કેન્દ્રીય આરોગ્ય વિભાગે પત્રકારને પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 549 નવા મામલાઓ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 5734 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
કોરોના વાયરસના સંક્રમણનો આંકડો વધીને 5865 થયો
દેશમાં કોરોના વાયરસથી પ્રભાવિતોની સંખ્યા વધતી જઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 5865 થઇ ગઇ છે. જ્યારે 169 લોકોના મોત થયા છે અને 478 લોકો બીમારીથી સ્વસ્થ્ય થયા છે.
ગુજરાતમાં નવા કુલ 21 કેસ આવતા કુલ આંકડો 262 થયો
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોરોનાના આજે એકસાથે 50 કેસ આવતા તંત્ર વધુ સતર્ક બન્યું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે રાજ્યમાં કુલ 21 કેસ આવતા કુલ આંકડો 262 થયો હતો.
આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં આજે બપોર બાદ વધુ 8 નવા કેસ આવ્યા હતા. આ સાથે જ આજે એક દિવસમાં 21 કેસ પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં પાટણમાં 7, વડોદરામાં 4, રાજકોટમાં 2 કેસ નવા નોંધાયા હતા.
6 લાખ માસ્ક અને 4,000 લીટરથી વધારે સેનેટાઇઝરનું ઉત્પાદન
ભારતીય રેલવેએ પુન ઉપયોગમાં લેવાઇ શકે તેવા લગભગ 6 લાખ માસ્ક અને 4000 લીટરથી વધારે સેનેટાઇઝરનું ઉત્પાદન કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે તેની જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે રેલવે મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયને સહયોગ કરાઇ રહ્યો છે. રેલવેએ 80 હજાર આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે અને 2500 ડૉક્ટર્સ તહેનાત કર્યા છે.
નાણા મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ મહિલા ખાતાધારકોના ખાતામાં આવતા બે મહીનામાં 500-500 રૂપિયાના સમાન હપ્તાથી 1000 રૂપિયા નાંખવામાં આવશે.
ડોક્ટર-નર્સ સાથે ગેરવર્તણૂક કરનાર સામે કાર્યવાહીના કેજરીવાલ સરકારના આદેશ
કોરોના વાયરસના સંક્રમણને પગલે દેશમાં લોકડાઉન છે. પરંતુ કોરોના સામે લડવા માટે ડોક્ટર, મેડિકલ સ્ટાફ તમામ મોરચે લડી રહ્યા છે. ત્યારે દિલ્લીના સફદરગંજ હોસ્પિટલમાં ફરજ બજાવતી 2 મહિલા ડોક્ટર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પ્રકારની ગેરવર્તણૂંક સામે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત દિલ્હીના જે વિસ્તારમાંથી કોરોનાનો કેસ મળશે તે વિસ્તારને સીલ કરી દેવામાં આવશે.
હરિયાણા શિક્ષણ વિભાગે કોરોનાને કારણે સ્કૂલ બંધ થવાથી બાળકોનો અભ્યાસ ન બગડે એ માટે શિક્ષકોને ઇ-લર્નિંગના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ શિક્ષકો હવે વ્હોટ્સઅપ, ફોન અને અન્ય માધ્યમથી સવારે 9 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી બાળકોને ભણાવશે.
રાજસ્થાનમાં 47 નવા કેસ નોંધાયા
રાજસ્થાનમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા વધીને ગુરુવારે સવાર સુધીમાં વધીને 430 થઇ ગઇ, જેમા 47 નવા કેસ સામેલ છે. આ દરમિયાન જોધપુરમાં સર્વેક્ષણના કામમાં લાગેલા એક ડૉક્ટર પણ કોરોના વાયરસથી સંક્રમણનો ભોગ બન્યા છે. 8:36 PM 4/9/2020
ઝારખંડમાં કોરોના વાયરસથી કુલ 13 લોકો પોઝિટિવ આવ્યા છે. આજે બોકારોમાં કોરોના વાયરસથી એક વૃદ્ધનું મોત થઇ ગયું. જે રાજ્યમાં કોરોનાથી મોતનો પહેલો મામલો છે. સંક્રમણના વધી રહેલા કેસને પગલે ઝારખંડના આરોગ્ય સચિવે પુષ્ટી કરી છે કે રાજ્યમાં લૉકડાઉન વધી શકે છે.
