(અપડેટ્સ 16 એપ્રિલ 2020 - સવારે 7.40 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
2021 સુધીમાં શોધાશે કોરોનાની વેક્સીન
કોરોના મહામારીને રોકવા માટેની વેક્સિનની શોધ હાલ દુનિયાભરમાં ચાલી રહી છે. જેને લઇને ભારતની 6 કંપનીઓ પણ આ વેક્સીનન શોધવાની કામગીરી કરી રહી છે. જો કે ભારતના ઉચ્ચ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાનો સંક્રમણનો જો કહેર દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે તેને જોઇને વેક્સીનની શોધ માટે 2021 સુધી રાહ જોવી પડે તેવી સંભાવના છે.
#WATCH Kerala: A person carried his 65-year-old ailing father in Punalur & walked close to one-kilometre after the autorickshaw he brought to take his father back from the hospital was allegedly stopped by Police, due to #CoronavirusLockdown guidelines. (15.4) pic.twitter.com/I03claE1XO
— ANI (@ANI) April 16, 2020
કેરળમાં બની કાળજુ કંપાવનારી ઘટના
દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કેરળથી હૃદય થંભાવી દે તેવા અને પોલીસ માટે શર્મનાક એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 65 વર્ષના પિતાને તેડીને દીકરો જઈ રહ્યો હોય તેમ દેખાય છે. દીકરો પોતાના પિતાને હોસ્પિટલ લઈ જવા માટે દોડતો દેખાય છે.. ઘટના છે પુનાલૂર શહેરની. જ્યાં બીમાર પિતાને હોસ્પિટલ લઈ જવા માટે એક વાહન આવ્યું હતું. જોકે પોલીસે લોકડાઉનનું બહાનુ કરીને વાહનને આગળ જતાં અટકાવ્યું હતું. જેથી બીમાર પિતાનો દીકરાએ તેના પિતાને તેડી લીધા અને બાદમાં પગપાળા ચાલવા માડ્યો. આમ એક દીકરો તેના પિતાને તેડીને 1 કિલોમીટર સુધી ચાલ્યો. આ વીડિયો વાયરલ થતાં હવે માનવાધિકાર આયોગે કેસ દાખલ કરાવ્યો છે. અને પોલીસને નોટિસ ફટકારી છે.
Now we've reached a level, where we are in an emergency situation. India must unite&fight against it. My main suggestion is that blunt instruments must not be used. We must work strategically. Lockdown has not resolved the problem, it has only postponed the problem: Rahul Gandhi https://t.co/1Pt8uD2OQ0
— ANI (@ANI) April 16, 2020
રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન
કોરોનાના કહેર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરેન્સથી પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી છે કે, હાલમાં તમામ દેશવાસીઓને એક થઈને લડવાની જરૂરી છે. તમામ પક્ષના નેતાઓને મોદીથી નહી પરંતુ વાયરસથી લડવાનું છે સાથે જ તેમણે કહ્યું કે, તંત્ર દ્વારા હોટસ્પોટ ન કરાયેલા વિસ્તારોમાં પણ ટેસ્ટ કરવા જોઈએ. ત્યાર બાદ તેમણે કહ્યું કે, પીએમ મોદીએ જંગમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ પ્રોત્સાહન આપવુ જોઈએ. તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને મજબૂત કરવુ તે ખુબ જ જરૂરી છે. દેશમાં લોકડાઉન જાહેર કરવુ તે કોરોનાનું હલ નથી. ગરીબો સુધી પૈસા અને ભોજન પહોંચાડવું તે કાર્યને પ્રમુખતા આપવી જોઈએ. આગામી સમયમાં બેરોજગારીના પ્રમાણમાં વધારો થશે, જેથી સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મદદ પેકેજ જાહેર કરવુ જોઈએ.
CMO સચિવ અશ્વિની કુમારે કહી આ વાત
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ખુબ વધી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં પણ ક્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આજે CMO સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી. જેમાં એક તો આજ મધરાતથી સુરતના પાંચ વિસ્તારમાં ક્ફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારા બીજી બાજુ રાહતના સમાચાર આપતા રાજ્યમાં ઉધોગમાં 20 તારીખથી આંશિક છૂટછાટ અપાશે તેમ કહ્યું હતું. હોટસ્પોટ અને ત્યાર બાદ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરાશે. વિસ્તારોની સીમા નક્કી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને મનપા નક્કી કરશે. ઉધોગ શરૂ કરવા માટે મંજૂરી મેળવવી પડશે.
