રોજ દહીં ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. દહીંમાં રહેલાં તત્વો અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. પણ દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, કારણ કે તેનાથી દહીંના ફાયદા મળતાં નથી અને નુકસાન થાય છે. દહીં ખાઈને કેટલીક વસ્તુઓ ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સ વધવા લાગે છે. જેના કારણે પેટમાં ગરબડ, ઊલટી, ગભરામણ જેવી સમસ્યા થાય છે.
દહીં હેલ્થ માટે અત્યંત લાભકારી છે
દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ
દહીં ખાઈને કેટલીક વસ્તુઓ ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સ વધવા લાગે છે
દહીં હેલ્થ માટે અત્યંત લાભકારી છે કારણ કે તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા, કેલ્શિયમ અને લેક્ટિક એસિડ હોય છે. જો તમે યોગ્ય રીતે દહીં ખાઓ તો ડાઈજેશન સુધારવા માટે તે બેસ્ટ છે.
દહીંની સાથે ડુંગળી
દહીંની સાથે ભૂલથી પણ ડુંગળી ન ખાવી જોઈએ. નહીં તો તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને હેલ્થને પણ નુકસાન થઈ શકે છે. દહીં સાથે અથવા દહીં ખાધા બાદ ડુંગળી ખાવાથી દાદર, એક્ઝિમા, ખુજલી, સોરાયસિસ જેવી સ્કિન સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
દહીં ખાધા બાદ ક્યારેય દૂધ ન પીવું
દૂધ અને દહીં બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાંથી બોડીને પ્રોટીન સહિત ઘણાં ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. પણ દહીં ખાધા બાદ દૂધ ન પીવું જોઈએ નહીં તો તે નુકસાન કરી શકે છે. દહીં ખાધા પહેલાં કે પછી ક્યારેય દૂધ ન પીવું નહીં તો સ્કિન ખરાબ થઈ શકે છે અને સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે.
દહીં સાથે અથવા પછી ફિશ ન ખાવી
દહીંની તાસીર ઠંડી હોય છે. જેથી દહીં સાથે ભૂલથી પણ ગરમ વસ્તુઓ ન ખાવી જોઈએ. દહીંની સાથે ફિશ અને અડદની દાળ પણ ન ખાવી જોઈએ. નહીં પેટ સંબંધી ઘણી સમસ્યાઓ વધી શકે છે. ફિશ ખાધા બાદ ક્યારેય દહીં કે તેમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી, નહીં તો સ્કિન પર સફેદ ડાઘ થઈ શકે છે.