દેશમાં જાહેર કરાયેલ લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસ વધીને કુલ 52952 થઇ ગયા છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 15267 લોકો સાજા થયા છે. જ્યારે દેશમાં કુલ 1783 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3561 કેસ નોંધાયા છે જ્યારે 89 લોકોના મોત થયા છે. જ્યારે રિકવરી રેટ 28.83 ટકાએ પહોંચ્યો છે.
(અપડેટ્સ 7 મે 2020 - રાત્રે 9:55 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
મહારાષ્ટ્રમાં 72 કેદીઓ અને સ્ટાફના 7 લોકો કોરોના પોઝિટિવ
મુંબઇના આર્થર જેલના 72 કેદીઓ અને 7 સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકોને જીટી હોસ્પિટલ અને સેન્ટ જોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મહારાષ્ટ્રના જેલ અધિકારીઓએ તેની જાણકારી આપી છે.
મુંબઇમાં CISF કર્મચારીનું કોરોના વાયરસથી મોત
મુંબઇમાં તહેનાત સીઆઇએસએફના 55 વર્ષના હેડ કોન્સ્ટેબલનું કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા બાદ મોત થયું છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે કોરોના વાયરસથી પોઝિટિવ 32 કર્મચારીઓની સારવાર ચાલી રહી છે.
મુંબઇમાં મેડિકલ સર્કિફિકેટ માટે ક્લિનિકના ચક્કર લગાવી રહ્યા છે પ્રવાસી મજૂરો
મુંબઇ અને આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો છેલ્લા કેટલાક દિવસોથી મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે ક્લિનિકના ચક્કર લગાવી રહ્યા છે. જેથી તેઓ પોતાના ગામ પાછા જવા માટે યાત્રા કરવા માટે પાસ મેળવી શકે. તેમા મોટાભાગના પ્રવાસી મજૂરો છે.
છત્તીસગઢમાં પેપર મીલમાં ગેસ લીકેજ થવાથી 7 મજૂરો ઘાયલ થયા
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજ અકસ્માતથી સૌ કોઇ આઘાતમાં છે. ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાં પણ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. જેમા સાત મજૂરો ઘાયલ થયા છે. ઘટના બાદ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગુરુવારે એક મોટો અકસ્માત થઇ ગયો. પેપર મિલમાં ક્લોરીન ગેસ પાઇપ-લાઇન ફાટી જવાથી આ દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થઇ ગયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માત રાયગઢની શક્તિ પ્લસ પેપર્સ મિલમાં થયો.
Chhattisgarh: Raigarh Superintendent of Police Santosh Singh & Collector Yashwant Kumar meet those who were affected by gas leak at a paper mill in the district. SP says, "Owner of the mill tried to hide the incident from us & did not inform police. A case will be registered". https://t.co/VsOVl6l3TUpic.twitter.com/p1D73NLAVW
તૃણમૂલ સાંસદે પુત્રીને આપ્યો જન્મ, નામ રાખ્યું 'કોરોના'
પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અપારૂપા પોદ્દારે લૉકડાઉન વચ્ચે પુત્રીને જન્મ આપ્યો. સાંસદે પોતાની પુત્રીનું નામ 'કોરોના' રાખ્યું છે. પોદ્દાર આરામબાગથી બીજી વાર સાંસદ ચૂંટાયા છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટથી ભારત લાવવામાં આવશે અબુધાબીમાં ફસાયેલા લોકો
કોરોના વાયરસ સંકટ વચ્ચે દુનિયાભરમાં ફસાયેલા લોકોને લાવવાનું કામ શરૂ કરાશે. તેના માટે દુનિયાભરના એરપોર્ટ પર ફ્લાઇટ અને બંદરો પર શિપની વ્યવસ્થા કરાઇ છે. ગુરુવારે સંયુક્ત આરબ અમીરાતથી પહેલી ફ્લાઇટ ભારતીય નાગરિકોને લઇને આવશે.
રાજસ્થાન : કોરોના વાયરસના નવા 45 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3400 કેસ પોઝિટિવ
રાજસ્થાનમાં આજે કોરોના વાયરસના નવા 45 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આમ અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3400 સુધી પહોંચી ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 95 લોકોના મોત થયા છે અને 1565 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
CM જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ ગેસ ટ્રેજેડીના પીડિતોને વળતરનું એલાન કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ ગેસ ટ્રેજેડીમાં પીડિત લોકોને વળતરનું એલાન કર્યું છે. CM જગન મોહન રેડ્ડીએ કહ્યું કે આ બનાવમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા અને પીડિતને 10 લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા લોકોને એક લાખ રૂપિયાની મદદ કરાશે.
