સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 1074 લોકો ઠીક થયા છે. આ અત્યાર સુધીમાં 24 કલાકમાં સ્વસ્થ્ય થયેલા લોકોનો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીમાં કુલ 11706 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 42,533 થઇ છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 29,453 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસ બીમારીથી સાજા થવાનો દર (રિકવરી રેટ) વધીને 27.25 ટકા થઇ ગયો છે.
(અપડેટ્સ 4 મે 2020 - રાત્રે 11:30 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
ભારત સરકારે તબક્કાવાર રીતે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મંજૂરી આપી
વિશ્વમાં કોરોના વાયરસના પ્રકોપને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે કેન્દ્ર સરકારે (ભારત સરકાર) તબક્કાવાર રીતે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે સોમવારે માહિતી આપી હતી કે આ અભિયાન 7 મેથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી એરલિફ્ટ ઓપરેશન તરીકે જણાવવામાં આવી રહ્યું છે. વિદેશમાં વસતા આ ભારતીયોને પરત લાવવા માટે વિમાન અને નેવી શિપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. આ સંદર્ભે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 22 માર્ચથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
કોરોના સંકટ વચ્ચે NAM શિખર સમ્મેલનમાં PM મોદીએ કર્યું સંબોધન
પીએમ મોદીએ સોમવારે બિન ગઠબંધન ચળવળ (Non-Aligned Movement) દેશોના વર્ચુઅલ સમ્મેલનમાં ભાગ લીધો. આ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે અમે દુનિયાભરના 123 દેશોમાં મેડિકલ સપ્લાઇ સુનિશ્ચિત કરાઇ છે. જેમાંથી 59 NAMના દેશો પણ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે સાધારણ આયુર્વેદિક ઘરેલૂ નુસખા અપનાવે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધી શકે છે. આ સાથે પીએમ મોદીએ આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેટલાક લોકો આતંકનો જીવલેણ વાયરસ, ખોટા સમાચાર અને નકલી વીડિયો ફેલાવામાં લાગ્યા છે.
નેપાળમાં ફસાયેલા ભારતીયોએ સરકાર પાસે વાપસીમાં મદદ કરવા અપીલ
લૉકડાઉનને કારણે નેપાળના દારચૂલા શહેરમાં ફસાયેલા 20થી વધારે ભારતીયોએ કેન્દ્ર સરકાર પાસે તેમની દેશમાં પાછા આવવામાં મદદ કરવાની અપીલ કરી છે. આ ભારતીયો 5 માર્ચ પહેલા નેપાળ ગયા હતા. જોકે બંને દેશોમાં કોરોના વાયરસ મહામારીને લઇને લૉકડાઉન લાગુ થવાથી ત્યાં ફસાઇ ગયા હતા.
તમિલનાડુમાં કોરોના વાયરસના 527 નવા કેસ સામે આવ્યા
તમિલનાડુમાં કોરોના વાયરસના 527 નવા કે સામે આવ્યા છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. તમિલનાડુમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 3,550 કેસ સામે આવ્યા છે.
સિંગાપુરમાં લગભગ 4800 ભારતીય કોરોના વાયરસ પોઝિટિવ : ભારતીય ઉચ્ચ કમિશનર
સિંગાપુરમાં વિદેશી કર્મચારીઓ માટે બનેલા ડૉરમિટ્રીમાં રહી રહેલા લગભગ 4800 ભારતીય નાગરિક એપ્રિલના અંત સુધીમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. આ અંગેની જાણકારી સોમવારે સિંગાપુરમાં ભારતીય ઉચ્ચ કમિશનરે આપી છે.
SSBના 13 કર્મચારીઓ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા
સશસ્ત્ર સીમા દળ (SSB) ના અત્યાર સુધીમાં 13 જવાનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે 9 જવાનો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની 25મી બટાલિયનના છે. જ્યારે બાકી અન્ય સ્થાનોના છે.
