કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1594 કેસ નોંધાયા છે. જ્યારે 684 લોકો સાજા થયા છે તથા આજે 51 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કુલ 29974 કેસ નોંધાયા છે. તેમાંથી 21632 એક્ટિવ કેસ છે. કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 7027 લોકો સાજા થયા છે. જ્યારે કુલ 937 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
Video શૅર કરી રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી, લગાવ્યો બેન્ક ડિફોલ્ટરના નામ છુપાવાનો આરોપ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો બોલ્યો છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મોટા બેન્ક ડિફોલ્ટરના નામ છુપાવાનો આરોપ લગાવ્યો છે. સંસદમાં પોતાના પૂછવામાં આવેલા એક પ્રશ્નનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત ભાજપના મિત્રોના નામ બેન્ક ચોરોના લિસ્ટમાં નાંખી દીધું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, 'સંસદમાં મેં એક સીધો પ્રશ્ન પૂછ્યો હતો, મને દેશના 50 સૌથી મોટા બેન્ક ચોરોના નામ બતાવો. નાણામંત્રીએ જવાબ આપવાનથી મનાઇ કરી દીધી. હવે RBIએ નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત ભાજપના 'મિત્રો'ના નામ બેન્ક ચોરોની લિસ્ટમાં નાંખ્યા છે. તેથી સંસદમાં આ સત્યને છુપાવામાં આવ્યું.'
संसद में मैंने एक सीधा सा प्रश्न पूछा था- मुझे देश के 50 सबसे बड़े बैंक चोरों के नाम बताइए।
वित्तमंत्री ने जवाब देने से मना कर दिया।
अब RBI ने नीरव मोदी, मेहुल चोकसी सहित भाजपा के ‘मित्रों’ के नाम बैंक चोरों की लिस्ट में डाले हैं।
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1594 કેસ નોંધાયા છે. જ્યારે 684 લોકો સાજા થયા છે તથા આજે 51 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કુલ 29974 કેસ નોંધાયા છે. તેમાંથી 21632 એક્ટિવ કેસ છે. કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 7027 લોકો સાજા થયા છે. જ્યારે કુલ 937 લોકોના મોત થયા છે.
ચેન્નઇમાં બે પોલીસ જવાન સહિત 3 લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા
તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં બે પોલીસ કર્મચારીઓ અને કોયામબેડુ બજારમાં એક ફ્રુટ વેચનાર વ્યક્તિમાં કોરોના વાયરસનું સંક્રમણ પોઝિટિવ જોવા મળ્યું છે. અધિકારીઓએ આમ જાણકારી આપી.
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1543 કેસ, રિકવરીનો રેટ 23.3 ટકા થયો : સ્વાસ્થ્ય મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1543 કેસ નોંધાયા છે. જ્યારે 684 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કુલ 29435 કેસ નોંધાયા છે. તેમાંથી 21632 એક્ટિવ કેસ છે. કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 6868 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશના 17 જિલ્લાઓમાંથી 28 દિવસથી કોઇ કેસ નોંધાયો નથી. કોરોના વાયરસની બીમારીથી રિકવરી રેટ વધ્યો છે. દેશમાં કોરોનાથી રિકવરીનો રેટ વધીને 23.3 ટકા થઇ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 934 લોકોના મોત થયા છે.
ભાજપ ધારાસભ્યે સંક્રમણ ફેલાવા માટે મેડિકલ કોલેજને જવાબદાર ઠેરાવતા વિવાદ
ભારતીય જનતા પાર્ટીના દલવીર સિંહે અલીગઢમાં કોવિડ 19 ફેલાવા માટે જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજને જવાબદાર ઠેરાવીને વિવાદ ઉભો કર્યો છે. ભાજપ ધારાસભ્ય દલવીર સિંહે આરોપ લગાવ્યો કે મેડિકલ કોલેજ હોસ્પિટલ કોરોના વાયરસનું 'હબ' બની ગયું છે અને હોસ્પિટલના કોરોના વાયરસના દર્દીઓ વિશે જિલ્લા વહીવટીય તંત્રને સમય રહેતા અવગત ન કરાયા. તેઓએ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી પાસે તેની તપાસ કરાવાની માંગ કરી છે.
પીએમ મોદીએ રાજસ્થાન મોડેલ અને સીએમ ગેહલોતને તમામ મુખ્યમંત્રીઓ સમક્ષ વખાણ્યા
PM નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારીના યુગમાં રાજસ્થાન સરકાર અને સીએમ અશોક ગેહલોત દ્વારા લેવામાં આવેલા પગલાઓની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મોદીએ ગેહલોત મોડેલની પ્રશંસા કરી છે અને અન્ય રાજ્યોને રાજસ્થાનનું પાલન કરવાની સલાહ આપી છે. સોમવારે મોદીએ લૉકડાઉન અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પીએમ મોદીએ રાજસ્થાન મોડેલ અને સીએમ ગેહલોતને તમામ મુખ્યમંત્રીઓ સમક્ષ વખાણ્યા હતા. આ સાથે જ અન્ય રાજ્યોને પણ આ મોડલ અપનાવવા કહ્યું હતું.
