દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 9352 કેસ નોંધાયા છે. જ્યારે 980 લોકો આ વાયરસથી ઠીક થયા છે અને કોરોનાથી કુલ 324 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસથી 35 લોકોના મોત થઇ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 52 નવા કેસ, દર્દીઓની સંખ્યા થઇ 2334
કોરોના વાયરસથી દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં આજે 52 કેસ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 2334 થઇ ગઇ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યં કે લૉકડાઉને લાખો ખેડૂતો, પ્રવાસી મજૂરો, છૂટક મજૂરી કરનાર માટે અસહનીય દુ:ખ અને પીડાને જન્મ આપ્યો છે. કોરોના વાયરસ હૉટસ્પોટને અલગ કરવા માટે મોટા પાયે પરીક્ષણ (ટેસ્ટ) નો ઉપયોગ કરીને અને અન્ય ક્ષેત્રોમાં વ્યવસાયોને ફરીથી ખોલવા માટે તેને સ્માર્ટ અપગ્રેડની આવશ્યકતા છે.
किसानों,श्रमिकों,दिहाड़ी मज़दूरों,व्यापारियों,सभी को एक पैमाने से नहीं देखा जा सकता।पूर्ण लॉकडाउन कई वर्गों के लिए विपदा बन गया है।देश को “स्मॉर्ट” समाधान की ज़रूरत है:बड़े स्तर पे टेस्ट,वाइरस हॉटस्पॉट की पहचान और घेराव,बाक़ी जगहों पर सावधानी से धीरे-धीरे काम-काज शुरू होना चाहिए।
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવ્હાડ સાથે જોડાયેલા 14 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ સાથે જ જિતેન્દ્ર અવ્હાડે ખુદને પણ ક્વૉરન્ટાઇન કરી દીધા છે.
UPમાં કોરોના વાયરસના આજે 75 નવા કેસ
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના આજે 75 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ અહીં કોરોના કેસની સંખ્યા 558 થઇ ગઇ છે.
અરુણાચલ પ્રદેશમાં વધારવામાં આવ્યું લૉકડાઉન
અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે. મુખ્ય સચિવ નરેશ કુમારે તેની જાહેરાત કરી. અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસનો માત્ર એક કેસ નોંધાયો છે.
દિલ્હીના ગંગારામ હોસ્પિટલના ત્રણ સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. બે સપ્તાહ પહેલા હોસ્પિટલે 115 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વૉરન્ટાઇન કર્યા હતા. 112 સ્વાસ્થ્ય કર્મચારીઓનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 3 સ્વાસ્થ્ય કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.
કોંગ્રેસની પીએમ મોદી સમક્ષ લોકોને સપ્ટેમ્બર સુધી અનાજ ઉપલબ્ધ કરાવવાની માંગ
કોંગ્રે્સ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પીએમ મોદીને આગ્રહ કર્યો કે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા તમામ લાભાર્થીઓને સપ્તેમ્બર મહીના સુધી પ્રતિ વ્યક્તિ 10 કિલોગ્રામ અનાજ (માસિક) ઉપલબ્ધ કરાવવામાં આવે અને મુશ્કેલીમાં મુકાયેલા એ લોકોને પણ રાહત આપવામાં આવે જેમની પાસે રાશન કાર્ડ નથી.
વિદ્યાર્થીઓને લઇને યોગી સરકારનો નિર્ણય
ઉત્તર પ્રદેશ સરકારે ધોરણ 6, 7, 8, 9, અને 11ના તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી લાખો સ્ટૂડન્ટ્સને રાહત મળશે.
Students of 6th, 7th, 8th, 9th & 11th standard of schools affiliated to 'Uttar Pradesh Madhyamik Shiksha Parishad' (UP Board) to be promoted to the next standard, in view of #COVID19 pandemic: Aradhana Shukla, Principal Secretary, Secondary Education Department pic.twitter.com/13lc5sfgQO
ભારતમાં ફસાયેલા વિદેશીઓના વિઝા 30 એપ્રિલ સુધી વધારાયા
સરકારે કોરોના વાયરસને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના વિઝા 30 એપ્રિલ સુધી વધારી દીધા છે. ભારતમાં હાલ લૉકડાઉન જારી છે અને કોરોના વાયરસ મહામારીને લઇને તમામ ટ્રાફિક સેવાઓ બંધ છે.