Number of #COVID19 cases has reached to 1076 in Rajasthan, with 71 more people testing positive today. Of the fresh cases, 30 have been reported in Jaipur, 27 in Kota, 10 in Jodhpur: Rajasthan Health Department
— ANI (@ANI) April 15, 2020
આ જગ્યાઓએ નોંધાયા વધારે કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 2687 કેસ, 178 લોકોના મોત થયા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ 1561એ પહોંચ્યા છે જ્યારે 30 લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં આ આંકડો 1005 પર પહોંચ્યો છે અને 3 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં કોરોનાના 1204 કેસ, 12ના મોત છે. મધ્યપ્રદેશમાં 987 અને ઉત્તરપ્રદેશમાં 753 કેસ નોંધાયા છે. તેલંગાણામાં 647 અને કેરળમાં 387 કેસ નોંધાયા છે.
COVID-19: Union Health Ministry classifies 170 hotspot districts in Red Zone
— ANI Digital (@ani_digital) April 16, 2020
Read @ANI Story | https://t.co/Kio0t9eRQU pic.twitter.com/obN5kFwutz
તબલીગી જમાતના મૌલાના સાદની મુશ્કેલીમાં થયો વધારો
તબલીગી જમાતના મૌલાના સાદ સામે ગુનો નોંધાયો છે. મૌલાના સાદ સામે ઈરાદા પૂર્વક હત્યાનો ગુનો નોંધાયો છે. જેને લઈને મૌલાના સાદને ઉમ્રકેદ સુધીની સજા થઈ શકે છે. હાલમાં તબલીગી જમાતના મૌલાના સાદ ફરાર છે. પોલીસની મનાઈ છતા ધાર્મિક કાર્યક્રમમાં લોકો એકઠા કર્યા હતા અને તેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સામેલ લોકોએ દેશભરમાં કોરોના ફેલાવ્યો છે.
Total 2,74,599 samples from 2,58,730 individuals have been tested as on 9 PM today. 11297 individuals confirmed #COVID19 positive among suspected cases&contacts of known positive cases. 28941 samples reported today, of which 953 tested positive: Indian Council of Medical Research pic.twitter.com/MBGNxhQvqt
— ANI (@ANI) April 15, 2020
રાજ્યમાં 21 એપ્રિલથી અપાશે કેટલીક છૂટછાટ
જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ નથી ત્યાં કેટલીક છૂટછાટ અપાશે. આજે રાજ્ય સરકાર માસ્ટર પ્લાનની જાહેરાત કરશે. ગઈકાલે કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. કેબિનેટ બેઠકમાં માસ્ટર પ્લાનને મંજુરી મળી હતી. શક્ય છે કે ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિધિઓમાં છૂટછાટ અપાશે
રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ 767 કેસ નોંધાયા
રાજ્યના કુલ આંકમાંથી ફક્ત અમદાવાદમાં કુલ 451 કોરોના પોઝિટિવ કેસ, વડોદરા 121, સુરતમાં 51 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 26, રાજકોટમાં 24, ગાંધીનગરમાં 16 કેસ, પાટણમાં 14, ભરૂચમાં 13, આણંદમાં 17 કેસ, પંચમહાલમાં 5, છોટાઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે. કચ્છમાં 4, મહેસાણા 4, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથ 2, દાહોદમાં 2, બનાસકાંઠામાં 2 કેસ, જામનગર 1, મોરબી 1, સાબરકાંઠામાં 1 કેસ બોટાદમાં 1, ખેડામાં 1, નર્મદામાં 2 કેસ નોંધાયા છે. હાલ સુધી રાજ્યમાં કુલ 33 લોકોના મોત થયા છે. તો 64 લોકો સાજા થયા છે.
દિલ્હી : લૉકડાઉનના આદેશોનું ઉલ્લંઘન કરનાર 3400થી વધારે લોકોની ધરપકડ કરાઇ
લૉકડાઉનના આદેશોનું ઉલ્લંઘન કરવાને લઇને બુધવારે દિલ્હીમાં 200થી વધારે કેસ નોંધવામાં આવ્યા અને 3473 લોકોની ધરપકડ કરાઇ છે. આ અંગેની જાણકારી પોલીસે આપી છે.
CRPFના ઘરે ગયેલા જવાનોની રજા 3 મે સુધી વધારવામાં આવી
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) એ લૉકડાઉનની નવી સમયમર્યાદા 3 મે સુધી પોતાના એ જવાનો માટે વધારી દીધી છે, જે ઘરે ગયા છે.
