હોળીનાં તહેવાર સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. જાણો આવી જ એક કથા વિષે
હોળી સાથે જોડાયેલી છે આ કથા
કામદેવ અને શંકરની કથા
જાણો પ્રેમના વિજયની આ વાર્તા
હોળી સાથે જોડાયેલી છે આ કથા
હિંદુ ધર્મમાં હોળી એ પ્રમુખ તહેવારોમાંથી એક છે. દર વર્ષે આ પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીનો તહેવાર હોલિકા દહન સાથે જ શરુ થાય છે, ત્યાર બાદ તેના પછીના દિવસે રંગ-ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. ભરતમાં ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાનાં પછીના દિવસે હોળી મનાવવામાં આવે છે. આ દિવસે હિંદુ ધર્મનાં લોકો એકસાથે મળીને ખુશી મનાવે છે અને એકબીજાને પ્રેમના રંગોમાં ડુબાડીને પોતાની ખુશી જતાવે છે. હિંદુ ધર્મ અનુસાર, હોલિકા દહનને ખરાબ પર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે. સાથે જ ધાર્મિક માન્યતાઓમાં હોલિકા દહન સિવાય હોળીને લઈને ઘણા પ્રકારની વાર્તાઓ પ્રખ્યાત છે. આમાંની એક કથા કામદેવની પણ છે. આવો જાણીએ આ વિષે.
હોળી સાથે જોડાયેલ કામદેવ અને શંકરની કથા
પૌરાણિક કથા અનુસાર, દેવી પાર્વતી શિવજી સાથે વિવાહ કરવા માંગતી હતી, પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ન ગયું. પાર્વતીની આ કોશિશોને જોઇને દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પ બાણ ચલાવ્યું, જેને કારણે શિવજીની તપસ્યા ભંગ થઇ ગઈ. તપસ્યા ભંગ થવાને કારણે તેઓ નિરાશ થઇ ગયા અને તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઇ ગયા.
ત્યાર બાદ શિવજીએ પાર્વતી સામે જોયું. હિમવાનની પુત્રી પાર્વતીની આરાધા સફળ થઇ અને શિવજીએ તેમને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યા. પરંતુ કામદેવનાં ભસ્મ થયા બાદ તેમના પત્ની રતિ વિધવા થઈ ગયા. પછી રતિએ શિવજીની આરાધના કરી. તે જ્યારે પોતાના નિવાસ પહોંચ્યા, તો કહેવાય છે કે રતિએ પોતાની વ્યથા તેમને કહી.
પ્રેમના વિજયની છે આ વાર્તા
ત્યારે પાર્વતીનાં પાછલા જન્મની વાત યાદ કરીને ભગવાન શિવે જાણ્યું કે કામદેવ નિર્દોષ હતા. પાછલા જન્મમાં દક્ષ પ્રસંગમાં તેમને અપમાનિત થવું પડ્યું હતું. તેમના અપમાનથી વિચલિત થઈને દક્ષપુત્રી સતીએ આત્મદાહ કર્યું હતું. તે જ સતીએ પાર્વતીનાં રૂપમાં જન્મ લીધો અને આ જન્મમાં પણ શિવનું જ વરણ કર્યું. કામદેવે તો તેમને સહયોગ જ આપ્યો હતો. શિવજીની દ્રષ્ટિમાં કામદેવ છતાં પણ દોશી હતા, કેમકે તેઓ પ્રેમને શરીરથી સીમિત સમજતા અને તેને વાસના સાથે જોડતા.
ત્યાર બાદ શિવજીએ કામદેવને જીવિત કર્યા અને તેમને નામ આપ્યું મનસિજ. કહ્યું કે હવે તારું કોઈ શરીર નથી. તે દિવસે ફાલ્ગુન પૂર્ણિમાની રાત્રી હતી. અડધી રાત્રે લોકોએ હોળીકા દહન કર્યું હતું. સવાર સુધી તેની આગમાં વાસનાની મલિનતા બળીને પ્રેમના રૂપમાં પ્રગટ થઇ ચુકી હતી. કામદેવ અશરીરી ભાવથી નવા સર્જન માટે પ્રેરણા જગાવતા વિજયનો ઉત્સવ મનાવવા લાગ્યા. આ દિવસ હોળીનો દિવસ કહેવાય છે. ઘણી જગ્યાઓએ આજે પણ રતિનાં વિલાપને લોકગીતો અને સંગીતમાં ઉતારવામાં આવે છે.