ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 6761 કેસ નોંધાયા છે. જ્યારે 206 લોકોના મોત થઇ ચૂક્યા છે. કુલ 516 લોકો કોરોના વાયરસની બીમારીથી રિકવર થયા છે. કોરોના મહામારીને પગલે ભારતમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
દિલ્હીમાં વધુ કેટલાક વિસ્તારો સીલ કરાયા
કોરોના વાયરસની મહામારીને પગલે દિલ્હીમાં વધુ કેટલાક વિસ્તારો સીલ કરાયા છે.
દિલ્હીમાં વધુ બે વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
દિલ્હી સરકારે જાકિર નગર અને તેની આસપાસમાં અબૂ બકર મસ્જિદવાળા વિસ્તારને 'કન્ટેન્મેન્ટ ઝોન' જાહેર કર્યો છે. જ્યારે બાકી જાકિર નગરને બફર ઝોન જાહેર કર્યો છે.
કેન્દ્રે રાજ્યોને કહ્યું- લૉકડાઉનનું કડક રીતે પાલન કરાવો
કેન્દ્ર સરકારે આગામી તહેવારોને ધ્યાને લઇને શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તે 21 દિવસોના લૉકડાઉનનું કડક રીતે લાગુ કરાવે અને કોઇપણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમને મંજૂરી ન આપે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને આપેલા આદેશમાં કહ્યું કે કોઇપણ પ્રકારની આપત્તિજનક સામગ્રીના પ્રસાર પર રોક લગાવવા માટે સોશિયલ મીડિયા પર યોગ્ય દેખરેખ રાખવામાં આવે.
ધારાવીમાં કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા
મુંબઇના ધારાવીમાં અત્યાર સુધીમાં કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શુક્રવારે જ 11 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 678 કેસ વધ્યા છે, જ્યારે 33 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે કાલે 16,000 ટેસ્ટિંગ કર્યું. જેમાંથી 2 ટકા કેસ પોઝિટિવ નીકળ્યા છે. સેમ્પલોના આધારે સંક્રમણનો દર વધારે નથી. રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ્સ પણ સેક્શન કરી દેવાઇ છે. મંત્રાલય મુજબ, સ્વાસ્થ્ય કર્મચારીઓ આ મહામારીનો સામનો કરવામાં લાગ્યા છે. તેમની સાથે કોઇપણ પ્રકારનો દૂરવ્યવહાર અમારા માટે ઘાતક હશે. વર્તમાન સમયમાં અમને ઘરેલૂ સ્તરે 1 કરોડ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાઓની જરૂર છે, જ્યારે અમારી પાસે 3.28 કરોડ દવાઓ ઉપલબ્ધ છે. મંત્રાલય અનુસાર એક દિવસમાં રેકોર્ડ 896 નવા કેસ નોંધાયા છે. જ્યારે 37 લોકોના મોત થયા છે.
પંજાબમાં 1 મે સુધી લંબાવાયું લૉકડાઉન, ખેડૂતોને મળશે છૂટ
પંજાબમાં લૉકડાઉનની સમયમર્યાદા વધારીને 1 મે સુધી વધારી દેવાઇ છે. આ નિર્ણય આજે અહીં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ પહેલા કેપ્ટન અમરિન્દર સિંહે બપોરે જ લૉકડાઉન સમયગાળો વધારવાના સંકેત આપ્યા હતા. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે 15 એપ્રિલથી રાજ્યમાં ઘઉંની ખરીદી શરૂ થશે. આ દરમિયાન ખેડૂતોને છૂટ અપાશે.
રાજસ્થાનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 57 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 15 કેસ જયપુર અને 12 કેસ બાંસવાડાથી નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 520 થઇ ગઇ છે.
20,000થી વધારે વિદેશી સુરક્ષિત સ્થાનો પર પહોંચાડાયા - વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના એએસ એન્ડ કોર્ડિનેટર (કોવિડ 19) દમ્મુ રવિએ જણાવ્યું, અમે 20,473 વિદેશીઓને કાલ સુધીમાં સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દીધા છે. આ પ્રક્રિયા ચાલુ રહેશે.