ભારતે કોરોના વાયરસના કેસ જાણવા માટે તપાસ પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર : વિશેષજ્ઞો
વિશેષજ્ઞોએ કહ્યું કે ભારતે કોરોના વાયરસના સંક્રમણની શોધ ચલાવવા માટે તપાસને વધુ ઝડપી બનાવવાની જરૂરિયાત છે. જેથી મહામારી પર સમય રહેતા કાબુ મેળવી શકાય. આઇસીએમઆરના આંકડા અનુસાર, 14 એપ્રિલ સુધીમાં 2,44,893 નમૂનાઓની તપાસ કરવામાં આવી જે એક દિવસ પહેલા તપાસ કરવામાં આવેલા 2,17,554 નમૂનાઓથી 27,339 વધારે છે.
રાહુલ ગાંધીની સરકારને અપીલ, તાત્કાલિક રાશન કાર્ડ જાહેર કરવામાં આવે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો છે. તેઓએ કહ્યું કે અનાજના ભંડારોમાં અનાજ સડી રહ્યું છે અને સેંકડો લોકો ભૂખ્યા પેટે રાહ જોઇ રહ્યા છે. આ સંકટના સમયમાં અમાનવીય છે. રાહુલ ગાંધીએ સરકારને અપીલ કરતા કહ્યું કે આ સંકટમાં તાત્કાલિક રાશન કાર્ડ જાહેર કરવામાં આવે. આ એ તમામ લોકો માટે હોય, જે આ લૉકડાઉનમાં અનાજની અછતનો સામનો કરી રહ્યા છે.
રેલવે સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે લગભગ 1.30 લાખ PPE બનાવશે
કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા લોકોની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે રેલવે આ મહીને લગભગ 30,000 પીપીઇ બનાવશે. જ્યારે આવતા મહીને એક લાખ પીપીઇનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
દિલ્હીના યમુના નદીના કિનારે મજૂરો એકઠા થયા
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લૉકડાઉન વચ્ચે દિલ્હીના યમુના નદીના કિનારે મજૂરો એકઠા થયા છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેઓએ કહ્યું કે યમુના ઘાટ પર મજૂરો એકઠા થયા. તેમના માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી દેવાઇ છે. તેઓે કહ્યું કે તેમને તાત્કાલિક શિફ્ટ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. રહેવા અને જમવાની કોઇ કમી નથી. કોઇને કોઇ ભૂખ્યુ અને ઘરવિહોણુ મળે તો અમને જરૂર જણાવે.
MSME માટે જલ્દી જ 10,000 કરોડ રૂપિયાના 'ફન્ડ ઓફ ફન્ડ્સ' ને મંજૂરી અપાશે : ગડકરી
સરકાર જલ્દી જ એમએસએમઇ માટે 10,000 કરોડ રૂપિયાના 'ફન્ડ ઓફ ફન્ડ્સ' ને મંજૂરી આપશે. કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નિતિન ગડકરીએ બુધવારે કહ્યું કે આ ફન્ડ શૅર બજારોમાં સૂચીબદ્ધ થવાની મંશા રાખનાર અને નાણા મેળવવાને ઇચ્છુક ઉચ્ચ ક્રેડિટ રેટિંગ વાળા એમએસએમઇમાં 15 ટકા સુધી ઇક્વિટી ખરીદવા માટે હશે.
લૉકડાઉન : રેલવેને 39 લાખ ટિકિટ રદ્દ થવાથી 660 કરોડનું નુકશાન
દેશવ્યાપી લૉકડાઉનની સમયમર્યાદા 15 એપ્રિલથી વધારીને 3 મે સુધી કરવાના નિર્ણયને કારણે રેલવેની આવકમાં લગભગ 660 કરોડ રૂપિયાનું નુકશાન થશે. આ દરમિયાન બુક કરાયેલ 39 લાખ ટિકિટ રદ્દ કરવી પડશે.
પ્રવાસીઓ માટે ટ્રેન શરૂ કરવાની કરી હતી માંગ, કેન્દ્રે નથી આપ્યો જવાબ : મંત્રી
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પ્રવાસી મજૂરો માટે મુંબઇથી બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો માટે વિશેષ ટ્રેન ચલાવવાની માંગ કરી હતી. જેના પર કોઇ જવાબ આવ્યો નથી. રાજ્યના એક મંત્રીએ બુધવારે આમ વાત કહી છે.
શરૂઆતમાં 15-20 ટકા કર્મચારીઓને ઓફિસ બોલાવશે આઇટી કંપનીઓ : નાસ્કૉમ
આઇટી ઉદ્યોગના સંગઠન નાસ્કૉમે કહ્યું કે આઇટી કંપનીઓ કર્મચારીઓને ચરણબદ્ધ રીતે ઓફિસેથી કામ કરવા માટે બોલાવશે. શરૂઆતમાં 15થી 20 ટકા કર્મચારીઓને જ ઓફિસે બોલાવવામાં આવશે.