કાશ્મીરની મસ્જિદોમાં શબ-એ-બારાત પર નમાજ ન થઇ
કાશ્મીરની કોઇપણ પ્રમુખ મસ્જિદમાં શબ-એ-બારાત પર રાત્રે નમાજ થઇ નથી. લોકો કોરોના વાયરસને લઇને લાગૂ લૉકડાઉનને કારણે ઘરે જ રહ્યા છે.
કોરોના વાયરસથી ઇન્દોરમાં 62 વર્ષના ડૉક્ટરનું મોત
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોરોના વાયરસના સંક્રમણથી 62 વર્ષના ડૉક્ટરનું ગુરુવારે મોત થયું છે. આ સાથે ઇન્દોરમાં વાયરસના સંક્રમણથી દમ તોડનાર દર્દીઓની સંખ્યા વધીને 22 પર પહોંચી ગઇ છે.
ધારાવીમાં વધુ એક મોત
મુંબઇની ધારાવીમાં કોરોના વાયરસથી ત્રીજું મોત થયું છે. નોંધનીય છે કે, અહીં 70 વર્ષની એક મહિલાએ આજે દમ તોડ્યો હતો. હાલ ધારાવીમાં કોરોના વાયરસના કુલ 14 કેસ છે.
દેશમાં 1,30,000 નમૂનાઓની તપાસ કરાઇ : ICMR
ICMRએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 1,30,000 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 5,734 નમૂનાઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 1-1.5 મહિનામાં પોઝિટિવ રેટ 3-5% ની વચ્ચે રહ્યો છે. તેમાં પૂરતો વધારો થયો નથી. ગઈકાલે અમે 13,143 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે.
1,30,000 samples have been tested so far. Out of these 5,734 samples tested positive till date. Positivity rate ranges between 3-5% in the last 1-1.5 months. It has not increased substantially. Yesterday we tested 13,143 samples: Indian Council of Medical Research #COVID19pic.twitter.com/xVTnbUm1tt
કોરોના વાયરસની તપાસનું કામ યુદ્ધના ધોરણે ચાલુ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 17 લોકોનાં મોત થયાં છે. 24 કલાકમાં 549 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ, કોરોના વાયરસને કારણે 166 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસની તપાસ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 10 ટીમોને 9 રાજ્યોમાં મોકલવામાં આવી છે.
રેલવેમાં 80 હજાર આઇસોલેશન બેડ તૈયાર
In order to prepare 80,000 isolation beds, Indian railways are converting 5,000 coaches into isolation units, of which 3,250 have been converted: Lav Aggarwal, Joint Secretary, Health Ministry https://t.co/CCfXbT8Lvy
રેલવે પડકારોનો સામનો કરવામાં મદદ કરી રહ્યું છે. રેલ્વેએ 80 હજાર આઇસોલેશન બેડ બનાવ્યા છે. રેલ્વેએ 2500 થી વધુ ડોકટરો તૈનાત કર્યા છે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે એડોપ્ટ એ ફેમિલી કેમ્પ અંતર્ગત કરનાલમાં 13000 જરૂરિયાતમંદ પરિવારોને 64 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
49,000 વેન્ટિલેટર પણ મંગાવાયા
પી.પી.ઇ., માસ્ક અને વેન્ટિલેટરની સપ્લાય હવે શરૂ થઈ ગઈ છે. ભારતમાં પીપીઈ માટે 20 ઘરેલું ઉત્પાદકો બનાવવામાં આવ્યા છે. 17 મિલિયન પીપીઈ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે અને સપ્લાય શરૂ થઈ ગઈ છે. 49,000 વેન્ટિલેટર પણ મંગાવવામાં આવ્યા છે.
Supplies of PPEs, masks, and ventilators have now begun. 20 domestic manufacturers in India have been developed for PPEs, orders for 1.7 Crore PPEs have been placed and the supplies have begun. 49,000 ventilators have been ordered: Lav Aggarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/eI7Hpm85HI
ઈંદોરમાં કોરોના પોઝિટિવ ડોક્ટરનુ મોત નીપજ્યું છે. ઈંદોરમાં કોરોનાથી કુલ 22 વ્યક્તિના મોત થયા. મધ્યપ્રદેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 392 પહોચી.