પ્રિયંકા ગાંધીની યોગી આદિત્યનાથે પત્ર, કહ્યું-કોરોનાને લઇને અફવાઓ રોકવામાં આવે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને અપીલ કરી છે કે રાજ્ય સરકાર સાથે જોડાયેલી અફવાઓ અને ખોટી ધારણાઓને ફેલાવા પર તાત્કાલિક રોક લગાવાય અને લોકોને માસ્ક અને સેનેટાઇઝર ઉપલબ્ધ કરાવા સાથે મોટા પાયે હેલ્થ ચેકઅપ કરાવવામાં આવે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 21 નવા કેસ, કુલ સંખ્યા 1385 પર પહોંચી
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 21 કેસ સામે આવ્યા છે. આ સાથે શુક્રવાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસથી કુલ કેસની સંખ્યા વધીને 1385 થઇ છે.
દિલ્હીમાં કોરોના વાયરસના કુલ 720 કેસ, 7 વેન્ટિલેટર્સ પર
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 720 થઇ ગઇ છે. તેમાંથી 22 લોકો આઇસીયૂમાં છે અને 7 દર્દીઓની હાલત ગંભીર છે. જે વેન્ટિલેટર્સ પર છે.
ભારતમાં 20 કંપનીઓને PPE કીટ માટે ઓર્ડર અપાયો
કોરોના વાયરસને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી. તેઓએ કહ્યું કે ભારતમાં 20 કંપનીઓને PPE કીટ માટે ઓર્ડર અપાયો છે. અને કેટલીક કંપનીઓએ સપ્લાય પણ શરૂ કરી દીધો છે. સાથે જ 49 હજાર વેન્ટિલેટરનો પણ ઓર્ડર અપાયો છે. આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સહાયતા માટે ટીમ મોકલાઇ છે. અને 10 ટીમોને 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવામાં આવી છે. અને 5 હજાર કોચને આઇસોલેશન યૂનિટમાં કન્વર્ટ કરી રહ્યાં છે. જેમાંથી 3250 કોચને આઇસોલેશન યૂનિટમાં કન્વર્ટ કરી દેવાયા છે.
દિલ્હીમાં આઝાદપુર માર્કેટમાં સેનેટાઇઝેશન ટનલ મૂકવામાં આવી
જેના દ્વારા લોકો આ ટનલમાંથી પસાર થશે તેમનું આખુ શરીર સેનેટાઇઝ થઇ જશે. આઝાદપુર માર્કેટમાં પ્રવેશ માટે આ ટનલમાંથી જ પસાર થવું પડશે. આઇઆઇટી દિલ્હી સાથે મળી આ ટનલ તૈયાર કરવામાં આવી છે. જે 30 સેકન્ડમાં જ લોકોને સેનેટાઇઝ કરી અને વાયરસને ખતમ કરી નાખવામાં સક્ષમ છે. ત્યારે દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે પણ આઝાદપુર માર્કેટમાં નિરીક્ષણ કર્યું. ગોપાલ રાયે કહ્યું કે હાલ ટ્રાયલ બેઝ પર આ ટનલ લગાવાઇ છે. અને જો ટ્રાયલ સફળ થશે તો અન્ય માર્કેટમાં પણ આ રીતે ટનલ લગાવી દેવાશે. આ ટનલ 13 ફૂટ લાંબી 8 ફૂંટ ઊંચી અને 2 ફૂટ પહોડી છે. અને 24 કલાક ટનલ ચાલુ રહે છે. ટનલમાં પ્રવેશ કરતા પહેલા વ્યક્તિનું સ્કેનિંગ કરવામાં આવે છે.
