ભારતમાં જારી લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 37776 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 26,167 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસથી કુલ 10,018 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 1223 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ 2293 કેસ નોંધાયા છે. જ્યારે 71 લોકોના મોત થયા છે.
(અપડેટ્સ 2 મે 2020 - રાત્રે 11:30 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
રિટાયર્ડ જસ્ટિસ એ કે ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન
કોરોના સંક્રમણથી લોકપાલના સભ્ય રિટાયર્ડ જસ્ટિસ એ કે ત્રિપાઠીનું નિધન થયું છે. તેઓ 2 એપ્રિલથી એમ્સમાં દાખલ હતા. 63 વર્ષના ત્રિપાઠી એપ્રિલની શરૂઆતમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમની પુત્રી અને ઘરના એક નોકર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા પરંતુ તેઓ ઠીક થઇ ગયા હતા.
પાલઘર લિન્ચિંગ મામલામાં ધરપકડ કરાયેલા 106 આરોપીઓમાંથી એક 55 વર્ષના વ્યક્તિની કોરોના વાયરસની તપાસ પોઝિટિવ આવી છે. કોરોના પોઝિટિવ આવેલા આ આરોપીને વાડા જેલમાં 20 અન્ય શંકાસ્પદો સાથે જેલમાં રાખવામાં આવ્યો હતો.
મુંબઇમાં કોરોના વાયરસથી કુલ 322 લોકોના મોત થયા
મુંબઇના આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં કોરોના વાયરસના નવા 547 કેસ સામે આવ્યા છે સાથે જ 27 લોકોના મોત થયા છે. આમ હવે મુંબઇમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 8172 થઇ ગયા છે. જ્યારે બીમારીથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને કુલ 322 થઇ છે. જ્યારે કુલ 1704 લોકો ઠીક થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 5054, આજે નવા 333 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 333 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 5054 થઇ છે. આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં 250 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 26 દર્દીઓના મોત થયા છે. જ્યારે આજે કોરોના બીમારીથી 160 દર્દીઓ સ્વસ્થ થયા છે. 17 એપ્રિલ બાદ કોરોનાગ્રસ્ત 896 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 262 દર્દીઓના મોત થયા છે. જ્યારે હાલમાં 36 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 74,616 ટેસ્ટિંગ કરાયા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રીએ રેલવે મંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખ્યો છે. તેઓએ કહ્યું કે રાજ્યના 1.17 લાખથી વધુ પ્રવાસી મજૂરો દેશના 21 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફસાયેલા છે. તેઓએ છત્તીસગઢના પ્રવાસી શ્રમિકોની વાપસી માટે 28 ટ્રેનોની માંગ કરી છે.
छत्तीसगढ़ CM ने पत्र में रेल मंत्री को लिखा कि राज्य के 1.17 लाख से अधिक प्रवासी कामगार देश के 21 राज्यों और 4 केन्द्र शासित प्रदेशों में फंसे हैं, उन्होंने छत्तीसगढ़ के प्रवासी श्रमिकों की वापसी के लिए 28 ट्रेनों की मांग की है। https://t.co/PURGubAPEv
ભારતીય રેલવે તરફથી ચલાવાઇ રહેલી સ્પેશિય ટ્રેન રાજસ્થાનના જયપુરથી પ્રવાસી મજૂરોને લઇને બિહારના દાનાપુર પહોંચી ગઇ છે. તમામ મજૂરોની સ્ક્રીનિંગ રેલવે સ્કૂલમાં થશે. ત્યારબાદ જ લોકોને પોત-પોતાના ગૃહનગર જવા દેવામાં આવશે.
DGCAએ 17 મે સુધી આંતરરાષ્ટ્રીય-ઘરેલૂ ફ્લાઇટો પર રોક લગાવી
ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સર્કૂલર જારી કરી જણાવ્યું કે લૉકડાઉન 3.0 દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સાથે ઘરેલૂ ફ્લાઇટ પણ પૂર્ણ રીતે બંધ રહેશે. હવે 17 મે સુધી કોમર્શિયલ વિમાન સેવા બંધ રહેશે.