24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસથી 35 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 9152 કેસ નોંધાયા છે. જ્યારે 856 લોકો આ વાયરસથી ઠીક થયા છે અને કોરોનાથી કુલ 308 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસથી 35 લોકોના મોત થઇ ચૂક્યા છે.
પ્રમુખ શૅર બજાર એનએસઇએ સોમવારે કહ્યું કે તેણે કોરોના વાયરસ મહામારીની રોકથામ માટે સરકારના પ્રસાયોમાં મદદ કરવા માટે પીએમ કેર ફન્ડ અને કેટલીક રાજ્ય સરકારોના રાહત ફન્ડમાં 26 કરોડ રૂપિયાની મદદ કરી છે.
GDPના 5-6 ટકા બરાબર આર્થિક પેકેજની જાહેરાત કરે વડાપ્રધાન મોદી : કોંગ્રેસ
કોંગ્રેસે લૉકડાઉનને ક્રમબદ્ધ રીતે ખોલવાની વાત કરતા સોમવારે કહ્યું કે પીએમ મોદી કોરોના સંકટની માર ઝેલી રહેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે દેશની જીડીપીના 5થી 6 ટકા રાશિ બરાબર આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઇએ.
પંજાબ અને તામિલનાડુમાં 11-11 લોકોના મોત
પંજાબ અને તામિલનાડુમાં 11-11 લોકોના મોત થયા છે. તેલંગાણામાં 9, આ ઉપરાંત પ.બંગાળમાં અને આંધ્ર પ્રદેશમાં 7-7, કર્ણાટકમાં 6, ઉત્તર પ્રદેશમાં 5, જમ્મૂ કાશ્મીરમાં 4, હરિયાણા અને રાજસ્થાનમાં 3-3, કેરળ અને ઝારખંડમાં 2-2, બિહાર, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા અને આસામમાં એક-એક વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થયું છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
આવતીકાલે PM મોદી દેશને કરશે સંબોધન, લૉકડાઉન અંગે કરી શકે છે આ જાહેરાત
આવતીકાલે 21 દિવસનું લૉકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે PMO દ્વારા આજે ટ્વિટ કરીને જાણકારી અપાઈ હતી કે આવતીકાલે સવારે 10 વાગ્યે PM મોદી દેશને સંબોધન કરશે. આ સંબોધન PM મોદી લૉકડાઉન 2.0 જાહેર કરી શકે તેવી શક્યતા રહેલી છે. માનવામાં આવી રહ્યું છે કે જો લૉકડાઉન દેશમાં લંબાય છે તો કેટલીક છૂટછાટ અને શરતા સાથે દેશમાં લૉકડાઉન લંબાવી શકાય છે. આ મુદ્દે પણ PM મોદી પોતાના સંબોધનમાં વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ 11 એપ્રિલે રાજ્યોના તમામ CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી અને લૉકડાઉન લંબાવવા અંગે ગહન ચર્ચા કરી હતી. આવામાં કેટલાંક રાજ્યો દ્વારા અગાઉથી જ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દેવાયું છે.
જરૂરી ટ્રાંસપોર્ટ પણ શરૂ કરવામાં આવે
આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રમિકોને કામના સ્થળે રહેવાની પરમિશન મળે તો આવાસ અને નિર્માણ ક્ષેત્રનું કામ પણ શરૂ થઈ શકે છે. વિભાગના રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર દરેક પ્રકારના પરિવહનના વાહનોને ચલાવવાની અનુમતિ આપવાની માંગ પણ કરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે આર્થિક સ્થિતિમાં સુધાર અને લોકોના હાથમાં રૂપિયા પહોંચાડવા માટે આ પગલું લેવું જરૂરી છે.
#WATCH Union Minister Prakash Javadekar seen holding a meeting with officials of Information and Broadcasting Ministry, at Shastri Bhawan, Delhi pic.twitter.com/QYAClWinjT
PMOના આદેશ બાદ આજે 2 અઠવાડિયા પછી કેન્દ્ર સરકારના દરેક મંત્રીઓએ પોતાનું કામ ઓફિસ આવીને શરૂ કર્યું છે. આજથી ઓફિસ આવનારા મંત્રીઓમાં સૂચના અને પ્રસારણ મંત્રી, રસાયણમંત્રી, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને યુવા મામલાના મંત્રી કિરેન રિજીજૂ હાજર રહ્યા હતા. તમામ મંત્રીઓ કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને કામ કરશે.
