ભારતમાં અત્યાર સુધીમાં કુલ 67161 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 43976 થઈ છે. અત્યાર સુધીમાં 2212 લોકોના મૃત્યુ થયા છે. તો ભારતમાં 20,969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતા પેઠી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 22171 લોકો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. આજે બપોરે 3 વાગે પીએમ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી લોકડાઉનની સ્થિતિને લઈને ચર્ચા કરવાના છે, આ પછી નિર્ણય લેવાશે કે 17 મેના રોજ લોકડાઉન 3.0 ખૂલશે કે નહીં.
મહારાષ્ટ્રમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 17 હજાર 140 થઈ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નોંધાયા 1943 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 4 હજાર 199 લોકો સાજા થયા છે. યુપીમાં કુલ કેસની સંખ્યા 3467 થઈ છે. યુપીમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 1735 થઈ છે. યુપીમાં અત્યાર સુધીમાં 1653 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 6923 થઈ છે. તો એક્ટીવ કેસની સંખ્યા 4781 થઈ છે, હાલમાં 2069 લોકો સાજા થયા છે. અર સુધીમાં 73 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 3814 થઈ છે. હાલમાં કુલ એકટીવ કેસની સંખ્યા 1465 છે. રાજસ્થાનમાં 2241 લોકો સાજા થયા છે. મધ્યપ્રદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3614 થઇ છે, કુલ એકટીવ કેસની સંખ્યા 1723 થઈ છે. અત્યાર સુધીમાં 1676 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં કુલ કેસની સંખ્યા 7204 થઈ છે. હાલ એક્ટીવ કેસ 5198 નોધાયા છે. અહીં એક જ દિવસમાં 669 કેસ નોંધાયા છે તો સાથે જ 1959 લોકો સાજા થયા છે.
મુલાયમ સિંહ યાદવને હોસ્પિટલમાં કરાયા એડમિટ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પેટ સંબંધી સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. આ બાબતને લઈને તેમને એક જ અઠવાડિયામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હેલ્થ મિનિસ્ટ્રીએ હોમ આઈસોલેશન માટેની ગાઈડલાઈનમાં કર્યા ફેરફાર
The Ministry of Health & Family Welfare has issued revised guidelines for home isolation of very mild/pre-symptomatic #COVID19 cases pic.twitter.com/hTPcGRBqxd
આવતીકાલથી રેલવે 15 ટ્રેન ચાલુ કરશે. તે માટેના બુકિંગ આજથી શરૂ થશે.
Indian Railways plans to gradually restart passenger train operations from 12th May, initially with 15 pairs of trains (30 return journeys): Ministry of Railways pic.twitter.com/kCj5b3GDaV
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (એમએલસી) ની ચૂંટણીમાં બિનહરિફ જીત લગભગ નિશ્ચિત છે, કારણ કે કોંગ્રેસે કહ્યું છે કે તે તેના એક ઉમેદવારને પાછો ખેંચી લેશે. હાલમાં, ભારતીય જનતા પાર્ટીના 4, શિવસેનાના 2, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના 2 અને કોંગ્રેસના 1 સહિત કુલ 9 ઉમેદવારો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કોંગ્રેસની આ જાહેરાતનો આભાર માન્યો છે.