કેરળે રાજ્યથી બહાર ફસાયેલા પોતાના નાગરિકો માટે ખોલી બોર્ડર
કેરળે લૉકડાઉનને કારણે બીજા રાજ્યોમાં ફસાયેલા પોતાના નાગરિકોની વાપસી માટે રાજ્યમાં 6 સ્થળોએ પોતાની બોર્ડર ખોલી નાંખી છે.
લૉકડાઉનને પગલે UPSCની પ્રારંભિક પરીક્ષા ટળી
લૉકડાઉનને પગલે UPSCની પ્રારભિંક પરીક્ષા સ્થગિત કરાઇ છે. આ પરીક્ષા 31 મેએ થવાની હતી. જ્યારે નવી તારીખોનું એલાન થયું નથી. બતાવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે 20 મેએ સમીક્ષા બેઠક યોજાશે. જે બાદ નવી તારીખોનું એલાન કરાશે.
BSF કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો, બિલ્ડિંગ સીલ
BSF હેડક્વાર્ટર્સનો એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ સાવચેતીના ભાગ રૂપે બીએસએફના હેડક્વાર્ટરને સીલ કરી દેવાયું છે. સાથે જ સેનેટાઇઝેશન શરૂ કરાયું છે.
દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 1074 લોકો સાજા થયા, કોરોનાના કુલ કેસ વધીને 42533 થયા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 1074 લોકો ઠીક થયા છે. આ અત્યાર સુધીમાં 24 કલાકમાં સ્વસ્થ્ય થયેલા લોકોનો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીમાં કુલ 11706 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 42,533 થઇ છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 29,453 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસ બીમારીથી સાજા થવાનો દર (રિકવરી રેટ) વધીને 27.25 ટકા થઇ ગયો છે.
પ્રવાસી શ્રમિકોનો રેલ ટિકિટ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે એમ સોનિયા ગાંધીએ નિવેદનમાં જણાવ્યું છે. તેઓએ કહ્યું કે જરૂરિયાતમંદ શ્રમિકોનો રેલ ટિકિટ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે. તેઓએ ઉમેર્યું કે શ્રમિકોની મહેનત અને કુરબાની રાષ્ટ્રનિર્માણનો પાયો છે.
भारतीय राष्ट्रीय कांग्रेस ने निर्णय लिया है कि प्रत्येक राज्य कांग्रेस कमेटी जरूरतमंद श्रमिक और प्रवासी मजदूरों की रेल यात्रा का खर्च उठाएगी और इस संबंध में आवश्यक कदम उठाएगी: सोनिया गांधी, कांग्रेस अध्यक्ष (फाइल तस्वीर) pic.twitter.com/LnCgdC2inc
વેક્સિન બન્યા બાદ મોટી માત્રામાં જરૂર પડશે. વિશ્વમાં 1400 કરોડ ડોઝની જરૂર પડશે. વિશ્વના તમામ હિસ્સામાં તાત્કાલિક ડોઝ મોકલવા પડશે વેક્સિન સિંગલ ડોઝમાં અસર કરશે તો પણ 700 કરોડ ડોઝની જરૂર પડી શકે છે.
મહારાષ્ટ્રમાં રેડ ઝોનમાં પણ દુકાન ખોલવાની મંજૂરી
કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો નહીં ખુલી શકે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડ અલોન દુકાન ખોલવાની મંજૂરી અપાઇ છે. મોલ અને પ્લાઝામાં દુકાન ખોલી શકાશે નહીં. બિનજરૂરી દુકાનો એક લાઇનમાં 5 જ ખુલ્લી રાખી શકાશે. વાઇન શોપ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સાથે જ સલૂન અને બ્યૂટી પાર્લર બંધ રહેશે તેમ પણ જણાવાયું છે.