કેન્દ્રે રાજ્યોને કહ્યું, લૉકડાઉનના દિશાનિર્દેશોનું કડક પાલન કરાવવામાં આવે
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દેશમાં કોવિડ 19 વૈશ્વિક મહામારી પર અંકુશ લગાવવા માટે લાગુ લૉકડાઉન સંબંધિત દિસાનિર્દેશો પર કડક રીતે અમલીકરણ સુનિશ્ચિત કરવા કહ્યું છે. નહીંતર તેમા નિષ્ફળ રહેનારને 20 એપ્રિલથી આપવામાં આવનારી છૂટ પાછી ખેંચવામાં આવશે.
મજૂરોને શહેરોથી તેમના ઘેર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે : પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે પીએમ મોદીને અપીલ કરી છે કે અલગ-અલગ જગ્યાઓએ ફંસાયેલા મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે.
ભારતમાં કોરોનાના સંક્રમણના કુલ કેસની સંખ્યા 11933 થઇ, 1344 દર્દીઓ બીમારીથી મુક્ત થયા
ભારતમાં કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસની સંખ્યા 11933 થઇ ગઇ છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 392 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે 1344 દર્દીઓ આ ઘાતક બીમારીને હરાવવામાં સફળ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1118 નવા કેસ સામે આવ્યા છે અને 39 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે લૉકડાઉનની સમયમર્યાદા 3 મે સુધી વધારી દેવાઇ છે. જોકે, 20 એપ્રિલથી લૉકડાઉન દરમિયાન એ વિસ્તારોમાં કેટલીક છૂટ અપાશે જ્યાં કોરોનાના કેસ ઓછા નોંધાયા છે.
કોરોના વાયરસ 207 ક્ષેત્રોમાં ફેલાવાની આશંકા : સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે કોરોના વાયરસના 207 ક્ષેત્રોમાં ફેલાવાની આશંકા છે. આ રણનીતિમાં બફર ઝોનને ચિન્હિત કરવાની સાથે કેન્ટેન્મેન્ટ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, જરૂરી સેવાઓ અને અન્ય પ્રકારની ગતિવિધિઓ મર્યાદિત કરી દેવાશે. કન્ટેન્મેન્ટ ઝોન માટે સ્પેશિયલ ટીમ બનાવામાં આવશે.
કેન્દ્રે સુપ્રીમ કોર્ટને કહ્યું, સફાઇકર્મીઓને સુરક્ષા કિટ આપવામાં આવી
કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે દેશમાં સફાઇકર્મીઓને જરૂરી સુરક્ષા કિટ પ્રદાન કરી દેવાઇ છે અને કોરોના વાયરસના સંબંધમાં ઓથોરિટી ડબલ્યૂએચઓના દિશાનિર્દેશોનું પાલન કરે છે.
લૉકડાઉન વધારવામાં આવ્યા છતા ચાલુ રહેશે બેન્ક, વીમાનું કામ : સરકાર
સરકારે લૉકડાઉનની વધારવામાં આવેલી સમયમર્યાદાને લઇને દિશાનિર્દેશ જારી કરતા બુધવારે કહ્યું કે બેન્ક અને વીમા જેવી મહત્વપૂર્ણ નાણાકીય સેવાઓ સાથે જોડાયેલલા કામ પહેલાની જેમ ચાલતા રહેશે.
કોરોના વાયરસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની WHO સાથે બેઠક
કોરોના વાયરસથી બગડતી સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આજે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના અધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી. જેમા તેઓે ડબલ્યૂએચઓને દેશમાં કોરોના સંક્રમણને રોકાવને લઇને ઉપાયો વિશે જાણકારી આપશે.
ગુજરાત : 11 દિવસનું બાળક કોરોના વાયરસ પોઝિટિવ, રાજ્યમાં 700 સંક્રમિત
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસનો આંકડો 700ને પાર કરી ગયો છે. ગુજરાતમાં એક 11 દિવસનું બાળક કોરોના વાયરસ પોઝિટિવ આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 30 લોકોના મોત થઇ ચૂક્યા છે.