16 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ કેસ નહીં
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 85 જિલ્લાઓમાં ગત 14 દિવસોથી કોઇ કેસ નોંધાયો નથી. 16 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રનું ગોદિંયા, કર્ણાટકનું દાવનગેરે અને બિહારમાં લખી સરાય, આ ત્રણેય નવા જિલ્લા આ લિસ્ટમાં જોડાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના પીલીભીત અને પંજાબના એક જિલ્લામાં ફરી નવા કેસ આવ્યા છે.
મુંબઈમાં ફરતા 12 જમાતીમાંથી 10ની ધરપકડ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે ત્યારે મુંબઈની પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે. રાજ્યો તબલીગી જમાત પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. મુંબઈ પોલીસે (મુંબઇ પોલીસે) તેમાંથી 12 ની ધરપકડ પણ કરી હતી, તેમાંથી 10ને સોમવારે ક્વૉરન્ટાઈન સમય પૂર્ણ કર્યા બાદ જેલમાં મોકલી દેવાયા છે.
PM મોદીએ કહ્યું જૂન - જુલાઈ બાદ વધી શકે છે કેસ
બેઠક પછી છત્તીસગઢના આરોગ્યમંત્રીએ જે કહ્યું તેની પર વિચાર કરવાની જરૂર છે. વીડિયો કોન્ફરન્સિંગ પછી ટી.એસ.સિંઘદેવે કહ્યું, 'સ્થિતિ ખૂબ નિયંત્રણમાં છે, પરંતુ પીએમ મોદીએ અગાઉ કહ્યું હતું કે, એપ્રિલના અંતમાં અને મેના પ્રથમ અઠવાડિયામાં સ્પાઇક આવી શકે છે, કેસો વધી શકે છે અને હવે લોકો એમ કહી રહ્યા છે કે જૂન - આ ભય જુલાઈ સુધી બંધ નહીં થાય. એટલે કે જૂન-જુલાઈ સુધીમાં કેસ વધી શકે છે. કોરોના લાંબા સમય સુધી અમારી સાથે રહેશે. આને ધ્યાનમાં રાખીને, આપણે આગળની પ્રવૃત્તિ કરવી પડશે. આ બેઠકમાં આરોગ્યમંત્રી ટી.એસ.સિંહ દેવની સાથે છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ પણ હાજર હતા.
12માંથી 2 જમાતી કોરોના પોઝિટિવ
પોલીસે માહિતી આપી છે કે 12 જમાતી મુંબઈ આવ્યા બાદ પશ્ચિમ બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં 29 માર્ચથી રહેતા હતા. તેમાં 6 મહિલાઓ અને 6 પુરુષો હતા. પોલીસે તે તમામને પકડીને હોટલના જ ક્વૉરન્ટાઈન સેન્ટરમાં રાખ્યા હતા. 12માંથી 2 જમાતી કોરોના પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ મળેલા બંનેને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. જેમની સમયસીમા 8 મેના રોજ પૂરી થશે.
ક્રિસિલે ઘટાડ્યું ગ્રોથનું અનુમાન
ક્રિસિલે ભારતના નાણાંકીય વર્ષ 2020-21ના આર્થિક વૃદ્ધિદરને અડધાથી પણ ઓછો કરીને 1.8 ટકા કરી દીધો છે. એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને મળીને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે. દરેક વ્યક્તિના આધારે આ નુકસાન લગભગ 7000 રૂપિયાનું રહેશે.
યૂપીના ધારાસભ્યના નિવેદન બાદ વિવાદ, કરી આ સ્પષ્ટતા
કોરોના મહામારીને રોકવા લોકડાઉન વચ્ચે દેશમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે. જેમાં કોઈ સમાજને ટાર્ગેટ કરાઈ રહ્યો હોય ત્યારે હવે ભાજપના જ ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે શાકભાજી ખરીદવા માટે લોકોને ચેતવી રહ્યા છે. દેવરિયા જિલ્લાના બરહજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યએ લોકોને કહ્યું કે એક વસ્તુ ધ્યાનમાં રાખી લો. હું સૌને કહી રહ્યો છું કે મુસ્લિમો પાસેથી શાકભાજી ન ખરીદો. ધારાસભ્યના આ નિવેદન બાદ હવે વિવાદ થયો છે. ધારાસભ્યએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઔવૈસી હિંદુઓ માટે અપશબ્દો બોલતા હતા ત્યારે કોઈ વિચાર કરતું ન હતું. તેમની સ્પષ્ટતાથી લાગે છે કે તેમને પોતાના નિવેદન માટે કોઈ રંજ નથી. તેઓએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે હું 17-18 એપ્રિલે નગરપાલિકા ગયો હતો. અહીં 10-12 લોકો હતા. જેઓ ફરિયાદ કરવા લાગ્યા હતા કે મુસ્લિમો શાકમાં થૂંક લગાવીને વેચી રહ્યા છે. આ પછી અમે તેમની પાસેથી શાક ખરીદવાનું બંધ કર્યું છે. શક્ય છે કે કોરોનાથી બચી શકાય.