ભારતમાં પણ સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં કુલ 5095 કેસ નોંધાયા છે. જ્યારે મોતનો આંક પણ 166એ પહોંચ્યો છે. કુલ મૃત્યુઆંક 472એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 540 નવા કેસ આવ્યા છે અને 17 લોકોના મોત થયા છે.
55 new positive cases of COVID19 reported in Gujarat including 50 cases in Ahmedabad, 2 in Surat, 1 case each in Dahod, Anand and Chotta Udepur each; The total number of positive cases in the state are 241: Gujarat Health Department
ગુજરાતમાં પણ વકર્યો કોરોના, અમદાવાદમાં 1 દિવસમાં નોંધાયા 50 કેસ
ગુજરાતમાં કોરોનાના કુલ 55 નવા કેસ નોંધાયા. ફક્ત અમદાવાદમાં નોંધાયા 50 કેસ. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે કેસની તપાસમાં વધારો કરાતા આ આંકડો સામે આવ્યો છે. એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
કોરોનાને લઈને અમદાવાદના અનેક વિસ્તાર બફર ઝોન જાહેર કરાયા
બોડકડેવ, જશોદાનગર, મક્તમપુરા ક્લસ્ટર ક્વૉરન્ટાઈન જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં જમાલપુર, કાલુપુર ક્લસ્ટર ક્વૉરન્ટાઈન જાહેર કરાયેલા છે. શાહપુર અને દરિયાપુર સહિત વિસ્તારોમાં તંત્ર એલર્ટ છે. કોટ વિસ્તારમાં જ 13થી વધુ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. લાલ દરવાજા ચેકપોસ્ટ પર SRP જવાન તૈનાત કરાયા છે.
આ જગ્યાએ કુલ 14 જિલ્લામાં લૉકડાઉન
Indore, Bhopal&Ujjain to be completely sealed as there are more #Coronavirus cases in these cities. District admin to ensure the supply of essential commodities in these areas. Nobody will be allowed to go in&out of these areas: Madhya Pradesh CM SS Chouhan pic.twitter.com/encYvcfNp5
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોરને સંપૂર્ણ સીલ કરવા નિર્દેશ આપ્યો છે. કુલ 14 જિલ્લામાં લૉકડાઉન થશે.
દિલ્હીમાં વધુ 13 ઝોન સીલ કરાયા
દિલ્હીનું બંગાલી માર્કેટ, માલવિયાનગરનો કેટલોક વિસ્તાર સીલ કરાયો છે. સંગમ વિહાર, દ્વારકા વિસ્તારને સીલ કરાયો છે. તો જહાંગીરપુરી, દિલસાદ ગાર્ડન વિસ્તાર પણ સીલ છે. ઝીલમીલ કોલોની, મયુર વિહાર, પ્રિત વિહાર, વસુંધરા એન્કલેવ સીલ કરાયુ છે.
ઝારખંડના આરોગ્ય વિભાગે આપી આ માહિતી
4 more confirmed cases of COVID 19 reported in the state- 1 from a COVID19 infected family in Ranchi and the other 3 from an infected family in Bokaro; Total positive cases in the state are 13: Jharkhand Health Secretary Nitin Madan Kulkarni.
મુંબઈમાં કોરોનાના કારણે જે લોકોના મોત થાય છે તેમને દફનાવવા માટે NGOએ PPE કીટ તૈયાર કરી છે. 2 કબર ખોદવાવાળા અને 4 ખભો આપનારા માટે 6 પીપીઈ સેટ તૈયાર કરવામા આવ્યા છે. આ સેટ કબ્રસ્તાનના ટ્રસ્ટીઓને ફ્રીમાં આપવામાં આવે છે.
कोरोना की वजह से जिन लोगों की मौत हो जाती है उन्हें दफनाने वाले लोगों के लिए हमारी NGO ने PPEकिट तैयार की है। 2कब्र खोदने वाले और 4कंधा देने वालों के लिए 6PPE किट का एक सेट तैयार किया है। ये सेट कब्रिस्तान के ट्रस्टियों को मुफ्त दिया जा रहा है: सरफराज़ ट्रस्टी होप्स इंडिया, मुंबई pic.twitter.com/PZWVuaRiES