કોરોનાથી સંકટમાં Uber, હવે 3,700 કર્મચારીઓની છટણીનો લેવાયો નિર્ણય
કોરોના વાયરસના સંકટથી દુનિયાની દિગ્ગજ કેબ કંપની ઉબરની સ્થિતિ ખરાબ થઇ રહી છે. કંપનીએ હવે 3,700 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે આવનારા બે સપ્તાહમાં 180 ડ્રાઇવર સર્વિસ સેન્ટર બંધ કરવાનું એલાન કર્યું છે.
આંધ્ર પ્રદેશ : 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત, 56 નવા કેસ નોંધાયા
આંધ્ર પ્રદેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 2 લોકોના મોત થયા છે. જ્યારે 56 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 1833 થઇ ગયા છે.
મહારાષ્ટ્ર : મુંબઇ-નાસિક હાઇવેથી ચાલીને ઘરે જઇ રહ્યા છે પ્રવાસી મજૂરો
મહારાષ્ટ્રમાં ફસાયેલા પ્રવાસી મજૂરો હવે પોતાના ઘરે ચાલીને જઇ રહ્યા છે. જૌનપુર ચાલીને જઇ રહેલી પ્રીતિ કુમારીએ કહ્યું કે મારી પાસે પૈસા નથી અને મારી સાથે મારુ બાળક છે, આખરે હું તેને કેવી રીતે ખવડાવીશ. હું તેને રાત્રે માત્ર બિસ્કિટ જ આપી શકુ છું.
મહારાષ્ટ્રમાં 12 હજાર 296 લોકો કોરોના પોઝિટિવ
સૌથી વધુ મહારાષ્ટ્રમાં 12 હજાર 296 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 9 હજાર 775 થઈ છે તો કોરોનાથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 521 લોકોના મોત થયા છે. યુપીમાં કુલ કેસની સંખ્યા 2487 થઈ છે.અહીં હાલ એક્ટીવ કેસની સંખ્યા 1746 થઈ છે તો અત્યાર સુધીમાં 698 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 4122 થઈ છે અને એક્ટીવ કેસની સંખ્યા 2802 થઈ. અત્યાર સુધીમાં 1256 લોકો સાજા થયા છે. 64 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2782 થઈ છે. કુલ એકટીવ કેસની સંખ્યા 1462 પહોંચી છે. અહીં 1242 લોકો સાજા થયા છે. મધ્યપ્રદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2788 થઇ તો કુલ એકટીવ કેસની સંખ્યા 2015 થઈ છે. અત્યાર સુધીમાં 622 લોકો સાજા થયા છે.
अहमदाबाद में दूध और दवाइयाँ उपलब्ध कराने वालों को छोड़कर सभी दुकानें 7 मई को सुबह 12 बजे से 15 मई सुबह 6 बजे तक बंद रहेंगी: अहमदाबाद नगर निगम आयुक्त #COVID19#गुजरातpic.twitter.com/x6bwd0c8lH
15 મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. દૂધ -દવા સિવાયની તમામ દુકાનો બંધ રહશે અને રેડ ઝોનમાં તમામ બેંક પણ બંધ રહેશે. ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે. શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Dy.મ્યુનિ. કમિશનરોને કડક અમલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
प्रधानमंत्री नरेंद्र मोदी सुबह लोगों को संबोधित करेंगे। यह आयोजन पीड़ितों और #COVID19 के फ्रंटलाइन योद्धाओं के सम्मान के लिए आयोजित किया जा रहा है: प्रधानमंत्री कार्यालय #बद्ध_पूर्णिमाhttps://t.co/HvdFkbujct
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી વાત કરશે. પહેલી હરોળના કોરોના વોરિયર્સ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોરોના પીડિત દર્દીઓને પણ યાદ કરાશે.
આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાસંઘના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.
गुजरात में पिछले 24 घंटों में 380 नए #COVID19 पॉजिटिव मामले सामने आए। राज्य में कुल मामलों की संख्या अब 6625 है, जिसमें से 1500 ठीक / डिस्चार्ज और 396 मौतें शामिल हैं: राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/F2q47bGr4x
રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક 6627 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 1500 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 397 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 4735 કેસ હાલ સુધી નોંધાયા છે.