યૂપીમાં 2 સાધુઓની થઈ હત્યા
ઉત્તરપ્રદેશના બુલંદશહેરના પગોના ગામમાં બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં સુઈ રહેલા બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. ગામજનોએ હથિયાર સાથે ફરાર થતા એક શખ્સને પકડી લીધો હતો. સ્થાનિકોએ આરોપીને માર મારીને પોલીસને સોંપ્યો છે. પોલીસે આ સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં લઈ લીધી છે. અને આરોપીને ઝડપી લીધો છે.. પોલીસનું માનીએ તો આરોપી શખ્સ નશાની હાલતમાં હતો અને બન્ને સાધુની હત્યા કરી છે.
સીએમ યોગીએ માંગ્યો રિપોર્ટ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગામના પગોના, પોલીસ સ્ટેશન અનુપશહર, જિલ્લા બુલંદશહેરમાં હત્યાની ઘટનાની નોંધ લીધી છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને બનાવની વિગતવાર વિગતો આપવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે.
ભારતમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 29 હજાર 451 થઇ છે. અહીં એક જ દિવસમાં 1561 પોઝિટિવ કેસ નોંધાયા છે તો હાલ એક્ટીવ કેસની સંખ્યા 21 હજાર 375 થઈ છે. કોરોનાથી ભારતમાં 939 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં 7 હજાર 137 લોકો સાજા થયા છે. દેશમાં એક જ દિવસમાં 614 લોકો થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8 હજાર 590 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 522 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 6 હજાર 939 થઈ છે. કોરોનાથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 369 લોકોના મોત થયા છે. યુપીમાં કુલ કેસની સંખ્યા 1986 થઈ. હાલ યુપીમાં 1556 એક્ટીવ કેસ છે અને 399 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 3108 થઈ અને એક્ટીવ કેસની સંખ્યા 2992 થઈ છે, 877 લોકો સાજા થયા છે તો 54 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2262 થઈ, હાલ એક્ટીવ કેસની સંખ્યા 1468 થઈ અને 744 થયા સાજા, 50ના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં દિવસે દિવસે વધી રહ્યો કોરોનો સંક્રમણનો વ્યાપ
અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 3548 કેસ નોંધાયા છે, હાલની સ્થિતિએ રાજ્યમાં 2992 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 384નો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 162 કોરોના દર્દીઓના મોત થયા છે સૌથી વધુ કેસ અમદાવાદમાં 2378, વડોદરા 240 , સુરત કુલ 556, રાજકોટ 46, ગાંધીનગરમાં 30 કેસ છે.
કોરોનાથી મોટી રાહત
પુર્વોત્તરના 8માંથી 5 રાજ્યો કોરોના મુક્ત થયા છે. અન્ય ત્રણ રાજ્યોમાં 14 દિવસથી એક પણ કેસ સામે આવ્યો નથી. સિક્કિમ, નાગલેન્ડ,અરૂણાચલ પ્રદેશ,મણિપુર અને ત્રિપુરા કોરોના સંપુર્ણ મુક્ત થયા છે. અસમ, મેઘાલય અને મિઝોરમમાં કોરોના વાયરસ કેટલાક સમયથી એક કેસ સામે નથી આવ્યો.
લદ્દાખમાં શરૂ કરવામાં આવી પ્રથમ લેબ ટેસ્ટ
અત્યાર સુધી ટેસ્ટ માટે સેમ્પલ દિલ્હી મોકલવામા આવતા પણ હવે વધુ ખર્ચને જોઇ સરકારે ત્વરિત લેબ ટેસ્ટ શરૂ કર્યા છે. હાલ લદ્દાખમાં કોરોનાના 20 કેસ સામે આવ્યા છે.
કોરોનાની જંગ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર
સર્વાધિક પ્રભાવિત 20 દેશમાં ભારત 16 નંબરે પહોંચ્યો છે. અન્ય 11 દેશોમાં 50 હજારથી વધુ સંક્રમિત લોકો છે. અમેરિકા વધુ કેસ અને મોતના આંકડે પ્રથમ નંબર રહે છે. ત્યારબાદ ઇટલી સ્પેન જર્મની અને ફ્રાંસનો સમાવેશ થાય છે.