દેશમાં કોરોનાનો કહેર ઘટવાના બદલે લૉકડાઉનની સ્થિતિમાં પણ વધી રહ્યો છે જેને લઈને તંત્ર ચિંતામાં છે. હાલમાં જ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સંક્રમણમાં બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે પહોંચી ચૂક્યું છે. હાલમાં અમદાવાદ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી હૉટસ્પોટ બની રહ્યા છે. અહીં કેસ વધવાનું સૌથી મોટું કારણ તબલીગી જમાતના લોકો છે. નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના હાલ 4421 કેસ છે. જે પૈકી છેલ્લા 24 કલાકમાં 354 નવા સામેલ થયાં છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
નોઇડામાં 200 લોકો કોરોના સંદિગ્ધ
નોઈડાના સેક્ટર 8 માં આવેલી ઝૂંપડપટ્ટીમાં લગભગ 200 લોકો કોરોના શંકાસ્પદ છે. આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બધાને હવે ક્વોરેન્ટાઇન સેન્ટર લઈ જવાશે.
મહારાષ્ટ્રમાં કોરોના પીડિતોની સંખ્યા 1000ને પાર
150 more #COVID19 positive cases reported in Maharashtra today, taking the total number of coronavirus cases in the state to 1,018: Maharashtra Health Department pic.twitter.com/hMObRs4PIF
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. અહીં 1018 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. જ્યારે 64 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઈમાં કોરોનાના 642 કેસ છે. આ સાથે જ અહીં, 40 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 150 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોનાં મોત નીપજ્યાં છે.
1 કરોડની મદદના આદેશ
દિલ્હી સરકારે મંગળવારે આદેશ આપ્યા હતા કે, કોવિડ-19ના દર્દીનો ઇલાજ કરતા કોઇ ડોક્ટર કે નર્સ અથવા હોસ્પિટલમાં કામ કરતા કોઇ સફાઇકર્મીનું મોત થાય તો સરકાર તેમના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની મદદ કરશે.
ગુજરાતમાં કોરોનાને કારણે વધુ એક મોત
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક શખ્સનું મોત થયું હતુ. સુરતમાં 52 વર્ષના એક દર્દીએ દમ તોડ્યો હતો. ત્યારે ગુજરાતમાં હવે કુલ મૃતકઆંક 14 થયો છે.
બિહારમાં કોરોનાના વધુ 2 કેસ
બિહારમાં આજે કોરોના વાયરસના વધુ 2 કેસ સામે આવ્યા છે. જે બંન્ને સીવાનના છે. ત્યારે રાજ્યમાં હવે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 34 થઇ ગઇ છે.
ઉત્તર પ્રદેશમાં શરૂ થયું પ્રથમ કોવિડ-19 સેમ્પલ કલેક્શન સેન્ટર
ઉત્તર પ્રદેશમાં પ્રથમ કોવિડ-19 સેમ્પલ કલેક્શન સેન્ટર ગાઝિયાબાદના સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન વિકાસ અધિકારી અસ્મિતા લાલે કર્યું હતું.
છેલ્લા 24 કલાકમાં 354 નવા દર્દી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, જે લોકો ક્વારન્ટાઇન છે તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોનાને પહોંચી વળવા માટે સિસ્ટને 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 354 નવા દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ વધુ 8 લોકોના મોત થયાં છે. આમ કુલ 4421 કેસ ભારતમાં કોરોનાના છે. લોકડાઉન અંગે તેમણે જણાવ્યું કે, યોગ્ય સમયે નિર્ણય લેવાશે.
Till now 326 persons have been discharged after recovery. Till now there are 4,421 #COVID19 positive cases in the country, including 354 cases in the last 24 hours: Lav Aggarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/fIW5i0o9JZ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જણાવ્યું હતું કે, એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે, એક આદમી 30 દિવસમાં 406 લોકોને ઇનફેક્ટ કરી શકે છે. જો આપણે લોકડાઉન કરી દઇએ કે, તો એક વ્યક્તિ માત્ર 2.5ને જ ઇન્ફેક્ટ કરી શકે છે. માટે લોકડાઉનનું પાલન કરવું જરૂરી છે. કેટલીય જગ્યાએ આ આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું તો ફાયદો જોવા મળ્યો છે. જેમ કે, નોઇડા, ભીલવાડા અને પૂર્વ દિલ્હી.
રેલવેએ 2500 કોચમાં તૈયાર કર્યા 40000 બેડ
ભારતીય રેલવેએ 2500 કોચમાં 40000 આઇસોલેશન બેડ બનાવી દીધી છે. તે દરરોજ 375 આઇસોલેશન બેડ બનાવી રહ્યા છે.
