next World Bank president.
'કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આત્મવિશ્વાસની કોઈ ઉમર હોતી નથી. આ વાત મહારાષ્ટ્રના પુણેની રહેવાસી છ વર્ષીય અરિષ્કાએ સાબિત કરી છે અરિષ્કા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચઢનાર સૌથી યુવા ભારતીય બની છે. સૌથી નાની ઉમરમાં વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બેઝ કેમ્પ દરિયાના સ્તરથી ૧૭૫૯૩ ફીટ ઉપર આવેલો છે. છ વર્ષની આરિષ્કાએ તેનાં માતા સાથે મળીને ૧૫ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચઢવાનું અભિયાન પૂર્ણ કર્યું છે. અરિષ્કાએ કહ્યું, ત્યાં ઘણી ઠંડી હતી, હું ખુશ છું. હું ભવિષ્યમાં એવરેસ્ટ જીતવા માગું છું. સામાન્ય રીતે ૧૨ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો જ બેઝ કેમ્પ પર ચઢે છે.