કોરોનાને લઈને 20 કેન્દ્રીય પબ્લિક હેલ્થ ટીમોની રચના
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા ટીમો બનાવાઈ છે. દેશના રાજ્યો સહિત ગુજરાતમાં કેન્દ્રની ટીમો આવશે અને અમદાવાદ, સુરત અને વડોદરામાં કેન્દ્રીય હેલ્થ ટીમ તપાસ કરશે. દેશના સૌથી વધુ કોરોના કેસવાળા 20 જિલ્લામાં આ ટીમ મોકલવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોવિડના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સાથે કામ કરશે.
હરિયાણા સરકારે દારૂ પર સેસ લગાવ્યો
રાજ્યમાં દારૂ પર કોવિડ-19 સેસ લગાવ્યો છે. જેમાં 2 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો સેસ લગાવી શકાશે તેમ DYCM દુષ્યંત ચૌટાલાએ જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક 5445 પહોચ્યો છે. રાજ્યમાં કોરોનાથી કુલ 290 લોકોના મૃત્યુ થયા છે અને સાથે જ રાજ્યમાં કુલ 1 હજાર 42 લોકો પોઝિટિવ બાદ સાજા થયા છે.
અમદાવાદ ગ્રામ્યને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર
કોરોનાનુ સંક્રમણ અટકાવવા કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મુકાયા છે. જેમાં બોપલના 365 ઘર કન્ટેઈનમેન્ટમાં અને 269 ઘરોને બફર વિસ્તારમાં મુકાયા છે.
આજથી લૉકડાઉન 3.0 શરૂ, આખા દેશમાં લાગૂ રહેશે આ પ્રતિબંધ
હવાઈ, રેલવે, મેટ્રો મુસાફરી અને માર્ગ દ્વારા આંતરરાજ્ય ટ્રાફિક પર દરેક ઝોનમાં પ્રતિબંધો રહેશે.
શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ અને કોચિંગ સંસ્થાઓને ખોલવાની મંજૂરી નથી.
હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિતની અન્ય આતિથ્ય સેવાઓ પરના દરેક ઝોનમાં પ્રતિબંધો ચાલુ રહેશે.
જીમ, થિયેટરો, મોલ્સ, સિનેમા હોલ, બાર વગેરે જેવા જાહેર સભા સ્થળો બંધ રહેશે.
ધાર્મિક, સામાજિક અને રાજકીય મીટિંગોને મંજૂરી આપવામાં આવશે નહીં.
પ્રતિબંધિત ઝોનમાં લોકોની હિલચાલ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે અને તેમના ઘરે આવશ્યક સેવાઓ પ્રદાન કરવામાં આવશે.
આ ઝોનમાં મળશે આ રાહત
કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ ક્ષેત્રોને વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ), નિકાસ ઓરિએન્ટેડ એકમો (ઇયુ), ઔદ્યોગિક વસાહતો અને ઔદ્યોગિક ટાઉનશીપમાં કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.
લોકોને કન્ટેન્ટ ઝોન સિવાયના તમામ ઝોનમાં બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે બહાર જવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે.
કોઈ પણ વિસ્તાર, બજાર કે મોલની એકમાત્ર દુકાન કન્ટેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં દારૂના વેચાણની મંજૂરી આપવામાં આવશે. એક સમયે દુકાનમાંથી પાંચ કરતા વધારે લોકો ન હોવા જોઈએ અને બે લોકો વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર હોવું જોઈએ.
લોકોમાં અંતર રાખવા અને અન્ય સાવચેતી રાખતા તમામ ઝોનમાં આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ્સ (ઓપીડી) અને મેડિકલ ક્લિનિક્સ ખુલશે. જો કે, તેને કન્ટેનમેન્ટ ઝોનમાં મંજૂરી આપવામાં આવશે નહીં.
તમામ માલ પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવશે અને કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પડોશી દેશો સાથેના કરાર હેઠળ જમીનની સરહદથી માલની અવરજવર અટકાવશે નહીં.
