દેશમાં ડિજિટલ લોનને લઈને વધતાં ફ્રોડ કેસને લઈને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવાં અને કડક નિયમો બનાવ્યા છે.
ડિજિટલ લોનને લઈને વધતાં ફ્રોડ કેસને લઈને RBI એ નવા નિયમો બનાવ્યા
જે સ્પીડથી લોન મળી રહે છે એ સ્પીડથી તેના નિયમો નથી બની રહ્યા
લોન આપનાર કંપનીએ એક સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ તૈયાર કરીને આપવું પડે
આજકાલ પૈસા કમાવવાની સાથે સાથે લોન મેળવવી પણ ઘણી સહેલી થઈ ગઈ છે. રોજ સવારે ઉઠીએ તો કેટલીય ઍપ્લિકેશન અને વેબસાઇટ લોન આપવા માટે તૈયાર બેઠી છે જે ફક્ત 10 મીનીટની અંદર તમને જરૂરિયાત રકમની લોન આપી દે છે. ઓનલાઈન મળતી લોનને ડિજિટલ લેન્ડિંગ કહેવાય છે. ડિજિટલ લેન્ડિંગ માટે હવે આરબીઆઇએ આંખો લાલ કરી છે. દેશમાં ડિજિટલ લોનને લઈને વધતાં ફ્રોડ કેસને લઈને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવાં અને કડક નિયમો બનાવ્યા છે. વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં આરબીઆઈએ એક ભલામણોની સૂચી તૈયાર કરી હતી અને તેના પરથી કડક નિયમો બનાવ્યા છે.
જે લોકો આઈટીઆર ભરે છે અને એ લોકોનો સિબિલ સ્કોર સારો છે તો એ લોકોને તુરંત લોન મળી રહે છે. રિઝર્વ બેંકે 13 જાન્યુઆરી, 2021 ના રોજ 'ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને મોબાઈલ એપ દ્વારા ધિરાણ સહિત ડિજિટલ ધિરાણ' પર એક કાર્યકારી જૂથ (WGDL) ની રચના કરી હતી. જે સ્પીડથી લોન મળી રહે છે એ સ્પીડથી તેના નિયમો બની રહ્યા નથી. અને તેને કારણે જ ફ્રોડનાં કેસ વધી રહ્યા છે અને સાથે જ લોકોમાં આ વિશે જાગૃત્તતા જોવા નથી મળી રહી.
જો તમે પણ ડિજિટલ માધ્યમથી લોન લો છો તો આ તમારા માટે કામની વાત છે. આરબીઆઈ ડીજીટલ લોનમાં વધતી ગડબડીને રોકવા માટે થોડા નવાં નિયમો જણાવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તમે પણ લોન લેતા સમયે ફ્રોડથી બચી શકો છો. સાથે જ જે કંપનીઓ આ નિયમોનું પાલન કરે છે તેને સ્ટાન્ડર્ડ કંપની કહેવા છે અને લોકોએ તેની પાસેથી જ લોન લેવી જોઈએ.
ચાલો જાણીએ શું છે એ નિયમો
- તમે લો કોઈ બેંક કે ફાઈનાન્સ કંપની પાસેથી લોન લો છો તો લોન લેવાવાળા વ્યક્તિના એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર થવા જોઈએ. કોઈ થર્ડ પાર્ટી વચ્ચે ન આવી જોઈએ. લોન આપવાવાળા કોઈ પહેલા કોઈ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં પૈસા આપે અને એ થર્ડ પાર્ટી તમારા એકાઉન્ટમાં પૈસા આપે તેવું ન હોવું જોઈએ. જો એવી પોલિસી હોય તો એ કંપની પાસે લોન ન કરાવી જોઈએ.
- લોન આપનાર કંપની કોઈ પણ પ્રકારના ખર્ચા માટે તમારી પાસેથી પૈસા ન લેવા જોઈએ. લોન આપવા માટે લોનલેનારની ક્રેડિટ રેટિંગ કઢાવવા માટે કે લોનની પ્રોસેસ માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ લોન લેનાર વ્યક્તિ નહીં પણ લોન આપનાર કંપનીએ કરવાનો રહે છે.
- લોન આપનાર કંપનીએ એક સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ તૈયાર કરીને આપવું જોઈએ. જેમાં તમે કેટલી રકમની લોન લો છો અને કેટલા ટકા વ્યાજ લો છો અને લોનની ભરપાઈ ક્યારે અને કેટલા સમયમાં થવી જોઈએ. જો સમય પહેલા કોઈ લોન ભરી દે છે તો તેના પર કોઈ ચાર્જ ન લેવામાં આવો જોઈએ. આ બધા સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ આરબીઆઈએ બનાવેલ નિયમો મુજબ જ હોવા જોઈએ.
- આ સાથે જ પહેલાં એ પણ જાણી લેવું જોઈએ કે વ્યાજનાં ટકા અને તેની રકમ કેટલી છે અને વાર્ષિક તમે કુલ કેટલા ટકા વ્યાજ અને રકમ ચૂકવો છો.
- સિબિલ સ્કોર સારો હોવાને કારણે ક્રેડીટ કાર્ડ પર લીમીટ વધારવા માટે બેંકનાં કર્મચારી તમને ફોન કરીને જાણ કરે છે. પણ લોન આપનાર કંપનીઓ કસ્ટમરને જન કર્યા વિના જ તેના લોનની લીમીટ વધારી નાખે છે. આરબીઆઈનાં નિયમ મુજબ હવે કસ્ટમરને પૂછ્યા વિના તેની લોનની લીમીટ વધારી શકાશે નહીં.
- આ સાથે જ લોન આપનાર કંપનીઓ એ કસ્ટમર એટલે કે લોન લેનાર વ્યક્તિને કોઈ સમસ્યા આવે તો તેને સોલ્વ કરવા માટે સહેલાઇથી લોન આપનાર લોકોનો સંપર્ક સાધી શકાઈ તેવા નંબર આપવા જરૂરી છે. અને જો ૩૦ દિવસની અંદર તેની સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો લોન લેનાર વવ્યક્તિ આરબીઆઈને વેબસાઈટ પર જઈને ફરિયાદ નોંધાવી શકે છે.