દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 24,942 થઇ ચૂક્યા છે. તેમાંથી 18,953 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના બીમારીથી 5210 લોકો સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં કુલ 779 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
ઓલાની કેજરીવાલ સરકાર સાથે ભાગીદારી, દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલ સુધી પહોંચાડવા કેબ સેવા આપશે
એપ આધારિત ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનારી કંપની ઓલાએ દિલ્હીની કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય વિભાગ સાથે ભાગીદારી કરી છે. આ હેઠળ ઓલા દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલ પહોંચાડવા માટે કેબ સેવા ઉપલબ્ધ કરાવશે.
કેરળમાં સરકારી હોસ્પિટલે કોરોના વાયરસના દર્દીઓની સેવા માટે રોબોટને તહેનાત કર્યા
કેરળના અર્નાકુલમમાં એક સરકારી હોસ્પિટલે ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓમાં સંક્રમણના જોખમને ઓછુ કરવાના ઉદ્દેશ્યથી કોરોના વાયરસના દર્દીઓને ભોજન આપવા અને દવાઓ આપવા માટે એક રોબોટ તહેનાત કર્યા છે.
મહારાષ્ટ્રમાં 3 મે સુધી લૉકડાઉનના નિયમોમાં કોઇ બદલાવ નહીં : રાજેશ ટોપે
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે શનિવારે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉનના નિયમોમાં 3 મે સુધી કોઇ બદલાવ નહીં થાય. ટોપે કહ્યું કે દુકાનો ખોલવા સંબંધમાં કેન્દ્ર દ્વારા જારી નવા નિર્દેશમાં કોઇ સ્પષ્ટતા નથી.
ગુજરાતમાં 24 કલાકમાં નવા 256 કેસ નોંધાયા, અમદાવાદમાં 182 કેસ પોઝિટિવ આવ્યા
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 256 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં આજે નવા 182 કેસ સામે આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3061 થઇ છે. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે, રાજ્યમાં 2616 દર્દીઓ સ્ટેબલ છે અને 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે કોરોના વાયરસના 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના 282 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આજે રાજ્યમાં કોરોનાથી 6 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 48,315 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 24,942 થઇ ચૂક્યા છે. તેમાંથી 18,953 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના બીમારીથી 5210 લોકો સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં કુલ 779 લોકોના મોત થયા છે.
બિહાર સરકારે કોટાથી વિદ્યાર્થીઓને પાછા લાવવાનાનો નિર્ણય કેન્દ્ર પર છોડયો
બિહાર સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે તેમને કોટાથી વિદ્યાર્થીઓને પાછા લાવવામાં કોઇ વાંધો નથી. પરંતુ તેના માટે પહેલા કેન્દ્રે અધિસૂચના જેમા તેઓએ ઇન્ટર સ્ટેટ લોકો અને વાહનોનું મુવમેન્ટ પ્રતિબંધિત કર્યું છે. તેની મંજુરી આપે. આમ એક રીતે બિહાર સરકારે કેન્દ્ર પર તમામ વસ્તુઓ છોડી દીધી.
ઝારખંડ : રાંચીમાં કોરોનાના 4 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 63 થઇ
ઝારખંડમાં કોરોના વાયરસના 4 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે રાજ્યની રાજધાની રાંચીમાં 4 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 63 થઇ ગઇ છે.
ગૃહ મંત્રાલયે આજથી શરતોને આધિન દુકાનો ખોલવા માટે મંજૂરી આપી
દેશમાં લોકડાઉનની વચ્ચે આજથી દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ છે. ગૃહ મંત્રાલયે આજથી શરતોને આધિન દુકાનો ખોલવા માટે મંજૂરી આપી છે. ત્યારે દુકાનો ખોલવાના આદેશને લઇ લોકોમાં કેટલુંક અસમંજસ હતું. જેને લઇ ગૃહમંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે માહિતી આપી. અને ગૃહમંત્રાલયના આદેશમાં શું છે તે અંગે જાણકારી આપી. પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તમામ દુકાનો ખોલી શકાશે પરંતુ મોલ ખોલી નહીં શકાય. ગ્રામ્ય અને અર્ધ-ગ્રામ્ય વિસ્તારમાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારો નજીક આવેલી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ખોલવાની પરવાનગી નથી આપવામાં આવી. આ ઉપરાંત રેસ્ટોરન્ટને ખોલવાની પણ પરવાનગી આપવામાં નથી આવી.
મહારાષ્ટ્રમાં ફસાયેલા ગુજરાતીઓને મળશે આ સુવિધા
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 24506 સુધી પહોંચી છે. આ સાથે જ દેશમાં 780 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં લૉકડાઉન સમયે મળતી માહિતી અનુસાર ગુજરાતે બહારના રાજ્યોમાં પ્રવાસ કરતા નાગરિકો માટે ઓનલાઈન ઈ પરમિટ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર થોડી જ વારમાં મહારાષ્ટ્ર સરકાર એડવાઈઝરી બહાર પાડશે.
સીએમ યોગી આદિત્યનાથે લીધો મહત્વનો નિર્ણય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાનો વધતો કહેર જોતાં કહ્યું કે આ વર્ષે તમામ ધાર્મિક ગુરુઓએ મુસ્લિમ ભાઈઓને ઘરે રહીને નમાઝ વગેરે અર્પણ કરવાની અપીલ કરી છે. ધ્યાન રાખવું કે ક્યાંય પણ કોઈ ઘટના / પ્રસંગ ન યોજાય. કોઈ સામૂહિક પ્રોગ્રામ હોવો જોઈએ નહીં કારણ કે તેનાથી કોરોના ચેપ ફેલાય તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે 30 જૂન સુધી કોઈપણ જાહેર કાર્યક્રમને મંજૂરી ન હોવી જોઇએ. તે પછી સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે એસીના ટેમ્પ્રેચરને લઈને જાહેર કરી એડવાઈઝરી
કોરોના વાયરસની મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે એસીના ટેમ્પ્રેચરને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં જણાવાયું છે કે કોરોનાના સંકટમાં ઘરમાં એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડનું હોવું જોઈએ. આ સાથે જ જણાવાયું છે કે જે રૂમમાં એસી હોય ત્યાં બારી હોવી જરૂરી છે જેથી વચ્ચે વચ્ચે ફ્રેશ હવા આવતી રહે.
Relaxations not applicable in Hotspots/containment zones: Ministry of Home Affairs https://t.co/847u21F5D8
લૉકડાઉન વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વનો આદેશ છે કે આજથી દેશમાં શરતો સાથે દુકાનો ખોલવાની છૂટ અપાશે. શોપિંલ મોલ્સ સિવાયની તમામ દુકાનો ખોલવાની છૂટ રહેશે. હૉટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇનવાળા વિસ્તારમાં છૂટ નહીં આપવામાં આવે. આ નિર્ણય બાદ પણ રાજ્ય સરકારો દુકાનો ખોલવા અંગે અંતિમ નિર્ણય લેશે. 50 ટકા સ્ટાફ સાથે દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. નગરપાલિકા-મનપા હસ્તક આવતી દુકાનો ખોલવા છૂટ છે. આવાસ, સોસાયટી નજીકની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. મોલ-મલ્ટિપ્લેક્સની દુકાનો પર પ્રતિબંધ યથાવત છે.
કોરોના સંકટે વધાર્યું મોદી સરકારનું ટેન્શન
દેશભરમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના લાખો પ્રયત્નો છતાં કોરોના રોગચાળો થવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં દેશના 5 મહાનગરોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું છે. મુંબઈ, ઈન્દોર, જયપુર, ગુજરાતના અમદાવાદ અને પુના જેવા 5 મહાનગરોમાં સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર ઓછો છે અને મૃત્યુદર વધારે છે. જે કેન્દ્ર સરકાર માટે ટેન્શન બન્યું છે.
કોરોના કેસ દર 22થી 8 ટકાએ પહોંચ્યો
ભારતમાં લૉકડાઉનથી કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. લૉકડાઉનના 1 મહિનામાં કોરોના કેસ દરમાં 14%નો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. 1 મહિના પહેલા 22%ના દરથી કેસમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ લૉકડાઉનના બાદ 22 થી 8% સુધી કેસનો દર પહોચ્યો છે. ઉલ્લેખનીય છે કે જો લૉકડાઉન ન હોત તો અત્યારે 2.5 લાખથી વધુ કેસ હોત. અન્ય દેશોની તુલનામાં હજુ પણ ભારતમાં વૃદ્ધિદર વધુ છે. જર્મનીમાં લૉકડાઉન બાદ વૃદ્ધિદર 2% ટકા થયો છે અને અમેરિકામાં 1 મહિના બાદ વૃદ્ધિદર ઘટીને 4.8% થયો છે.
દેશમાં ક્યાં કેટલા કેસ પોઝિટિવ
દેશમાં કોરોના વાયરસથી 24,447 લોકો સંક્રમિત થયા છે. દેશમાં 780 દર્દીના મોત થયા છે તો 5,496 દર્દી સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 6817 અને તમિલનાડુમાં 1755 કેસ પોઝિટિવ છે તો રાજસ્થાનમાં 2034, મધ્યપ્રદેશ 1846 કેસ પોઝિટિવ, તેલંગાણામાં 983, આંધ્રપ્રદેશમાં 955 કેસ અને કેરળમાં 450 કેસ પોઝિટિવ છે.
દિલ્હીમાં કોરોનાના કેસ 2500 પાર
દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અને હવે દિલ્હીમાં કોરોનાના કેસ 2500 પાર પહોંચી ગયા છે. ત્યારે હાલ દિલ્લીના શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાઇ રહ્યું છે. દરિયાગંજ માર્કેટમાં તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. અને 50-50 લોકોની સંખ્યામાં લોકોને માર્કેટમાં એન્ટ્રી આપવામાં આવે છે. સાથે જ સેનેટાઇઝર પણ અપાઇ રહ્યું છે. તો ઓખલા માર્કેટમાં પણ હોલસેલ વેપારીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે.
ફરજમાં હાજર જવાનોને કોરોના પોઝિટિવ
દિલ્હીમાં CRPFના 9 જવાનોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ તમામને સારવાર માટે ખસેડાયા છે. તેમની સાથે સંપર્કમાં આવેલા જવાનોનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે.
કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર
ઓક્સિજન પર રખાયેલા 2 દર્દીને પ્લાઝમાં ટ્રીટમેન્ટ અપાઇ હવે પ્લાઝમાં ટ્રીટમેન્ટ બાદ બન્ને દર્દીની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. ટ્રીટમેન્ટ બાદ બન્ને દર્દીને ઓક્સિજન પર રાખવાની જરૂર નહી પડે. હાલમાં અમદાવાદ SVP હોસ્પિટલમાં બન્ને દર્દી સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદમાં આજથી ફરી ઉદ્યોગો ધમધમતા થયા છે
અમદાવાદમાં આજથી વટવા, નારોલ, નરોડા સહિતના વિસ્તારમાં 400 એકમો શરૂ થઇ ગયા છે. મનપાની હદમાં આવતા નિકાસલક્ષી ઉદ્યોગો શરૂ થયા છે. તો સોશિયલ ડિસ્ટન્સ રાખીને કર્મચારીઓને કામ કરવા સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગોને છૂટ મળતા નરોડા-વટવા GIDCમાં ચહેલપહેલ દેખાઇ રહી છે.
ભારતમાં લૉકડાઉનને લઈને ક્રિસ્ટોફર વુડની ચેતવણી
ભારતમાં લૉકડાઉનને લઈને ક્રિસ્ટોફર વુડે ચેતવણી આપી છે. અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સ્ટ્રેટેજી જેફરીઝના વડા ક્રિસ્ટોફર વુડે કહ્યું કે ભારત માટે કોરોના કરતા લૉકડાઉન ખતરનાક સાબિત થશે. લૉકડાઉન ભારતના અર્થતંત્રની કમર તોડી નાખશે. કોરોના કરતા લૉકડાઉનથી ભારતને મોટું નુકસાન થશે. અને આવનારા દિવસોમાં બેન્કો પર બેડ લોનનું ભારણ વધશે.