જો તમે નવો કારોબાર શરુ કરવાનું વિચારી રહ્યા છો, તો હસ્તરેખાઓ દ્વારા જાણો તમને કેટલી સફળતા મળશે.
વ્યાપાર વિષે જાણકારી આપે છે હસ્તરેખાઓ
બીઝનેસમાં ફાયદો થશે કે નુકસાન?
જીવન રેખા તથા ભાગ્ય રેખાથી મળે છે વ્યાપારના સંકેત
બીઝનેસવાળાઓને સતત ફાયદા તથા નુકસાનને લઈને આશંકાઓ બની રહે છે. વિશેષ રૂપથી જયારે નવો કારોબાર શરુ કરવાનો હોય છે, ત્યારે તણાવ વધી જાય છે. પરંતુ, હસ્તરેખા શાસ્ત્રમાં આ માટે સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ હસ્તરેખા જ્યોતિષ પાસે ગયા વગર ખુદ હથેળીની રેખાઓ જોઇને પોતાના બીઝનેસનું ભવિષ્ય જાણી શકો છો. આવામાં, જો તમે પણ નવો કારોબાર શરુ કરવાનું વિચારી રહ્યા છો તો હથેળીની આ રેખાઓને જરૂર તપાસી લો.
શનિ તથા શુક્રની રેખાઓ
જો હથેળીમાં શનિ પર્વતની સ્થિતિ બરાબર નથી અથવા શનિ ગ્રહ નબળો છે તો તેને શુભ માનવામાં આવતું નથી. આ સાથે જ શુક્ર પર્વત ખૂબ જ ઉન્નત છે તો આ વ્યાપારમાં ઘાટાનો સંકેત આપે છે. આવામાં વ્યાપારથી બચવું જોઈએ.
હૃદય રેખા તથા મસ્તિષ્ક રેખા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો હથેળીની હૃદય રેખા, મસ્તિષ્ક રેખા પર આવે તો આ વ્યાપાર માટે સારો સંકેત નથી. જો તમારી હથેળીમાં આવું છે તો નવો કારોબાર શરુ કરવાથી બચો. આનો અર્થ છે કે વ્યાપારમાં અધિકમ ઉન્નતી થશે નહિ. હસ્તરેખા જાણકાર હૃદય તથા મસ્તિષ્ક રેખાની આવી સ્થિતિ જોઇને નવો વ્યાપાર શરુ કરવાની ના પાડે છે.
જીવન રેખા તથા ભાગ્ય રેખા
જો હથેળીમાં જીવન રેખા તથા ભાગ્ય રેખા તૂટેલ છે તો આ વ્યાપાર માટે શુભ સંકેત નથી. હસ્તરેખા શાસ્ત્રો અનુસાર, આવી રેખા હોય તો કોઈપણ કારોબાર શરુ કરવાથી બચવું જોઈએ, કેમકે આવી રેખાઓ બીઝનેસમાં તકલીફો ઉભી કરે છે. વ્યાપારમાં અધિક નુકસાન થાય છે.
પાતળી તથા કઠણ હથેળી
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, પાતળી તથા કઠણ હથેળી હોય તો વ્યાપારમાં ઘણા પ્રકારની આર્થિક સમસ્યાઓથીઓ પસાર થવું પડે છે. હસ્તરેખા શાસ્ત્રના જાણકારો અનુસાર, આ શુભ સંકેત નથી. આનો અર્થ એ થયો કે વ્યાપાર પર વિરોધીઓની ખરાબ નજર રહેશે તથા તેઓ સતત નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા રહેશ.
ભારે હથેળી તથા લહેરાતી ભાગ્યરેખા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો હથેળી ભારે હોય તથા ભાગ્ય રેખા લહેરાતી હોય તો આ શુભ સંકેત નથી. આ એ વાતનો સંકેત છે કે વ્યાપારમાં કોઈ પોતાનું જ નુકસાન પહોંચાડશે. સાથે જ બીઝનેસમાં તમામ કોશિશો બાદ પણ સફળતામાં કોઈને કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થશે. આવામાં જો હાથમાં આવી રેખા છે કારોબારથી બચવું.