જો તમે ઓછાં પૈસા લગાવી સારી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમને એવી રીત જણાવીશું, જ્યાં માત્ર 500 રૂપિયા લગાવી તમે લખપતિ બની શકો છો. ચાલો જાણીએ.
માત્ર 500 રૂપિયા લગાવી બનો લખપતિ
આ જગ્યાએ ઓછાં પૈસા લગાવી કરો જોરદાર કમાણી
પૈસાની તંગી હોય તો જાણી લો આ રીત
પોસ્ટ ઓફિસ
તમે પોસ્ટ ઓફિસના બચત ખાતામાં પૈસાનું રોકાણ કરી શકો છો. આમાં તમને લગભગ 4 ટકાના દરે વ્યાજનો લાભ મળશે. આ ઉપરાંત, પોસ્ટ ઓફિસને આજના સમયમાં રોકાણની સલામત રીત માનવામાં આવે છે. આમાં સરકારી ગેરંટી પણ છે. આ સાથે તમને 10 હજાર રૂપિયા સુધીનું ટેક્સ ફ્રી વ્યાજ મળે છે.
મ્યુચ્યુઅલ ફંડ
કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. તમે 15 વર્ષની અવધિમાં 500 રૂપિયા દર મહિને રોકાણ કરીને 10 ટકા વ્યાજદરથી 2 લાખ રૂપિયા કમાવી શકો છો. આ સિવાય 90,000 રૂપિયાના રોકાણ પર તમે 1.10 લાખ રૂપિયા કમાવી શકો છો. તમે આનલાઇન પણ ખરીદી શકો છો.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
આ સિવાય પબ્લિક પ્રોવિડન્ટમાં પૈસાનું રોકાણ કરવાથી વ્યક્તિ મોટો નફો મેળવી શકે છે. આ સમયે પીપીએફમાં રોકાણ કરવાથી તમને વાર્ષિક 7.1 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. વાર્ષિક પીપીએફમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પીપીએફ ખાતામાં જમા થયેલી રકમ આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ ડિડક્શન તરીકે ક્લેમ કરી શકાય છે. આના પર મળતું વ્યાજ સંપૂર્ણ રીતે કરમુક્ત છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક સરકારી યોજના છે. તેમાં રોકાણ કરેલાં નાણાં એકદમ સલામત છે. આમાં તમે 250 રૂપિયામાં ખાતું ખોલી શકો છો. એસએસવાયમાં ગ્રાહકોને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. તમે તમારી દીકરીના નામે ખાતું ખોલી શકો છો. વ્યાજની ગણતરી સંયોજનના આધારે કરવામાં આવે છે, જેનાથી રિટર્ન વધારે મળે છે. દર વર્ષે ન્યૂનતમ 1000 અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ
એનએસસી એક પોપ્યુલર સ્કીમ છે જે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે. તમે આ સર્ટિફિકેટ 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 અને 5000 રૂપિયામાં ખરીદી શકો છો. એનએસસીના રોકાણનો સમયગાળો 5 વર્ષનો છે અને હાલમાં તેમાં 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સાથે 80સી હેઠળ ટેક્સમાં છૂટ પણ મળે છે.