We have 17,000 N95 masks,13,000 Personal Protective Equipment (PPEs) kits, and 200 ventilators. We will soon have 80,000 rapid testing kits which will be used in red zones identified here, for early detection of #COVID19: Jammu and Kashmir Lieutenant Governor, GC Murmu https://t.co/dADgI0ClQr
કોરોના વાયરસ સામે પોલીસતંત્ર ખડેપગે છે. ત્યારે આ દરમિયાન પોલીસની સુરક્ષામાં પણ કોઇ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વેલફેર સેન્ટરમાં માસ્ક તૈયાર કરી પોલીસકર્મીઓને વિતરણ કરાયા બજારમાં માસ્કની કમી છે. ત્યારે પોલીસકર્મીઓ માટે પોલીસ વેલફેર સેન્ટરમાં સારી ગુણવત્તાના માસ્ક બનાવામાં આવ્યા અને સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
દિલ્હીમાં પણ સ્થિતિ વણસી
Total 720 people have tested positive for #COVID19 in Delhi till now, of which 22 of them are in ICU and 7 on ventilator: Delhi Health Minister Satyendar Jain pic.twitter.com/MsmEAR66PR
રાજસ્થાનમાં કુલ 26 નવા કેસ આવ્યા છે. જેમાં બાંસવાડામાં 12, જેસલમેરમાં 8, ઝાલાવાડમાં 3, અલવર-ભતપુર-કોટામાં 1-1 કેસ આવ્યો છે. પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 489 પહોંચી છે.
26 more #COVID19 positive cases reported in Rajasthan, taking the total number of coronavirus cases in the state to 489. 25 of the new positive cases have contact history, while details of 1 case are being ascertained: Rajasthan Health Department
યૂપીમાં આવ્યા 5 નવા કેસ
યૂપીમાં કોરોનાના દર્દીની સંખ્યા 415 થઈ છે. શુક્રવારે આગ્રામાં પણ પાંચ નવા કેસ સામે આવ્યા છે. અહીં કેસ વધવા માટે જમાત કનેક્શન કારણ માનવામાં આવે છે.
ગુજરાતમાં હજુ પણ પ્રમાણ વધવાની શક્યતાઃ જયંતિ રવિ
ગુજરાતમાં આજે 46 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ સુધી કુલ કેસ 308 થયા છે. અમદાવાદમાં 11 અને વડોદરામાં 17 કેસ, પાટણાં 2 કેસ નોંધાયા છે. કુલ 19 લોકોના મોત થયા છે અને 30 લોકો સારવારથી સાજા થયા છે. ભરૂચમાં 4 નવા કેસ આવ્યા છે. 2 લોકો વેન્ટિલેટર પર છે. આરોગ્ય સચિવે કહ્યું છે કે લોકોએ ડરવાની જરૂર નથી પણ કેસ હજ પણ વધે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં 81 વર્ષના દર્દીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં 2 લોકના મોત થયા છે.
કોરોના સંકટ વધતા દેશના 8 રાજ્યોમાં માસ્ક ફરજિયાત
દિલ્લી, યુપી, એમપી અને રાજસ્થાનમાં માસ્ક પહેરવા ફરજિયાત બન્યું છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સા, છત્તીસગઢમાં પણ માસ્ક ફરજિયાત છે. તો અન્ય તરફ પંજાબમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.
અસમમાં કોરોનાના કારણે થયું પહેલું મોત, દેશમાં કુલ 167ના મોત
કોરોના મહામારીમાં દેશમાં હાલ સુધીમાં અનેક લોકોના મોત થયા છે. હાલમાં અસમમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. યૂપીમાં 24 કલાકમાં 51 નવા કેસ સામે આવ્યા છે. અહીં દર્દીઓની સંખ્યા 410 થઈ છે. તેમાં 225 લોકો તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. અહીં અલાહાબાદ યુનિર્વસિટીના પ્રોફેસરને પણ ક્વૉરન્ટાઈન કરાયા છે.
લૉકડાઉનની સ્થિતિમાં પણ કેસની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતિંત બન્યું છે. ગુજરાતમાં અમદાવાદ હૉટસ્પોટ બન્યું છે અને AMCએ કોટ વિસ્તારમાં મેગા સર્વેલન્સ હાથ ધર્યો છે. અહીં તપાસ કરાતા મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદમાં 50થી વધુ કેસ સામે આવતાં હાહાકાર મચ્યો છે.