38 deaths and 1076 new cases reported in last 24 hours. India's total number of #Coronavirus positive cases rises to 11,439 (including 9756 active cases, 1306 cured/discharged/migrated and 377 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/adKkJ593If
— ANI (@ANI) April 15, 2020
દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 10,363 થઇ
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 10,363 થઇ ગઇ છે. તેમાંથી 8988 એક્ટિવ કેસ છે અને 1035 દર્દીઓ આ બીમારીથી ઠીક થઇ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 339 લોકોના મોત થયા છે. આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 1211 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે.
We've decided to focus on these areas to control spread of #Coronavirus. From 6 AM tomorrow till 21st April 6 AM curfew to remain imposed in Danilimda, Jamalpur&Dariyapur. From 1-4 pm daily curfew will be lifted but only women of these areas will be given this freedom: Gujarat CM https://t.co/oxnEjpAdlP
— ANI (@ANI) April 14, 2020
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ
જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી હોમ ક્વોરેન્ટાઈન મામલે આજે તબીબી તજજ્ઞોની સલાહ લેશે અને તબીબી તજજ્ઞોના અભિપ્રાય બાદ આગળનો નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે, ઈમરાન ખેડાવાલાએ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. જો કે આ બેઠક દરમિયાન ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રીથી 15 થી 20 ફૂટ દૂર બેઠા હતા. પરંતુ ઈમરાન ખેડાવાલાએ માસ્ક પહેર્યુ નહતું. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણી હોમ ક્વોરેન્ટાઈન મામલે તબીબી તજજ્ઞોના અભિપ્રાય બાદ આગળનો નિર્ણય લેશે.
અમદાવાદમાં કોરોનાનું મહાસંકટ ઘેરાયું
અમદાવાદમાં કોરોના વાયરસનું મહાસંકટ ઘેરાતું જતું હોવાથી આજથી કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આજથી 21 એપ્રિલ સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આરોગ્યની સેવા અસરકારક રીતે પહોંચાડવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇ ચેકિંગ કરશે. આ સાથે જ બપોરે 1.00 થી 4.00 કલાક સુધી કર્ફ્યુમાં ઢીલ અપાશે. જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે છુટ આપવામાં આવશે. માત્ર મહિલાઓ જ ચીજવસ્તુઓ લેવા જઇ શકશે. આ સાથે જ કોટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સંવેદનશીલ વિસ્તારમાં મહિલા CRPFની ટીમ તૈનાત કરવામાં આવી છે આ સિવાય પોલીસ, RAF અને CRPFની ટીમનો બંદોબસ્ત કરાયો છે.
Total number of #Coronavirus positive cases in the state stands at 483, including 16 discharged people and 9 deaths: Andhra Pradesh government pic.twitter.com/M1RjiwNGOg
— ANI (@ANI) April 14, 2020
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ, કુલ આંકડો 650 પર પહોંચ્યો
રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાય છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 22 કેસ નોંધાયા બાદ રાજ્યમાં હાલ 650 કુલ કેસ છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં આજે 2 લોકોના મોત થયાં છે. 8 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં પણ એક 28 વર્ષની મહિલાને સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. આ સાથે ભાવનગરમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે જ તેમણે છેલ્લા 24 કલાકના ટેસ્ટને લઇને જાણકારી આપતા કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 15984 કેસ થયાં છે.
તમામ રેલ્વે 3 મે સુધી થઈ છે કેન્સલ
No plan to run any special train till May 3, says Ministry of Railways
— ANI Digital (@ani_digital) April 14, 2020
Read @ANI Story | https://t.co/Ay0ZL71Zmj pic.twitter.com/xFCn1L2Dnb
હીરો મોટો કોર્પ કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે 60 એમ્બ્યૂલન્સ ઉપલબ્ધ કરાવશે
બાઇક અને સ્કૂટર બનાવનારી હીરો મોટો કોર્પે મંગળવારે કહ્યું કે તે કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ અભિયાનમાં મદદ કરવા માટે 60 મોબાઇલ એમ્બ્યૂલન્સ દાન સ્વરૂપ આપી રહી છે. કંપનીએ કહ્યું કે મોબાઇલ એમ્બ્યૂલન્સ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓ સુધી પહોંચવામાં અને તેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં સફળ બનશે.
Number of containment zones in Delhi increases to 55 after 7 more areas have been included in the list. #Coronavirus pic.twitter.com/tNFv0R9Lsq
— ANI (@ANI) April 14, 2020
દિલ્હીમાં લૉકડાઉનના નિયમ પૂર્ણ રીતે લાગુ થશે : કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે દિલ્હી સરકાર કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પીએમ મોદીની તરફથી જાહેર લૉકડાઉનના ઉપાયોને પૂર્ણ રીતે લાગૂ કરશે.