આ રાજ્યોમાં વધારી દેવામાં આવ્યું છે લૉકડાઉન
મહત્વનું છે કે 11 એપ્રિલે PM મોદીની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી બેઠક બાદ કેટલાંક રાજ્યોએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો. દેશમાં સૌપ્રથમ ઓરિસ્સાએ તો 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ (1 મે), પ.બંગાળ, અને તમિલનાડુ એ પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધો છે.
Construction on government projects will resume from April 15 in Uttar Pradesh while maintaining norms of social distancing by workers: Deputy Chief Minister Keshav Prasad Maurya #CoronavirusPandemicpic.twitter.com/dKuFgptnP9
CMO સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહી થાય. તેમ જ માર્ચ-એપ્રિલ-મે ની ત્રણ મહિનાની ફી સપ્ટેબર સુધી ભરી શકાશે. આ ફી માટે વાલીઓ માસિક હપ્તો પણ ભરી શકશે. તેમણે તેમ પણ કહ્યું કે કોઈ સ્કૂલ વાલી પર ફીને લઈને દબાણ નહીં કરી શકે.કોલેજ, યુનિવર્સિટીમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશન અપાયું છે. જ્યારે 18 મે થી આગળના સમયમાં પરીક્ષા લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. વધુમાં બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને કહ્યું હતું કે 16 એપ્રિલથી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકડાઉન-2ની તૈયારી
લોકડાઉન-2 દરમિયાન કેટલાક સેક્ટરમાં અપાઈ શકે રાહત
દેશમાં ખેડૂતોને અપાયેલી છૂટ યથાવત રહે તેવી શક્યતાઓ
ખેત સામગ્રી કે ઉપજ ગ્રાહકોને ડાયરેક્ટ મળે તેવી વ્યવસ્થા થઈ શકે
રેડ અને ઓરેંજ ઝોનમાં શાકભાજી ઘરે પહોચવાની થશે વ્યવસ્થા
માછીમારી ઉદ્યોગને પણ આંશિક છૂટ આપવાની અટકળો પણ તેજ
હોટસ્પોટ, કન્ટોન્મેંટ સિવાયના વિસ્તારોને મળી શકે આંશિક છૂટ
MSME એક્સપોર્ટ, વીજઉપકરણો બનાવતી કંપનીને સામાન્ય છૂટની શક્યતા
SEZs, EOUs, ટેલીકોમ કંપની, ઓટોમોબાઈલ્સને મળી શકે છૂટ
હાઉસિંગ અને કંસ્ટ્રક્શન વિભાગને સામાન્ય છૂટ અપાઈ શકે છે
સિમેન્ટ, ફર્ટીલાઈઝર, ડિફેન્સ સામગ્રી બનાવતી કંપનીઓ શરૂ થઈ શકે
દેશમાં ટ્રેન-બસના વિશેષ રૂટ તબક્કાવાર શરૂ કરવાની પણ વિચારણા
આવતીકાલે લોકડાઉન-1નો સમયગાળો પૂર્ણ થતા થઈ શકે જાહેરાત
મહારાષ્ટ્રના મંત્રીએ સેલ્ફ ક્વૉરન્ટાઈન કર્યુ
મહારાષ્ટ્રના મંત્રી જીતેન્દ્ર આવ્હાડે સેલ્ફ ક્વૉરન્ટાઈન થયા છે. સુરક્ષાને લઈને પોતાને ક્વૉરન્ટાઈન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસકર્મીના સંપર્કમાં મંત્રી આવ્યા હતા.
22 more #COVID19 cases & 2 more deaths (Ahmedabad & Vadodara) related to the virus reported in Gujarat. Total coronavirus positive cases in the state at 538, including 26 deaths & 47 discharged: Gujarat Health Department
ગુજરાતમાં આજે કુલ 22 નવા કેસ આવ્યા જેમાં 13 કેસ અમદાવાદના છે. અમદાવાદના જમાલપુર, મણિનગર, ગુલબાઈ ટેકરા, મહેંદીકૂવા, બહેરામપુરા, વેજલપુર, વટવા વિસ્તારનો સમાવેશ થાય છે.