રેલવે મંત્રાલય તરફથી પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ચલાવાઇ રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે દરેક રાજ્યમાં માંગ ઉઠી રહી છે. આ દરમિયાન કેરળના તિરુવનંતપુરમમાં લગભગ 1100 પ્રવાસી પોતાના રાજ્યો માટે ટ્રેન પકડવા માટે સ્ટેશન પહોંચી ચૂક્યા છે.
જાવડેકરે કહ્યું- તમામ મોટી કંપનીઓનુ ભારતમાં સ્વાગત
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ભારત માટે કોરોના વાયરસ ઘણી તક લઇને આવ્યો છે. તેઓએ કહ્યું કે અમે તમામ તકનો ફાયદો ઉઠાવા કોશિશ કરી રહ્યા છીએ. જાવડેકરે કહ્યું કે દેશમાં તમામ મોટી કંપનીઓનું સ્વાગત છે.
જાણીતા ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ લોકડાઉનની ટીકા કરી અને કહ્યું કે હજુ પણ આ રીતે લૉકડાઉન વધશે તો દેશને મોટો આર્થિક ફટકો પડશે. કોરોના કરતા વધુ મોત લૉકડાઉનના કારણે ભુખમરાથી થશે એમ નારાયણ મૂર્તિનું માનવું છે.
સરકારે કાર્યસ્થળ પર કામ કરનારા માટે મોઢા પર માસ્ક ફરજિયાત કર્યા છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. શિફ્ટ બદલાતા સમયે પણ ગેપ રાખવાનો રહેશે. થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડ વોશ, સેનેટાઝરનો ઉપયોગ કરવો. સમયાંતરે કાર્યસ્થળને સેનેટાઇઝ કરવું વગેરે નિયમો પાળવાના રહેશે. 55 વર્ષથી વધુ વયના લોકો, બિમાર લોકો ઘરમાં જ રહેવું. ગર્ભવતી મહિલા, 10 વર્ષથી ઓછી વયના બાળકોએ ફરજિયાત ઘરમાં રહેવું. તમામ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ્સનો ઉપયોગ કરવો. કર્મચારી આરોગ્ય સેતુ એપનો ઉપયોગ નહી કરે તો કંપની સામે કાર્યવાહી થશે. વધુ લોકો ભેગા થાય તેવી બેઠકોનું આયોજન ટાળવું અને સાથે જ તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકિંગ ફરજિયાત કરાવવાનું રહેશે.
ગુજરાતમાં FMCG સેક્ટરને 5000 કરોડથી વધુનું નુકસાન
લૉકડાઉનના કારણે દેશને આઇસક્રીમ, કોલ્ડડ્રીંક્સ, નમકીન જેવા ઉદ્યોગમાં ભારે નુકસાન થયું છે. FMCG સેક્ટરમાં 40-45% રોજગારી ઘટવાનો ભય છે. આ સાથે જ આઇસક્રીમમાં માથાદીઠ વપરાશમાં ગુજરાત ટોચ પર છે. છતાં 750 કરોડનું આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં નુકસાન થશે.
દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશે તેમના નાગરિકોને સ્વીકાર કરવાની મનાઈ કરી છે. બિહાર અને પશ્વિમ બંગાળે પણ ગુજરાતને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે સ્થાનિક વ્યવસ્થાતંત્ર ગોઠવણ કરી શક્યું નથી. તેથી હાલમાં તેઓ રાહ જુએ અને સાથે જ નાગરિકોને કયારે પ્રવેશ આપવો તે શિડ્યૂલ નક્કી થયા બાદ રાજ્ય સરકારો મંજુરી આપે.
કોરોના સંકટ વચ્ચે NRI પરત આવવા માગે છે દેશમાં
કોરોના સંકટ વચ્ચે NRI પરત દેશમાં આવવા માગે છે. શ્રમિકો જ નહિ NRI પણ ભારત પરત આવવા માગે છે. દેશમાં પરત આવવા 32 હજાર ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. UAEથી આશરે 32 હજાર લોકોએ ભારત આવવા નોંધણી કરાવી છે. ભારતીય દૂતાવાસમાં કરવામાં આ અંગે નોંધણી કરવામાં આવી રહી છે. જેમાં મહિલાઓ અને વડીલોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારે ભારત આવવા માગતા NRIઓએ સ્પેશિયલ ટ્રેનની જેમ સ્પેશિયલ ફ્લાઇટની મંજૂરી માગી છે.