બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારત સાથે ભેદભાવ કરી રહ્યું છે.
બ્રિટને ટ્રાવેલિંગના નિયમોમાં ફેરફાર કર્યો
બ્રિટને ટ્રાવેલિંગની 3 અલગ અલગ યાદી બનાવી છે
બ્રિટનમાં એસ્ટ્રાજેનેકાને માન્યતા કોવિશીલ્ડને નહીં
બ્રિટને ટ્રાવેલિંગના નિયમોમાં ફેરફાર કર્યો
બ્રિટને પોતાના કોરોના દરમિયાન ટ્રાવેલિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ સાથે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારત સાથે ભેદભાવ કરી રહ્યું છે. બ્રિટન સરકાર પર હવે ભારતથી આવનારા પ્રવાસીઓ માટે નક્કિ નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધારી રહ્યું છે. એવું એટલા માટે કે બ્રિટનના નવા નિયમ મુજબ કોવિશીલ્ડ રસી લેનારાને રસી લીધેલા નથી મનાઈ રહ્યા. જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી મેળવનારને માન્યતા આપવામાં આવી રહી છે.
બ્રિટનમાં હાલ રહેલા ટ્રાવેલ નિયમો શું છે
બ્રિટનને ટ્રાવેલ સંબંધમાં હાલ લાલ, એમ્બર અને લીલા રંગની એમ 3 અલગ અલગ યાદી બનાવી છે. ખતરા અનુસાર અલગ અલગ દેશોને અલગ અલગ યાદીમાં રાખ્યા છે. જો કોઈ દેશ રેડ લિસ્ટમાં છે તો ત્યાંથી આવનારા લોકોને 10 દિવસ હોટેલ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. આ સમાપ્ત થાય તેના 2 દિવસ પહેલા તેનો કોરોના ટેસ્ટ થશે અને જે લોકોએ બે ડોઝ લઈ લીધા છે તેમને પણ આ નિયમો માનવા પડશે. નિયમ ભંગ કરનારને 10 હજાર પાઉન્ડનો દંડ છે. તેમજ જો કોઈ આરટીપીસીઆર ટેસ્ટ વગર બ્રિટન આવે છે તો તેને 5 હજાર પાઉન્ડનો દંડ છે.
ભારત કઈ યાદીમાં
ભારત હાલ એમ્બર લિસ્ટમાં છે. તેનો અર્થ છે કે પ્રવાસના 3 દિવસ પહેલા પ્રવાસીએ કોરોના ટેસ્ટ કરવવો પડશે. એવું ન કરનાર ને 500 પાઉન્ડનો દંડ થશે. બ્રિટન પહોંચતાની સાથે પણ ટેસ્ટ કરાવવો પડશે. રસીના 2 ડોઝ લેનાર પર પણ આ લાગૂ પડે છે. જો તેમણે બ્રિટનમાં માન્યતા પ્રાપ્ત રસી લીધી છે તો તેમને ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. જો રસી નથી લીધી તો તેને 10 દિવસ ક્વોરેન્ટાઈન થવં પડશે અને આ સમય સમાપ્ત થાય તેના 2 દિવસ પહેલા તેનો કોરોના ટેસ્ટ થશે
બ્રિટન 4 ઓક્ટોબરથી આ નિયમોમાં ફેરફાર કરશે
બ્રિટને એલાન કર્યું છે કે 4 ઓક્ટોબરથી હવે ફક્ત તેનું રેડ લિસ્ટ રહેશે એટલ કે તમામ યાદીને ભેળવી દેવામાં આવશે. આ યાદીમાં રહેલા લોકોને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. જે રેડ લિસ્ટમાં નહીં હોય તેઓ માટેના નિયમો રસીકરણ સ્ટેટસ પર નિર્ભર કરશે છે. બ્રિટને જે રસીને માન્યતા આપી છે તેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોનેટેક, મોર્ડના અથવા જોનસન એન્ડ જોનસનની રસી સામેલ છે.