કેરળમાં કોરોનાના 376 કેસ
કોરોનાને લઇને દક્ષિણના રાજ્ય કર્ણાટક અને કેરળમાં પણ હૉટસ્પોટને સીલ કરી દેવાયા છે. ભારતમાં કોરોનાનો સૌથી પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. ત્યારે હાલ કેરળમાં કોરોનાના 376 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. તો કેરળના તિરુવનંતપુરમમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી લોકોને જવા દેવામાં આવે છે. અને કામ વિના બહાર આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો કર્ણાટકમાં પણ 232 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. કર્ણાટકમાં પણ પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હુબલીના અશોકનગરમાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કર્ણાટકના કેટલાક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
A total of 1,95,748 samples from 1,81,028 individuals have been tested as on 12 April 2020, 9 PM: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/rkQzLahxE3
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 221 કેસ નોંધાયા તો 22 લોકોના મોત પણ થયા છે. લોકડાઉન બાદ પણ સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 149 લોકોના મોત થયા છે અને 1982 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી મુંબઈમાં કુલ 92 લોકોના મોત થયા છે.
221 new COVID-19 positive cases, 22 deaths reported in Maharashtra today
એક જમાતીને કોરોના પોઝિટિવ આવતા ઉત્તરપ્રદેશના 14 ગામોને સીલ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ જમાતના કાર્યક્રમમાંથી પરત આવ્યો હતો. આંધ્રપ્રદેશનો વ્યક્તિ UPની મસ્જીદમાં રહેતો હતો. આ સાથે જ અન્ય શંકાસ્પદ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Increase of 918 new #COVID19 cases and 31 deaths in last 24 hours; India's total number of #Coronavirus positive cases rises to 8447 (including 7409 active cases, 765 cured/discharged/migrated and 273 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/UxUGztmPFG
There are 43 containment zones in Delhi today. If there are 3 or more positive cases in an area then we are declaring it a hotspot. 180 random samples were collected from Dilshad Garden yesterday. Rapid testing kits are awaited: Delhi Health Minister Satyendra Jain pic.twitter.com/CBP4xKYhuq
દિલ્હીમાં 43 હૉટસ્પોટને સીલ કરી દેવાયા છે. આ સાથે જ દિલ્હીવાસીઓની સુરક્ષા માટે દિલ્હીમાં સેનિટાઈઝેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે.
Delhi: Chaudhary Shora Mohalla, Gadi Jhadiya Madiya has been declared a 'containment zone' after COVID10 positive cases were found here pic.twitter.com/N6qI9JEBcL
લોકડાઉન વચ્ચે આજથી મંત્રાલયોમાં કામકાજ શરૂ થશે. દિલ્હીના તમામ મંત્રાલયો આજથી રાબેતા મુજબ કામ શરૂ કરશે.
અમદાવાદમાં આજથી જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત
શહેરના તમામ વિસ્તારમાં જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત કરાયું છે. માસ્ક ન પહેરનારાને 5 હજાર સુધીનો દંડ કરવામાં આવી શકે છે. માસ્ક ન પહેરનારને પ્રથમ વખત 1 હજારનો દંડ થશે. એકથી વધુ વખત નિયમનો ભંગ કરશો તો 5 હજારનો દંડ કરાશે, દંડ ન ભરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સાથે જ દંડ ન ભરનારને 3 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર
અમદાવાદના બફર ઝોન સિવાયના વિસ્તારમાંથી કેસ આવતા ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના અન્ય વિસ્તારો જેમકે મોટેરા, મણિનગર, નરોડા, ઓઢવ, નારણપુરામાંથી પોઝિટિવ કેસો સામે આવ્યા છે. વધારે પોઝિટિવ કેસ આવતાં કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. શરૂઆતમાં માત્ર બફર ઝોનમાં જ પોઝિટિવ કેસો સામે આવ્યા હતા પરંતુ હવે આ સિવાયના વિસ્તારોમાંથી પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો
ગુજરાતમાં ગત 24 કલાકમાં 51 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ 519 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 282, સુરતમાં 31 કેસ નોંધાયા છે. રાજકોટમાં 18, વડોદરામાં કુલ 101 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં કુલ 15, ભાવનગરમાં 23 કેસ, કચ્છમાં કુલ 4, મહેસાણામાં 2 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગીરસોમનાથમાં 2 કેસ, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1 કેસ, પાટણમાં 14, છોટાઉદેપુરમાં 3 કેસ, જામનગરમાં 1, મોરબીમાં 1 કેસ, આણંદમાં 8, સાબરકાંઠામાં 1 કેસ, દાહોદમાં 1, ભરૂચમાં 8 કેસ નોંધાયો છે. કોરોનાથી રાજ્યમાં કુલ 25 લોકોના મોત થયા છે તો 44 લોકો સ્વસ્થ થયા છે.