ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 273 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 8447 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, ગત 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના કુલ 909 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 34 લોકોના મોત થયા છે અને 765 લોકો આ વાયરસથી ઠીક થયા છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
AIIMSમાં તહેનાત પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ
દિલ્હીના એમ્સ ટ્રોમા સેન્ટરમાં તહેનાત પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. એએસઆઇ વિજેન્દ્ર ચોકીમાં તહેનાત હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 3 પોલીસ જવાન કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
સરકાર વિદેશી કંપનીને ભારતીય કોર્પોરેટ પર નિયંત્રણની મંજૂરી ન આપે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે આર્થિક મંદીએ ઘણી ભારતીય કોર્પોરેટને કમજોર બનાવી દીધી છે અને તેઓએ સરકારને રાષ્ટ્રીય સંકટના આ સમયમાં કોઇ વિદેશી કંપની દ્વારા દેશના કોઇ કોર્પોરેટનું નિયંત્રણ પોતાના હાથમાં ન લઇ શકવાને લઇને સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, મોટા પાયે આર્થિક મંદીએ ઘણી ભારતીય કોર્પોરેટ્સને કમજોર કરી દીધી છે, જેથી તેમને અધિગ્રહણ માટે આકર્ષક લક્ષ્ય બનાવાઇ છે. રાષ્ટ્રીય સંકટના સમયમાં સરકારે કોઇપણ વિદેશી લાભને જોતા ભારતીય કોર્પોરેટ પર નિયંત્રણ રાખવાની મંજૂરી આપવી જોઇએ નહીં.
UPમાં 15 એપ્રિલથી જિલ્લાઓમાં ઓનલાઇન રજિસ્ટ્રી
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. 15 એપ્રિલથી જિલ્લાઓમાં ઓનલાઇન રજિસ્ટ્રી શરૂ થઇ જશે. તેની સાથે રેસ્ટોરન્ટ પણ ઓનલાઇન ડિલિવરી કરી શકશે. યોગી સરકારે કહ્યું કે હાલ સ્કૂલો-કોલેજ બંધ રહેશે.
વારાણસીમાં 126 લોકો હોમ ક્વૉરન્ટાઇન કરાયા
વારાણસીમાં 126 કોરોના શંકાસ્પદને સરકારી ક્વૉરન્ટાઇન સેન્ટરથી હોમ ક્વૉરન્ટાઇન કરાયા છે. આશા મહાવિદ્યાલય બાબતપુરથી 45, જવાહર નવોદય વિદ્યાલય ગજોધર પિંડરાથી 11 અને જાગરણ પબ્લિક સ્કૂલ કૃષ્ણાનગર, રાજાતાલાબથી 70 લોકો હોમ ક્વૉરન્ટાઇન કરાયા છે. આશા મહાવિદ્યાલયમાં 69, જવાહર નવોદય સ્કૂલ પિન્ડરામાં 255 અને જાગરણ પબ્લિક સ્કૂલમા 200 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા હતા.
મુંબઇમાં 12 કલાકમાં 113 કેસ
મુંબઇમાં ગત 12 કલાકમાં 113 કેસ સામે આવ્યા છે. જ્યારે ધારાવીમાં 15 નવા મામલાની પુષ્ટી થઇ છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થઇ ચૂક્યા છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 43 હૉટસ્પોટ સીલ
દિલ્હીમાં હૉટસ્પોટ વિસ્તારોની સંખ્યા હવે 43 થઇ ગઇ છે. શનિવારે સુધીમાં આ સંખ્યા 33 હતી. રવિવારે મદનપુર ખાદર, અબુલ ફજલ એનક્લેવ, ઇસ્ટ ઓફ કૈલાશ, ખડ્ડા કોલોની જેતપુર એક્ટેન્શન, બંગાળી કોલોની, મહાવીર એનક્લેવ, શેરા મોહલ્લા ગઢી નવા વિસ્તારો સીલ કરાયા છે.
કોરોનાથી બચાવવાની સંભવ તમામ કોશિશ કરી રહ્યા છીએ : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે અમેરિકા જેવી સ્થિતિ બને. આ માટે અમે લોકોને કોરોનાથી બચાવવા સંભવ તમામ કોશિશ કરી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે હાઇ રિસ્ક ઝોનમાં સેનેટાઇઝેશન કરાઇ રહ્યું છે. કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ઓપરેશન શીલ્ડ ચલાવી રહ્યા છીએ.
ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો ઉપમહાદ્વીપમાં કોરોના મહામારી ફેલાવી શકે છે : વર્લ્ડ બેન્ક
વિશ્વ બેન્કે રવિવારે કહ્યું કે ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો અપ્રભાવિત રાજ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ ફેલાવી શકે છે. પ્રારભિંક પરિણામ બતાવે છે કે ભારતમાં જે વિસ્તારોમાં આ લોકો પરત ફરી રહ્યા છે ત્યાં કોરોના વાયરસના કેસ સામે આવી શકે છે.
કેન્દ્રએ પંજાબને જારી કર્યું 1237 કરોડ રૂપિયાનું બાકી જીએસટી વળતર
કેન્દ્ર સરકારે પંજાબ સરકારને જીએસટી વળતરના 1237 કરોડ રૂપિયાનું બાકી વળતર જાહેર કર્યું છે. આ બાકી જીએસટી વળતર જુલાઇ 2017થી માર્ચ 2019ની સમયગાળાનું છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસના 796 કેસ
રાજસ્થાનનમાં કોરોના વાયરસ સંક્રમણના આંકડામાં વધારો થયો છે. રાજ્યમાં 45 નવા કેસ સાથે રવિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં એક જ દિવસમાં 96 કેસની પુષ્ટી થઇ છે. આમ રાજસ્થાનમાં કોરોના વાયરસના કુલ 796 કેસ નોંધાયા છે.
મુંબઇના ધારાવી વિસ્તારમાં કોરોના વાયરસના 15 નવા કેસ, 4ના મોત
મુંબઇના ધારાવી વિસ્તારમાં કોરોના વાયરસના 15 નવા કેસ નોંધાયા છે. ધારાવીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 43 કેસ સામે આવી ચૂક્યા છે. આ 43 કેસમાંથી 4 લોકોનું કોરોના વાયરસથી મોત થઇ ચૂક્યું છે.
ગત 24 કલાકમાં જ દેશમાં કોરોનાના કુલ 909 નવા કેસ સામે આવ્યા
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 273 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 8356 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, ગત 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના કુલ 909 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 34 લોકોના મોત થયા છે. જોકે, થોડી રાહત આપનારી વાત એ છે કે આ બીમારીથી અત્યાર સુધીમાં કુલ 716 લોકો ઠીક થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આઇસીએમઆરની રિપોર્ટ મુજબ દેશમાં 4.3 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 1 લાખ 86 હજાર સેમ્પલ લેવાઇ ચુક્યા છે. અમારુ સંપુર્ણ ધ્યાન તપાસ પર છે. રોજના 15,000થી વધારે ટેસ્ટિંગ થઇ રહ્યું છે. હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ વધારવામાં આવી રહ્યા છે. લગભગ 601 હોસ્પિટલમાં એક લાખથી વધારે બેડની વ્યવસ્થા કરાઇ છે.
ભારતમાં કોરોનાનો મૃત્યુદર ચોંકાવનારો
ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે એક ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. 7000 કોરોનાના દર્દીની સંખ્યાના આધારે જે દેશોમાં ભારતથી પણ ઓછા મોત થયા છે તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાંસ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે કોરોનાના સંક્રમણનો આંક 8000ને પાર છે ત્યારે મોતની સંખ્યા 273 છે. જર્મનીમાં 7000 કેસમાં માત્ર 13 લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં આ આંક 54 થયો છે.
આજે મહારાષ્ટ્રમાં કુલ નવા 134 કેસ નોંધાયા. મુંબઈમાં એક જ દિવસમાં 113 કેસ, ધારાવીમાં પણ 15 નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 1895 થઈ.
#WATCH Madhya Pradesh: Inspector-General of Police Vivek Sharma sings "Hum honge kaamyaab" & gives a message to encourage the Police personnel who are carrying out their duties in Indore, amid #CoronavirusPandemic.