રેડ ઝોનની સ્થિતિ હશે આવી
રેડ ઝોનમાં (કન્ટેનમેન્ટ ઝોનની બહાર), કેટલીક વધારાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જેમાં રિક્ષા અને ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવાઓ, જિલ્લાની અંદર અને જિલ્લાઓ વચ્ચે બસોનું સંચાલન, બાર્બર શોપ, સ્પા અને સલૂન વગેરેનો સમાવેશ થાય છે.
પ્રતિબંધોની સાથે સાથે, રેડ ઝોનમાં કેટલીક અન્ય પ્રવૃત્તિઓને પણ મંજૂરી આપવામાં આવશે. આનાથી વાહનો લોકોની અવરજવર અને મંજૂરીવાળી પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપશે.
ફોર વ્હીલરમાં ડ્રાઇવર સિવાયના મહત્તમ બે વ્યક્તિ, ટુ વ્હીલર પર પાછળ વ્યક્તિ બેસી શકશે નહીં.
તમામ દારૂની દુકાનોમાં, ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછા છ ફુટ (બે યાર્ડ) નું અંતર હોવું જોઈએ અને એક સમયે પાંચ કરતાં વધુ લોકો હોવું જોઈએ નહીં.
રેડ ઝોનમાં ઘરેલુ મદદ / સહાયકોના વિષય પર, નિવાસી કલ્યાણ સંઘ (આરડબ્લ્યુએ) એ નક્કી કરવાનું છે કે બહારના લોકોને મંજૂરી આપવામાં આવશે કે નહીં. જો આરડબ્લ્યુએ પરવાનગી આપે છે, તો ઘરેલું સહાયક / સહાયક અને એમ્પ્લોયર દ્વારા આરોગ્ય નિયમોનું પાલન કરવું આવશ્યક છે અને જો કંઇપણ ખોટું થાય છે, તો તેને નોકરી આપનારની જવાબદારી રહેશે.
રેડ ઝોનમાં ખાનગી કચેરીઓમાં 33 ટકા જેટલા કર્મચારી જઈ શકે છે, જ્યારે બાકીના ઘરેથી કામ કરશે.
શહેરી વિસ્તારમાં આ છે નિયમ
આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને પુરવઠો જેમ કે દવા, તબીબી ઉપકરણો, વગેરે, આઇટી હાર્ડવેર, જૂટ ઉદ્યોગ, શહેરી વિસ્તારોમાં બાંધકામ (કામદારો કામના સ્થળે હોય તો). આ તમામ ચીજો ચાલુ રહેશે.
ગ્રામીણ વિસ્તારમાં આ છે નિયમ
તમામ ઔદ્યોગિક અને બાંધકામ પ્રવૃત્તિઓ, શોપિંગ મોલ સિવાયની તમામ દુકાનો, તમામ કૃષિ, પશુપાલન અને વાવેતરની પ્રવૃત્તિઓ, આરોગ્ય સેવાઓ, નાણાકીય ક્ષેત્ર સહિત બેન્કો, કુરિયર અને ટપાલ સેવાઓ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી, આઇટીઇએસ વગેરે.ને અનુમતિ આપવામાં આવી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આ રહેશે સ્થિતિ
ગ્રીન ઝોનમાં દેશભરમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સિવાય તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બાર્બર શોપ્સ, સ્પા અને સલૂન્સ ખોલવા દેવામાં આવશે. આ સાથે ઇ-કોમર્સ કંપનીઓ બિન-આવશ્યક ચીજોનું વેચાણ પણ કરી શકે છે.
કેટલાક પસંદ કરેલા હેતુઓ માટે વિમાન, રેલ અને માર્ગ દ્વારા લોકોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી પ્રાપ્ત ઉદ્દેશો માટે આવનજાવન કરી શકાશે.
લોકોની આંતર-જિલ્લા પ્રવૃત્તિઓ માટે માન્ય પ્રવૃત્તિઓ, ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉપરાંત બે વ્યક્તિઓ, ટુ-વ્હીલર પર પાછળ એક વ્યક્તિને પણ બેસવાની છૂટ આપવામાં આવશે.