ઘરમાં રહેલા વૃક્ષો અને છોડ ઘરને સકારાત્મકતા આપે છે. સાથે જ શુદ્ધ અને તાજગી મનને શાંત રાખે છે. પરંતુ ઘરમાં બધા છોડ વાવવામાં આવતા નથી. જાણો વાસ્તુ અનુસાર કયા છોડને ઘર આંગણે વાવવાનું ટાળવું જોઈએ.
પ્લાન્ટ્સ બની શકે છે ગરીબીનું કારણ
આ પ્લાન્ટ્સને ન લગાવો ઘરના આંગણે
જાણો તેની શું અસર થાય છે
ઘરમાં વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા સાથે જ તેઓ ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવામાં પણ મદદરૂપ થાય છે. વાસ્તુ નિષ્ણાતો માને છે કે ઘરમાં વૃક્ષો અને છોડ જીવનમાં સારા નસીબ અને સૌભાગ્યને આમંત્રણ આપે છે. કેટલાક છોડ પરિવારના સભ્યોની વૃદ્ધિનું કારણ બને છે. ત્યાં જ કેટલાક છોડ ઘરમાં ગરીબી અને દરિદ્રતા લાવી શકે છે.
ઘરમાં આવા છોડ લગાવવાથી બચવું જોઈએ. આવા છોડ ઘર અને જીવનમાં કમનસીબી અને સમસ્યાઓ લાવે છે. ચાલો જાણીએ કે ઘરમાં કયા પ્રકારના છોડ રાખવા જોઈએ.
ઘરમાં ભૂલથી પણ ન લગાવો આ છોડ
આંબલી
આમલીનું ઝાડ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ ભૂલીને પણ આ વૃક્ષને ઘરમાં ન લગાવો. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ પર દુષ્ટ શક્તિઓનો વાસ હોય છે. જેનાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે. સાથે જ એક માન્યતા એવી પણ છે કે આમલીનું ઝાડ લગાવવાથી પારિવારિક સંબંધોમાં ખટાશ આવે છે.
કેક્ટસનો છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાની મનાઈ છે. તેમને ઘરમાં રાખવું ક્યારેય શુભ માનવામાં આવતું નથી. જો કે, ગુલાબનો છોડ વાવી શકાય છે. ત્યાં જ તમારા કાર્યસ્થળ પર કેક્ટસ વાવવાનું ટાળો.
કપાસનો છોડ
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે ઘરમાં કે ઘરની આસપાસ કપાસ કે તાડનો છોડ ભૂલથી પણ ન લગાવશો. તેને લગાવવાથી ઘરમાં નકારાત્મકતાનો વિકાસ થાય છે.
પોટેડ છોડ
મોટાભાગે લોકો ઘરની બાલકનીમાં સજાવવા માટે નાના નાના કુંડામાં છોડ લટકાવે છે. પરંતુ વાસ્તુ અનુસાર છોડ ભલે નાના હોય કે મોટા હોય તેને ક્યારેય પણ ઘરના ઉત્તર અને પૂર્વ દિશાની દિવાલો પર લટાવવા ન જોઈએ. જો કોઈ આ દિશામાં છોડ લટકાવે છે તો જીવન પર અશુભ પ્રભાવ પડે છે.
મહેંદીનો છોડ
ધાર્મિક દ્રષ્ટિકોણથી મહેંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેનો છોડ ઘરમાં લગાવવાનું ટાળવું જોઈએ. તેને ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.