કેન્સર ત્યારે થાય છે જ્યારે એબનોર્મલ સેલ્સ ઝડપથી ડિવાઇડ થવા લાગે છે અને આ બીજા ટીશ્યૂઝ અને અંગોમાં ફેલાવા લાગે છે. જાણો વિગતવાર
કેન્સર એક જીવલેણ બીમારી છે
અત્યાર સુધી કેન્સરનો કોઈ ઇલાજ મળ્યો નથી
કેન્સરનું મુખ્ય કારણ છે તમારા સેલ્સનું મ્યૂટેશન
કેન્સર ત્યારે થાય છે જ્યારે એબનોર્મલ સેલ્સ ઝડપથી ડિવાઇડ થવા લાગે છે અને આ બીજા ટીશ્યૂઝ અને અંગોમાં ફેલાવા લાગે છે. આ ઝડપથી ફેલાતી કોશિકાઓ ટયૂમરનું કારણ બને છે. તે બોડીના નોર્મલ ફંક્શનમાં પણ રૂકાવટ પેદા કરે છે. કેન્સર દુનિયાભરમાં થતાં મૃત્યુના પ્રમુખ કારણોમાંનું એક છે. WHO અનુસાર, વર્ષ 2020માં 6 માંથી 1 મૃત્યુ માટે કેન્સર જવાબદાર હતું. વિશેષજ્ઞ દરરોજ નવા કેન્સર ઉપચારોનું પરીક્ષણ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે, પણ અત્યાર સુધી તેનો ઇલાજ મળી શક્યો નથી.
શા માટે થાય છે કેન્સર?
કેન્સરનું મુખ્ય કારણ તમારા સેલ્સનું મ્યૂટેશન અથવા ડીએનએમાં બદલાવ છે. તમારા જેનેટિક મ્યૂટેશન તમને હેરિડિટીમાં મળી શકે છે. જન્મ બાદ આ એન્વાયરલમેન્ટલ ફોર્સના કારણે પણ હોય શકે છે. હવે જેનેટિક કારણોથી તો બચવું મુશ્કેલ છે, પણ અમુક બાહરી કારણોથી બચી શકાય છે.
1. કેન્સરના બહારના કારણોને કાર્સિનોજેન્સ રહેવામાં આવે છે, જે આ પ્રકારનાં છે.
2. રેડિએશન અને અલ્ટ્રાવાયલેટ લાઇટ જેવી કે ફિઝિકલ કાર્સિનોજેન્સ
3. સિગારેટનો ધુમાડો, દારુ, એસ્બેસ્ટસની ધૂળ, વાયુ પ્રદુશણ અને દુશિત ભોજન તથા પીવાનાં પાણી જેવાં કેમિકલ કાર્સિનોજેન્સ
4. બાયોલોજિકલ કાર્સિનોજેન્સ જેવા વાયરસ, બેક્ટેરિયા અને પારાસાઇટ્સ
કેન્સર એક જીવલેણ બીમારી
WHO અનુસાર થનારા મૃત્યુઓમાં લગભગ 33 ટકા તમાકુ, દારૂ, હાઇ બોડી ઇંડેક્સ, ઓછા ફળ અને શાકભાજીના સેવન અને પર્યાપ્ત શારીરિક ગતિવિધિ ન કરવાને કારણે થઈ શકે છે.