ગુજરાતમાં કુલ 19 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કુલ 19 કેસ મળ્યા છે. 19માંથી 13 અમદાવાદના છે. 3 પાટણના અને ભાવનગર, આણંદ અને સાબરકાંઠામાં 1-1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત આંક 165 થયો છે અને કુલ 12 મોત થયા છે.
19 new #Coronavirus positive cases detected in Gujarat - 13 from Ahmedabad, 3 from Patan and 1 each from Bhavanagar, Anand and Sabarkantha. Total now of positive cases in the state are 165: Gujarat Health Department
ગઈકાલે જયપુરમાં 9 શંકાસ્પદ કેસ મળ્યા હતા. જેનું ટેસ્ટિંગ કરતા 6 લોકો પોઝિટિવ આવ્યા છે. રાજસ્થાનમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
24 new #Coronavirus positive cases in Rajasthan today - Banswara 4, Churu 1, Jaipur 3, Jaisalmer 7 & Jodhpur 9. Total number of positive cases in the state rises to 325: Rajasthan Health Dept
The 7 positive cases in Jaisalmer are contacts of the person found positive in Bikaner pic.twitter.com/5DgnPJ3Fro
જમ્મૂ કાશ્મીર પોલીસ વેલ્ફેર સેન્ટરમાં બનાવાઈ રહ્યા છે કોરોના માસ્ક. આ માસ્કને હોસ્પિટલ્સ અને ક્વૉરન્ટાઈન સેન્ટર્સમાં મોકલવામાં આવશે.
J&K Police Welfare Centre in Jammu is making masks & personal protective gear for police personnel deputed at hospitals and quarantine centres across the state, amid COVID19 threat. pic.twitter.com/ai7kvLq0ft
મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા અચાનક વધી. 748 કુલ સંક્રમિત કેસની સાથે કુલ મૃત્યુઆંક 45ને પાર થયો. 56 લોકો સાજા થયા. તો તમિલનાડુમાં પણ સંક્રમિતોની સંખ્યા 571 થઈ છે પણ મૃત્યુદર મહારાષ્ટ્રની સરખામણીએ ઘણો ઓછો એટલે કે ફક્ત 5નો છે. ગુજરાતમાં પણ ગઈકાલે 11 કેસ વધતાં કુલ આંક 144 થયો છે અને કુલ મૃત્યુઆંક 12 પહોંચ્યો છે. અહીં કુલ 21 લોકો સાજા થયા છે. કોરોનાનો કહેર સતત વધવા પાછળ તબલીગી જમાત મુખ્ય કારણ છે.
આસામમાં 1182 લોકોને લૉકડાઉન સમયે હિંસા ફેલાવવા બદલ એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 504 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
1182 persons have been arrested and 504 cases registered, so far in Assam for violating the #CoronavirusLockdown: Sate ADGP (Additional Director General of Police)-Law & Order, GP Singh
તેલંગણાના CMએ કહ્યું દેશમાં બે અઠવાડિયા લંબાવવું જોઇએ લોકડાઉન
Telangana Chief Minister's Office now clarifies that CM K Chandrasekhar Rao suggested extension of lockdown for 2 more weeks (after April 15). He took a reference from BCG report which suggested lockdown in India will be good until June 3. No announcement of extension yet. pic.twitter.com/dxLb89RapT
સમગ્ર દેશમાં 21 દિવસનું એટલે કે 14 એપ્રિલ સુધીનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રીએ લૉકડાઉન વધારવાની સલાહ આપી છે. આ પહેલા, મુખ્યમંત્રી યોગીનું એક મોટું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે તબક્કાવાર લૉકડાઉનને પૂર્ણ કરવાની સલાહ માંગી હતી. ઉલ્લેખનીય છે કે અહીં 30 વધુ નવા કેસ આવ્યા છે અને કુલ કેસ 308 પહોંચ્યા છે. કુલ 11 લોકોના મોત થયા છે તો 12 લોકો સારવાર બાદ ઘરે પહોંચ્યા છે.
30 more persons have tested positive for #Coronavirus in Telangana, while 12 patients have been cured/discharged, today. There are 308 active cases and 11 deaths reported due to COVID-19 in the state, so far: Telangana Government
દેશમાં છેલ્લા 24 કોરોનાના 704 નવા કેસ, 28 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 704 નવા મામલા સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ત્યારે એક દિવસમાં 28 લોકોના મોત થયાં છે. આ સાથે જ મૃત્યુઆંક 111 લોકોના મોત થયાં છે.
Increase of 704 #COVID19 cases & 28 deaths in the last 24 hours, the biggest rise so far in India; India's positive cases at 4281 (including 3851 active cases, 318 cured/discharged/migrated people and 111 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/tghFzXH3EN