શિવલિંગને ઘરમાં રાખતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત મહત્વનું છે. જાણો આ નિયમો
શિવલિંગની પૂજાથી સાક્ષાત ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
શિવપુરાણમાં શિવલિંગની પૂજા માટેના નિયમો જણાવ્યા છે
આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી
શિવલિંગનું મહત્વ
ભગવાન શિવને ભોલેબાબા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં શિવલિંગની પૂજાનું ખૂબ જ મહત્વ છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગની પૂજાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે તથા મનપસંદ ઈચ્છાઓ પૂરી કરે છે.
મોટેભાગે મંદિર સિવાય લોકો ઘરમાં પણ શિવલિંગની સ્થાપના કરીની તેની પૂજા કરે છે. પરંતુ શિવલિંગ રાખવા માત અમુક ખાસ નિયમો બનાવાયા છે તથા તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીતર શુભ ફળના બદલે અશુભ ફળ મળશે.
શિવલિંગની સ્થાપનાના નિયમો
મંદિરની બદલે ઘરમાં શિવલિંગની સ્થાપના કરી રહ્યા છો તો જાણી લો શિવલિંગ અંગુઠાના આકાર કરતા મોટું ન હોય. અંગુઠાના આકાર કરતા મોટા શિવલિંગને મંદિરમાં રાખી શકાય છે, જેની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. ઘરમાં અંગુઠાના આકારથી મોટું શિવલિંગ ન રાખો.
એકથી વધારે શિવલિંગ ઘરમાં ન રાખો. શિવ સાક્ષાત છે તથા એક જ ઘરમાં અલગ અલગ શિવલિંગની પૂજા કરવામાં આવે તો પૂજાનું ફળ નથી મળતું.
ઘર માટે શિવલિંગ લાવતા સમયે ધ્યાન રાખો કે શિવલિંગ સોના, ચાંદી કે તાંબાનું હોય. પ્લાસ્ટિક કે કોઈ અન્ય ધાતુના શિવલિંગની પૂજાનું ફળ મળતું નથી.
તમે પારદ શિવલિંગને પણ ઘરમાં સ્થાપિત કરી શકો છો કે પછી નર્મદા નદીના પત્થરથી બનેલ શિવલિંગને પણ ઘરમાં રાખી શકો છો.
શિવ પરિવારવાળા દેવ છે. શિવલિંગ સ્થાપિત કરતા સમયે ધ્યાન રાખો કે તેની આસપાસ શિવ પરિવારનો ફોટો અવશ્ય હોય.
જો શિવલિંગ ઘરમાં છે તો ધ્યાન રાખો કે તેને રોજ જળ અથવા દૂધ અર્પિત કરવામાં આવે. તમે ઈચ્છો તો શિવલિંગ પર એક જળધારા લગાવી દો, જેથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે.
શિવલિંગ પર કેતકીના ફૂલ, સિંદૂર, તુલસી તથા હળદર ભૂલથી પણ ન ચઢાવો. આમ કરવાથી ભગવાન શિવ રુષ્ટ થઇ જાય છે તથા બનતા કામ બગડવા લાગે છે.