મધ્યપ્રદેશમાં એક તરફ આરોગ્યમંત્રી નથી. તેવામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મધ્યપ્રદેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 546 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ કહેર ઈન્દોરમાં મચાવ્યો છે. જ્યાં કોરોનાના 298 કેસ નોંધાયા છે. તો ભોપાલમાં 131 કેસ નોંધાયા છે. ભોપાલમાં 2 IAS, ડોક્ટર અને પોલીસકર્મીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના એક IAS ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. IAS ઓફિસર સહિત 45 કર્મચારીઓ કોરોના સંક્રમિત છે. તો આરોગ્ય વિભાગમાં અધિકારી ડોક્ટરનો પુત્ર પણ સંક્રમિત છે. જ્યારે સૌરભ પુરોહિતનો 2 વર્ષના દીકરાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
134 new #Coronavirus positive cases reported in Maharashtra today - Mumbai 113, Raigad, Amravati, Bhiwandi, Pimpri-Chinchwad 1 each, Pune 4, Mira Bhayandar 7 and Navi Mumbai, Thane & Vasai Virar 2 each. The total positive cases in the state rise to 1895: State Health Department pic.twitter.com/Awb7GJ3RsK
11 more #COVID19 cases reported in Karnataka, taking the total number of coronavirus positive cases in the state to 226, including 6 deaths & 47 discharged. Of the 11 new positive cases, 7 have contact history and 1 have history of foreign travel: Karnataka Government pic.twitter.com/HrRSXEdvPP
અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યુ છે ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો માસ્ક નહીં પહેરો તો રૂા. 5000નો દંડ કરવામાં આવશે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી આ કાયદો અમદાવાદ મનપાની સરહદમાં લાગુ થઈ જશે. આ સિવાય 3 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. કરિયાણા, દૂધ, શાકભાજીથી લઈ તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે. બજારમાં મળે છે તે માસ્ક પણ ચાલશે. માસ્ક ન હોય તે હાથ રૂમાલ પણ બાંધી શકે છે. દુપટ્ટો કે કોઈ પણ કપડાથી મોં અને નાક ઢાંકવુ ફરજિયાત છે.
India's COVID-19 tally reaches 8356, death toll at 273
14 એપ્રિલ બાદ શરતોની સાથે લૉકડાઉન યથાવત રહી શકે છે
14 એપ્રિલ બાદ કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને દેશને રેડ, યલો અને ગ્રીન સેક્ટરમાં દેશને વહેંચવામાં આવી શકે છે. જ્યાં એક પણ કેસ નહીં હોય તે સ્થળનો સમાવેશ ગ્રીન ઝોનમાં થશે. જ્યાં ઓછા કેસ હશે તે યેલો અને જ્યાં વધુ કેસ હશે તેનો સમાવેશ રેડ ઝોનમાં કરવામાં આવશે. રેડ ઝોનમાં સંપૂર્ણ રીતે લૉકડાઉન રહેશે. ગ્રીન ઝોનમાં થોડી છૂટછાટ આપવામાં આવશે. ગ્રીન ઝોનમાં રોજગારની ગતિવિધિઓ પહેલાની જેમ ચાલી શકશે. ગ્રીન ઝોનમાં સરકારી ઓફિસમાં પણ કામ શરૂ કરવાની છૂટ મળી શકે છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ખેતી સાથે જોડાયેલા કામને કેટલાક નિયમો સાથે છૂટ આપવામાં આવી શકે છે. સાથે જ એક લિમિટમાં હવાઈ, ટ્રેન મુસાફરીમાં છૂટ મળી શકે છે. સ્કૂલ અને કોલેજો પણ બંધ રહેશે.
51 new #Coronavirus cases have been reported in the state today - 15 in Banswara, 8 in Bikaner, 1 in Churu, 15 in Jaipur, 1 in Jaisalmer, 8 in Jodhpur, 1 in Sikar & 2 in Haunmangarh. Total positive cases in the state rises to 751: Rajasthan Health Department pic.twitter.com/zxWxTzma6d
મુંબઈના ધારાવીમાં કોરોનાના વધુ 15 કેસ સામે આવ્યા છે. ધારવીમાં કોરોનાના અત્યાર સુધીમાં 43 કેસ નોંધાયા છે. કોરોનાથી અત્યાર સુધી 4 લોકોના મોત પણ થયા છે. જ્યારે મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1100ને પાર થઈ છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 1700થી વધુ થઈ છે.
Maharashtra: Barricades have been put up in Nagpur's Satranjipura & Mominpura areas that have been designated as #COVID19 hotspots. 1761 COVID-19 cases including 127 deaths have been reported in Maharashtra, according to State Health Department. pic.twitter.com/bnz64kuo7z
ઉત્તર પ્રદેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 460 પાર પહોંચી ગઇ છે. જેને લઇ યોગી સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. હાલ યુપીના હોટસ્પોટ ઝોનને સીલ કરી લોકોની અવરજવર બંધ કરી દેવાઇ છે. વારાણસી, મુરાદાબાદ, કાનપુર, લખીમપુર, બુલંદશહેર સહિતના કેટલાક વિસ્તારોમાં હોટસ્પોટ ઝોનને સીલ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. ત્યારે યુપીમાં નોંધાયેલા કેસમાંથી 250થી વધુ દર્દીઓ તબલીગી જમાતના છે.
