દેશમાં જારી લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને કુલ 49,391 થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 14183 લોકો આ બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે કુલ 1694 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાયરસની બીમારીથી સાજા થવાની ટકાવારી (રિકવરી રેટ) 28.71 ટકા થયો છે. જ્યારે દેશમાં જારી લૉકડાઉન આગામી 17 મે સુધી લાગુ રહેશે.
(અપડેટ્સ 6 મે 2020 - રાત્રે 11:26 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ, અમદાવાદમાં નવા 291 કેસ નોંધાયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 291 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 6662 પર પહોંચી છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 369 દર્દીઓના મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 119 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 1500 લોકોએ કોરોના બીમારીથી સાજા થયા છે. હાલ રાજ્યમાં દર્દીઓ 26 વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4703 લોકો સ્ટેબલ છે.
કેજરીવાલ સરકારે કોરોના સંક્રમણને લઇને દિલ્હીની સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર કર્યું
દેશમાં લૉકડાઉન વચ્ચે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે દિલ્હીની તમામ સરકારી અને સરકાર માન્ય સ્કૂલોમાં 11 મેથી 30 જૂન સુધી ગરમીની રજાઓ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
Summer vacation in govt & govt aided schools shall be observed as usual from 11th May to 30th June for students. However, keeping in view #COVID19, students shall not be called to schools for any teaching learning activity during summer vacation: Delhi Directorate of Education pic.twitter.com/fiintlCr65
પ્રવાસી મજૂરો પાસે કોરોના વાયરસનો ટેસ્ટનો આગ્રહ 'અમાનવીય' : શિવસેના
શિવસેનાએ બુધવારે એ રાજ્યોની ટીકા કરી જે પ્રવાસી મજૂરોને પાછા લાવતા પહેલા તેમની કોરોના વાયરસની તપાસ (ટેસ્ટિંગ) નો આગ્રહ રાખી રહ્યા છે. શિવસેનાએ તેને 'ક્રૂર અને અમાનવીય' વલણ બતાવ્યું છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ લગભગ 39 કરોડ લાભાર્થીઓને ડીજીટલ સિસ્ટમની મદદથી અત્યાર સુધીમાં 34,800 કરોડ રૂપિયાની નાણાકીય મદદ ઉપલબ્ધ કરાઇ ચૂકી છે. નાણા મંત્રાલયે બુધવારે તેની જાણકારી આપી.
દિલ્હી પોલીસના કોન્સ્ટેબલનું મોત, કોરોના વાયરસ ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા
દિલ્હી પોલીસના 31 વર્ષના કોન્સ્ટેબલનું મંગળવારે સાંજે બીમાર પડ્યા બાદ મોત થઇ ગયું છે અને તેના સેમ્પલ કોરોના વાયરસ તપાસ માટે મોકલાયા છે. પોલીસે બુધવારે જણાવ્યું કે તપાસની રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. હરિયાણાના સોનીપતનો રહેવાસી કોન્સ્ટેબલ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં તહેનાત હતો.
રાજસ્થાનમાં બીએસએફના 30 જવાનો કોરોના પોઝિટિવ
રાજસ્થાનમાં બોર્ડર સિક્યૂરિટી ફોર્સના 30 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. બીએસએફના સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઇને તેની પુષ્ટી કરી છે. અત્યાર સુધીમાં બીએસએફના 100થી વધારે જવાનો કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા છે.
પ.બંગાળ: રાજસ્થાનથી પાછા આવેલા પ્રવાસીઓ પર ડિસઇન્ફેક્ટેન્ટનો છંટકાવ
રાજસ્થાનથી અજમેરથી મંગળવારે 1100 પ્રવાસી મજૂરોને લઇને પશ્ચિમ બંગાળના હુગલી પહોંચેલા સ્પેશિયલ ટ્રેન દનકુલી સ્ટેશન પહોંચી ગઇ છે. અહીં ઉતરનારા લોકો પર ડિસઇન્ફેક્ટેન્ટનો છંટકાવ કરવામાં આવ્યો. તેનો એક વીડિયો વાઇરલ થયો છે.
દિલ્હીમાં કોરોના પીડિતોની સંખ્યા 5000ને પાર પહોંચી, 11 દિવસે ડબલ થઇ રહ્યા છે કેસ
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જોકે તેના કેસ વધાની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યાર સુધીમાં 5104 કેસ નોંધાયા છે. મંગળવારે 206 નવા કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 1468 કેસ રિકવર થયા છે. જ્યારે કોરોના વાયરસ કેસ ડબલ થવાની ટકાવારી 11 દિવસ થઇ છે. હાલ 17 લોકો વેન્ટિલેટર પર છે.
