દરેકને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હશે કે, ભગવાનના મંદિરમાં ગર્ભગૃહમાં AC લગાવવામાં આવે છે તે પાછળનું શું લોજિક છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં ભગવાનને પણ ગરમી થાય છે પણ પહાડ પર આવેલા મંદિરમાં પણ ભગવવાની મૂર્તિને પરસેવો થાય છે. આ ઉપરાંત કોઈ ખાસ આયોજન પહેલા પણ પ્રભુની મૂર્તિને પરસેવો થાય છે અને કામ પૂર્ણ થતા તે મૂર્તિ ફરી સામાન્ય બની જાય છે. વાંચીને ચોંકી જવાય પણ આ હકીકત છે. આ સિવાય એક ન ઉકેલી શકાય એવો કોયડો પણ છે. આ મંદિરની યાદીમાં તામિલનાડુંના, હિમાચલ પ્રદેશ અને તિરુપતી બાલાજી મંદિરનો સમાવેશ થાય છે.
શા માટે આવુ થાય છે?
દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવેલું દેવીપીઠ ભલેઈ માતાના મંદિરનું રહસ્ય ચોંકાવનારું છે. જેની સ્થાપના અંગે પૂજારી કહે છે કે, આ મૂર્તિ સ્વયંભૂ છે. આ પછી જે જગ્યાએ માતાની મૂર્તિ પ્રગટ થઈ છે. ત્યાં મંદિર બનાવવામાં આવ્યુ હતુ . આ મંદિરમાં આવેલી મૂર્તિને પરસેવો થાય છે.પૂજારી કહે છે કે, આવું શા માટે થાય છે તેનો હજુ સુધી કોઇ દાવા સાથે કહી શક્યુ નથી. અનેક વખત કેટલાય સંશોધકો આવ્યા પણ એવુ કોઇ સચોટ કારણ સામે આવ્યુ નથી.
સિંગારવેલાવર મંદિર:
તામિલનાડુંમાં આવેલું કાર્તિકેય મુરુગા સિક્ક્કલ સિંગારવેલાવર મંદિર પર રહસ્ય છે. આ મંદિરમાં આવેલી પ્રભુની મૂર્તિને પણ પરસેવો થાય છે. આવું શા માટે એ શોધવા માટે અનેક નિષ્ણાંતોની ટીમ અહીં આવી હતી પરંતુ હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. દર વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે એક તહેવાર ઉજવાય છે આ દરમિયાન ભગવાનની મૂર્તિને પરસેવો થાય છે. રાક્ષસો પર ભગવાને મેળવેલી જીતની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે, પ્રભુ સુબ્રમણ્યિમને થતો આ પરસેવો તેમના ક્રોધનું પ્રતિક છે. જેમ જેમ તહેવાર પૂરો થતો જાય તેમ પરસેવો ઓછો થતો જાય છે. આ પરસેવાનું પાણી ભક્તો પર છાંટવામાં આવે છે.
તિરુપતી બાલાજી મંદિર:
દેશના સૌથી ધનવાન મંદિર એવા તિરુપતી બાલાજીમાં પણ પ્રભુ બાલાજીને પરસેવો થાય છે. પહાડ પર આવેલા આ મંદિરમાં ઠંડી લાગવાની જગ્યાએ પ્રભુને પરસેવો થાય છે. તેથી પૂજારી વારંવાર પ્રભુની પ્રતિમા પરથી તે પરસેવો સાફ કરે છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલું તિરુપતી બાલાજી મંદિરના વેંકટેશ્વર પ્રભુ વિષ્ણું અવતાર છે. અહીં પ્રભુની મૂર્તિનું તાપમાન 43°C રહે છે. આવું શા માટે થાય છે એવું હજુ સુધી કોઈ જાણી શક્યુ નથી. આને ઇશ્વરનો ચમત્કાર માનવામાં આવે છે.
AC છે આ મંદિરમાં:
મધ્ય પ્રદેશના જબલપુરમાં કાલી માતાનું એક મંદિર છે. આ મંદિરમાં કાલી માતાથી ગરમી સહન થતી નથી. તાપમાન વધતા જ માતાને પરસેવો થાય છે. તેથી અહીં ગર્ભગૃહમાં 24 કલાક AC ચાલુ રાખવામાં આવે છે. કોઇ કારણોસર AC બંધ થઇ જાય છે તો મૂર્તિમાંથી પરસેવા નીકળવા લાગે છે. આવું શા માટે થાય છે તે અંગે કોઇ વાત જાણવા મળતી નથી.