જમ્મૂ કાશ્મીરને રેડ ઝોન જાહેર કરાયો
જમ્મૂ-કશ્મીરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેને લઇ હાલ જમ્મૂના કેટલાક વિસ્તારને રેડ ઝોન જાહેર કરી અને સુરક્ષાબળોનું સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે. સાથે જ સતત ટેસ્ટ કરવામાં પણ આવી રહ્યાં છે. તો શ્રીનગરમાં પણ રેડ ઝોન વિસ્તારમાં સુરક્ષા બળોની સંખ્યા વધારી દેવાઈ છે. અને સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને કામ વિના બહાર આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
25 more #COVID19 cases reported in Gujarat (23 in Ahmedabad & 2 in Anand), taking the total number of positive coronavirus cases in the state to 493. One more COVID19 related death also reported in Ahmedabad: Gujarat Health Department
ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કેસ અને કોરોના વાયરસની અસર વિશે માહીતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 25 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 અને આણંદના 2 કેસ છે. અમદાવાદમાં એકનું મોત થતા મોતનો આંક 23 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા દર્દીઓ સાજા થયા
ભારતમાં કોરોનાના કુલ 653 દર્દીઓ, ગુજરાતમાં કુલ 44 દર્દી, મહારાષ્ટ્રમાં કુલ 188 દર્દી, કેરલમાં કુલ 123 દર્દી તો ઉત્તરપ્રદેશમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે.
A total of 1,79,374 samples from 1,64,773 individuals have been tested as on 11 April 2020, 9 PM. Total positive cases rise to 7703: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/u2Cu1tXy2K
એક ભૂલને કારણે ભારત કોરોનાનો ઝડપી રિપોર્ટ મેળવવાથી દૂર
ભારત આવનાર કોરોનાની કિટ અમેરિકા પહોંચી ગઇ. તેની પાછળ ચીનના વેપારીની ભુલ જવાબદાર છે. જેના કારણે કિટનો જથ્થો અમેરિકા પહોંચ્યો. રૈપિડ એંટીબોડી કિટ ભારત માટે સંજીવની સમાન છે. માત્ર 30 મિનિટમાં રૈપિડ એંટીબોડી કિટથી કોરોનાનો રિપોર્ટ મળી શકે છે. કેન્દ્ર સરકાર સહિત કેટલાક રાજ્યો દ્વારા કિટનો ઓર્ડર અપાયો હતો. કેન્દ્ર સરકાર સહિતના રાજ્યોએ કુલ 9 લાખ કિટનો ઓર્ડર આપ્યો હતો. હવે અમેરિકાથી કિટ આવતા 2 થી 3 દિવસ લાગશે.
દેશના 7 રાજ્યોએ કર્યો લૉકડાઉન વધારવાનો નિર્ણય
30 એપ્રિલ સુધી લૉકડાઉનનો સમયગાળો લંબાવાયો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબમાં લોકડાઉન વધ્યું છે. પોંડિચેરી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સરકારે પણ લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ભારત ભરમાં લૉકડાઉન વધી શકે છે. કેન્દ્ર સરકારે લૉકડાઉન વધારવાની સત્તાવાર જાહેરાત કરી નથી. પંરતુ મળતી માહિતી અનુસાર દેશભરમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન વધી શકે છે. સરકારે લૉકડાઉન વધારતા પહેલા બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.
મુંબઈની હોટેલ તાજના કર્મચારીઓને કોરોનાની પુષ્ટી
મળતી માહિતી અનુસાર મુંબઈની તાજ હોટેલના 6 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને સારવાર હેઠળ ખસેડ્યા છે. કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરોન્ટાઈન કરાશે.
Approx 500 of our employees in our Mumbai hotels have been tested to date. Those who tested positive mostly were asymptomatic. However, staff testing positive & symptomatic were hospitalized & those in contact with them were immediately quarantined: Indian Hotels Company Ltd pic.twitter.com/5wZ5FGDcig
166 new cases reported in Delhi of which 128 are from ‘Under Special Operations’; Total number of COVID19 positive cases in Delhi now stands at 1069, death toll 19: Delhi Health Department pic.twitter.com/ZzfLKRGA52
રાજસ્થાનમાં કોરોના વાયરસના 112 દર્દીઓની રિપોર્ટ નેગેટિવ આવી
શનિવારે રાજસ્થાનથી કોરોના વાયરસની મહામારી સાથે જોડાયેલા રાહતના સમાચાર મળ્યા છે. રાજસ્થાનમાં 112 દર્દીઓ આજે પોઝિટિવથી નેગેટિવ આવ્યા છે, જેમાથી 58 લોકોને હોસ્પિટલથી રજા આપી દેવાઇ છે.