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા
મહારાષ્ટ્રમાં માત્ર 24 કલાકમાં 229 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજાર 364 થઈ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 25 લોકોના કોરોનાથી મોત થયા છે. મુંબઈમાં કોરોનાના અત્યાર સુધી 876 કેસ નોંધાયા છે તો મુંબઈમાં કોરોનાના કારણે 54 લોકો મૃત્યુ પામ્યા છે.
घर बैठे सुई धागे से भी बन सकता है रीयूजेबल मास्क। #MaskIndia
Smt @smritiirani Ji leads by example and shows how to do it.
— Youth Alliance Against Corona (@YAAC2020) April 9, 2020
કોરોનાથી બચવા સાંસદ સ્મૃતિ ઇરાનીએ બનાવ્યું માસ્ક
સાંસદ સ્મૃતિ ઇરાનીએ માસ્ક બનાવવાની રીત સમજાવી. રીયુઝેબલ માસ્ક કઇ રીતે બનાવવું તે ફોટો દ્વારા સમજાવ્યું. ઘરે માસ્ક બનાવવા અને પહેરવાની PM મોદી અને BJPની અપીલ. ટ્વીટર પર શેર કરેલી આ તસ્વીરની ખુબ પ્રસંશા થઇ રહી છે.
ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું
રાજ્યમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે ત્યારે અમદાવાદમાં કોરોનાના વધતા વ્યાપને અટકાવી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું હતું. કોરોના સંક્રમિત જે વિસ્તારો છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને લગભગ 63 હજાર 293 ઘરોમાં ચેકિંગ કર્યું હતું. તો મધ્ય ઝોનના કુલ 6 વોર્ડમાં પણ તપાસ કરાઇ હતી. મેગા સર્વેલન્સ દરમિયાન કુલ 3 લાખ 6 હજાર 674 લોકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 30 દર્દી શંકાસ્પદ જણાઇ આવતા હોસ્પિટલ ખેસડાયા હતા. તો મેગા સર્વે દરમિયાન કુલ 557 સેમ્પલ ટેસ્ટ માટે લેવાયા હતા. અન્ય ઝોનમાંથી 748 સેમ્પલ લઇ તપાસ માટે મોકલાયા છે.
લૉકડાઉનમાં પશ્ચિમ રેલવેને મોટું નુકસાન
લૉકડાઉનમાં પશ્ચિમ રેલેવેને 321.41 કરોડનું નુકશાન થયું છે. નુકશાન સામે પશ્ચિમ રેલવેએ મુસાફરોને વળતર આપ્યું છે. પશ્ચિમ રેલવેએ 136.65 કરોડ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે.
મુંબઈ ડિવિઝન દ્વારા 64.52 કરોડનું વળતર ચૂકવાયું છે.
દેશની અર્થવ્યવસ્થાને લઇ મોટા ફટકાના એંધાણ
RBI મોનિટરી પોલીસીનો રિપોર્ટ જાહેર કરાયો જેમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ બન્યું છે. લૉકડાઉનથી દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. વૈશ્વિક ઉત્પાદન, સપ્લાય, વેપારી અને પર્યટન પર માઠી અસર થઈ છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા 2020માં સ્લોડાઉનમાં જઇ શકે છે તેવું આરબીઆઈનું માનવું છે.
રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
પોલીસ સ્ટેશનથી ડિટેઇન કરેલા વાહનો છોડાવી શકાશે. લૉકડાઉન દરમિયાન ડિટેઇન કરેલા વાહનો છોડાવી શકાશે. હેડ કોન્સ્ટેબલ તથા ઉપરી પોલીસ અધિકારીઓને સત્તા અપાઈ છે. હવે વાહન માલિકોએ RTO ઓફિસ નહિ જવુ પડે.
કોરોના વાયરસને લઇ પેટ્રોલ ડીઝલની માંગમા ઘટાડો
પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 ટકા સુધીનો ઘટાડો થયો છે. ફ્લાઈટ બંધ થવાથી એર ફ્યુઅલની માંગ પણ 90 ટકા સુધી ઘટી છે. ટ્રકો અને રેલવે થંભી જતાં ડીઝલમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં ઈંધણની કુલ ખપતમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, ભારત ઈંધણનો ત્રીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે.