ચિંતા / India : દેશમાં કોરોના વાયરસનો કહેર, કોરોના વાયરસના કુલ કેસ વધીને 49391 થયા

know the updates about the coronavirus in india 06052020

દેશમાં જારી લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને કુલ 49,391 થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 14183 લોકો આ બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે કુલ 1694 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાયરસની બીમારીથી સાજા થવાની ટકાવારી (રિકવરી રેટ) 28.71 ટકા થયો છે. જ્યારે દેશમાં જારી લૉકડાઉન આગામી 17 મે સુધી લાગુ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