કર્ણાટક સરકારે 1,610 કરોડ રૂપિયાના પેકેજની બુધવારે જાહેરાત કરી
કર્ણાટક (Karnataka) સરકારે કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે લગાવેલા લૉકડાઉનને કારણે હેરાન લોકોને રાહત આપવા માટે 1,610 કરોડ રૂપિયાના પેકેજની બુધવારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ખેડૂતો, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (MSME), હેન્ડલુમ વણકર, ફૂલોની ખેતી કરનારા, ધોબીઓ, નાઇઓ, ઓટો અને ટેક્સી ચલાવનાર સહિત અન્ય લોકોને ધ્યાનમાં રાખતા આ પેકેજનું એલાન કર્યું છે. કર્ણાટક સરકારે 11 ટકા આબકારી/ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારાની જાહેરાત કરી, જે બજેટમાં જાહેર કરાયેલ 6 ટકા વૃદ્ધી સિવાયની છે. આ રાહત પેકેજ હેઠળ ફુલની ખેતી કરનાર લોકોને પ્રતિ હેક્ટર 25,000 રૂપિયાની રાહત મળશે. ધોબી અને નાઇઓને 5,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઓટો અને ટેક્સીને એક 5,000 રૂપિયા આપવામાં આવશે. નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને 3,000 રૂપિયા મળશે. તેઓને પહેલા 2,000 રૂપિયાની ચૂકવણી કરાઇ ચૂકી છે.
भारत में कोरोना वायरस पॉजिटिव मामलों की संख्या बढ़कर 49,391 हो गई है (इसमें 33,514 सक्रिय मामले, 1,694 मौतें, 14,182 ठीक/डिस्चार्ज हो चुके मामले और 1 विस्थापित मामला शामिल है): स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19pic.twitter.com/GpUKDsER4E
કેન્દ્રીય સ્વાસ્થ્ય મત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા 3900 કેસ સામે આવ્યા છે. જ્યારે સર્વાધિક 195 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 46,433 થઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 1568 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર કોરોના સંક્રમિતોની સંખ્યા 15.525 પર પહોંચીછે તો ગુજરાતમાં 6245, દિલ્હીમાં 5104, મધ્યપ્રદેશમાં 3049, ઉત્તરપ્રદેશમાં 2880, રાજસ્થાન માં 3158,તમિલનાડુમાં 4058, આંધ્રપ્રદેશમાં 1717, તેલંગાણામાં 1096 કેસ નોંધાયા છે.
કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સાથે સોનિયા ગાંધી કરશે ચર્ચા
આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સાથે ચર્ચા કરશે. જેમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકો મુદ્દે સોનિયા ગાંધી ચર્ચા કરશે. કોરોના મુદ્દે રાજ્ય સરકારોની કામગીરી અંગે ચર્ચા કરાશે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વધારી એક્સાઈઝ ડ્યૂટી
લૉકડાઉનમાં ક્રૂડનો વપરાશ ઘટવાના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પણ તેના ઉત્પાદનમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. આ માટે ક્રૂડ માર્કેટમાં મંદી છે અને તેલના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે. ભારતીય કંપનીઓ ઓછી કિંમતે તેને ખરીદી રહી છે અને તેનો ફાયદો સરકાર પોતે જ ઉઠાવી રહી છે. સામાન્ય માણસને તેનો કોઈ ફાયદો મળી રહ્યો નથી. આ ફેરફારમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ .8 નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ .2 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ .7 ની વધારાની વધારાની ડ્યૂટી પણ લગાવાઈ છે. આ રીતે, પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડીઝલના ભાવમાં 13 રૂપિયા વધારો થયો છે.
अहमदाबाद के नगर आयुक्त विजय नेहरा को पॉजिटिव मामलों के संपर्क में आने के बाद 14 दिनों के लिए घर में क्वारंटाइन किया है। 2 सप्ताह के लिए मुकेश कुमार, उपाध्यक्ष और सीईओ गुजरात मैरीटाइम बोर्ड को AMC का प्रभारी नगर आयुक्त बनाया गया है: गुजरात CMO
पिछले 24 घंटों में गुजरात में 49 मौतें और 441 नए #COVID19 मामले सामने आए हैं। 39 मौतें और 349 नए मामले अहमदाबाद के हैं। कुल मामले 6245 हो गए हैं, मरने वालों की संख्या 368 हो गई है: स्वास्थ्य विभाग, गुजरात pic.twitter.com/9t6piZW9tS
ગુજરાતમાં 72 કલાકમાં 106 લોકોના જીવ કોરોનાએ લીધો છે. 3 દિવસમાં કોરોનાએ દર 40 મિનિટે એકનો જીવ લીધો. રાજ્યમાં કોરોના સક્રંમિતોની સંખ્યા 6245 પર પહોંચી, રાજ્યમાં મૃત્યુ આંક 368 થયો છે તો અત્યાર સુધી 1381 લોકોના સાજા થયા છે.