દેશમાં કોરોના વાયરસની મહામારીના કેસનો આંકડો વધી રહ્યો છે. દેશમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 1,965 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં 50 લોકોના મોત થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોના વાયરસથી હજુ પણ 1,764 લોકો સંક્રમિત છે. જ્યારે 150 લોકો કોરોનાથી ઠીક થઇ ચૂક્યા છે. ગત 24 કલાકમાં જ 328 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અહીં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 293 થઇ ગઇ છે. જેમાંથી 182 એવા લોકો છે જે તબલીગી જમાતના મરકઝમાં સામેલ થયા હતા. આ જાણકારી દિલ્હી સરકારે આપી છે. ગત 24 કલાકમાં 141 નવા કેસ નોંધાયા છે.
ગૃહ મંત્રાલયે તબલીગી જમાતના 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કર્યા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત (Tablighi Jamaat) વિરુદ્ધ કડક પગલા લીધા છે. આ જમાતમાં સામેલ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે.
ભાજપે ગુરુવારે કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ સરકારની ધીમી કાર્યવાહીને લઇને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા સરકારની ટીકાને 'દુર્ભાગ્યપૂર્ણ' બતાવી છે અને કહ્યું કે આ કોરોના સંકટનું બીન જરૂરી રીતે રાજનીતિકરણ કરવાનો પ્રયાસ છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદી તમામને સાથે લઇને ચાલી રહ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે. તેઓએ કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1 કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યના ભાવનગરમાંથી એક વ્યક્તિ કોરોના વાયરસથી પોઝિટિવ નોંધાયો છે. જ્યારે 3 વ્યક્તિને વેન્ટિલેટર પર રખાયા છે. ગુજરાતમાં કુલ 88 કોરોના વાયરસથી પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાથી 66 દર્દીઓ સ્ટેબલ છે.
PM મોદી આવતીકાલે વીડિયોના માધ્યમથી સંદેશ આપશે
PM મોદી આવતીકાલે વીડિયોના માધ્યમથી સંદેશ આપશે. પીએમ મોદી ટ્વિટ કરીને કહ્યું કે તેઓ આવતીકાલે સવારે 9 વાગ્યે વીડિયો સંદેશ આપશે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના 219 મામલા સામે આવ્યા
દિલ્હીના અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 219 કેસ સામે આવ્યા છે. તેમા નિઝામુદ્દીન મરકઝ હાજર રહેલા લોકો પણ સામેલ છે. અત્યાર સુધીમાં 4ના મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ભારત પણ તેમાથી બાકાત નથી રહ્યું. ભારતમાં આજે 328 કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 152 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. દિલ્લીના તબલીગી જમાત મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સસિવ લવ અગ્રવાલે આ મામલે કહ્યું કે મરકજમાં ગયેલા અલગ-અલગ રાજ્યોના કુલ 9,000 લોકોની ઓળખ થઈ ચુકી છે. જેમાંથી 1,300 લોકો વિદેશીઓ છે. તેમજ મરકજ સાથે જોડાયેલા 400 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા છે.
રાંચીમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો
ઝારખંડની રાજધાની રાંચીની હિન્દપીઢી વિસ્તારમાં મેલેશિયાઇ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે ગયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓે પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. મહિલા કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલની જગ્યાએ વિસ્તારમાં છુપાયેલી છે. ત્યારે આ મામલે હુમલો કરનારાઓ પર એફઆઇઆ નોંધવામાં આવી છે.
કોરોના વાયરસથી હરિયાણામાં પહેલું મોત
હરિયાણામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે એક વૃદ્ધનું મોત થઇ ગયું છે. હરિયાણામાં કોરોના વાયરસને કારણે આ પહેલુ મોત છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર 67 વર્ષના વૃદ્ધ અંબાલાના રહેવાસી હતા. જેમની ચંદીગઢ સ્થિત પીજીઆઇ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
એશિયાની સૌથી મોટી ઝુપંડપટ્ટી મુંબઇની ધારાવીમાં છેલ્લા 24 કલાકમાં બીજો કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
સોનિયા ગાંધી મોદી સરકાર પર ભડક્યા, કહ્યું 'બિન આયોજિત લૉકડાઉન'
કોરોના વાયરસ સંકટ અને લૉકડાઉનને કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઇ. આ દરમિયાન કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લૉકડાઉન જરૂરી હતું પરંતુ તેને બિન આયોજિત રીતે લાગૂ કર્યું. લૉકડાઉનને કારણે લાખો પ્રવાસી મજૂરોનું ઉત્પીડન થયું.
लाखों मजदूरों के पलायन की इस पीड़ादायक स्थिति ने हर दिल को बहुत दर्द पहुंचाया है। हममें से हर व्यक्ति का कर्तव्य है कि उनकी तकलीफों को बांटकर इस घड़ी में मदद करें: श्रीमती सोनिया गांधी (CWC बैठक के दौरान) pic.twitter.com/3xi3xyhiqO
પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના સાથે જોડાયેલી સ્થિતિ પર ચર્ચા કરી. પીએમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા.
Prime Minister Narendra Modi holds meeting with Chief Ministers via video conferencing, on #COVID19 situation in the country. Home Minister Amit Shah & Defence Minister Rajnath Singh also present. pic.twitter.com/t0irTAXGc5
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે બુધવારે 1 એપ્રિલે જે 32 લોકોને કોરોના પોઝિટવ જોવા મળ્યા છે તેમાંથી 29 લોકો તબલીગી જમાતના છે. જે નિઝામુદ્દીનના મરકઝમાં સામેલ થયા હતા.
મૌલાના સાદની નવી ઑડિયો ક્લિપ, ચેકઅપ કરાવવાની કરી અપીલ
લૉકડાઉન છતા નિઝામુદ્દીનમાં મરકઝના આરોપી મૌલાના સાદે નવી ઑડિયો સંદેશ જારી કર્યો છે. અને લોકોને ચેકઅપ કરાવાની અપીલ કરી છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
Maharashtra: Dharavi area of Mumbai; a resident of the area who had tested positive for #COVID19 lost his life at Sion Hospital yesterday. The deceased person had symptoms like fever, cough, respiratory issues and also had a co-morbid condition of renal failure. pic.twitter.com/xRx31hGzZD
મૃતક દર્દી સાયન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. મૃતક વ્યક્તિને તાવ, ખાંસી, શ્વાસની સમસ્યા હતી. સાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે અને સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 338 થઈ ગઈ છે.
આંધ્રપ્રદેશમાં વધુ 21 નવા કેસ નોંધાયા
21 more #COVID19 cases reported in Andhra Pradesh, taking the total number of positive cases in the state to 132: Arja Srikanth, State Nodal Officer pic.twitter.com/hT0jxlbSPE
હરિયાણામાં કોરોનાના કારણે 67 વર્ષિય શખ્સનું મોત થયું છે તો મણિપુરમાં કોરોનાનો વધુ એક કેસ, કુલ પોઝિટિવ કેસ 2 થયા છે. રાજસ્થાનમાં કોરોનાના નવા 9 કેસ
નોંધાયા જેથી અહીં કોરોનાના દર્દીઓની સંખ્યા 129 થઈ છે. દિલ્લી જમાતમાં સામેલ થનારા 13 લોકો યૂપીના મોરાદાબાદથી ઝડપાયા છે. તો વડોદરાના પાંડુ ગામથી
દિલ્લી જમાતમાં ગયેલા 12 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. ઉલ્લેખનીય છે કે આજે મૂળ વડોદરાના વૃદ્ધનું કોરોનાથી અમેરિકામાં મોત નીપજ્યું છે. આ સાથે ગુજરાતમાં
મૃત્યુઆંક 7એ પહોંચ્યો છે.
32 people were tested positive yesterday in Delhi out of which 29 people had attended Tablighi Jamaat event in Nizamuddin. A total of 700 possibly infected & confirmed cases of #COVID19 are in different hospitals in Delhi: Health Minister Satyendar Jain pic.twitter.com/5u3blJwC3a
મુંબઈમાં હાલમાં જ એક મહિલા અને તેનું 3 દિવસનું બાળક કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ડિલિવરી બાદ બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ બાળક કદાચ હાલ સુધીનો કેસનું સૌથી નાનું બાળક હશે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 335 કેસ નોંધાયા છે. અહી સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે અહીં 5 સીઆઈએસએફના જવાનોને પણ કોરોના થયો છે. તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
Rajasthan: "36 people who had who attended the Tablighi Jamaat congregation at Nizamuddin Markaz in Delhi have been identified & quarantined", says Pratap Singh, Chief Medical Health Officer (CMHO) of Jhunjhunu #COVID19 (1.04.2020) pic.twitter.com/XOWLws1dNA
રાજસ્થાનના જે 36 લોકોએ તુબલીગી જમાતમાં ભાગ લીધો હતો તે તમામને શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ 36 લોકોને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેથી તેઓના કારણે અન્ય લોકોને ખતરો ન રહે.
104 persons who had who attended the Tablighi Jamaat congregation at Nizamuddin Markaz in Delhi were picked from various mosques yesterday.They have been lodged at a resort & their samples will be collected: Dr Mukesh Vats, Chief Medical Officer of Agra #COVID19 (1.04.2020) pic.twitter.com/Mt7NldsqEE
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
ગુજરાતનું અમદાવાદ બન્યું હૉટસ્પોટ
ગઈકાલે પોરબંદરમાં 2 નવા કેસ અને સુરતમાં 2 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 87 પર પહોંચ્યો છે. અમદાવાદમાં એક સાથે એક જ દિવસમાં કોરોના વાયરસના 8 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કારણે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું. ત્યારે હવે CBSE બોર્ડ દ્વારા 1થી 8ના વિદ્યાર્થીઓને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. ત્યારે કોરોના વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દીના મોત થયા છે. જ્યારે 7 દર્દીઓ સાજા થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
1800 people related to Tablighi Jamaat have been sent to 9 hospitals and quarantine centers. The recent rise in cases does not represent a national trend: Lav Agrawal, Joint Secretary, Ministry of Health pic.twitter.com/AMnpd5N07O
આરોગ્ય વિભાગના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા છે. ખાસ કરીને ગઇકાલથી કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. તબલઘી જમાતના લોકોને કારણે આ મામલામાં ઓચિંતો વધારો થયો હતો.
ઈન્દોરમાં પણ કોરોનાના કુલ 12 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે ઈન્દોરમાં સંક્રમિતોની કુલ સંખ્યા 75 થઈ છે. અહીં કુલ 98 કેસ નોંધાઈ ચૂક્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ 4 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે અહીં વધુ 4 લોકોના મોત નિપજ્યા હતા, આ તમામ લોકો મુંબઇના હતા. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયાં છે.
ચ્યુઇંગમના વેચાણ પર પ્રતિબંધ
હરિયાણાની ખટ્ટર સરકારે કોરોના વાયરસના ચેપને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચ્યુઇંગમના વેચાણ પર સરકારે ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું માનવું છે કે તે કોરોના વાયરસ ફેલાવી શકે છે.
તમિલનાડુમાં 110 નવા કેસ
દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલઘી જમાત ના મરકજથી પરત ફરેલા લોકોમાં કોરોના વાયરસનો ચેપ જેવા મળી રહ્યો છે. ત્યારે મરકજથી તમિલનાડુ પરત ફરેલા 110 લોકો કોરોનાનો શિકાર બન્યા છે. આ સાથે જ તામિલનાડુમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 234 થઇ ગઈ હતી.