સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે અને 72 લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35365 થઇ ગઇ છે. તેમાંથી કુલ 25007 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 9065 લોકો કોરોના બીમારીથી ઠીક થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1152 લોકોના મોત થયા છે.
(અપડેટ્સ 1 મે 2020 - રાત્રે 10:50 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
દિલ્હીમાં કોરોના વાયરસના નવા 223 કેસ નોંધાયા
દિલ્હીમાં સ્વાસ્થ્ય વિભાગ મુજબ દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 223 કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે. આ આંકડાના આધારે દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા હવે 3738 થઇ ગઇ છે.
મુંબઇમાં એક જ દિવસમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ આવ્યા
મુંબઇમાં શુક્રવારે સૌથી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. એક દિવસમાં સૌથી વધારે 751 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 7625 થઇ ગઇ છે.
ગ્રીન ઝોનમાં ખુલશે દુકાનો પરંતુ હશે આ શરત
દારુની દુકાનો અને પાનની દુકાનોને એકબીજાથી ઓછામાં ઓછી 6 ફૂટના અંતરેથી ગ્રીન ઝોનમાં કામ કરવાની મંજૂરી અપાશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે દુકાન પર એકવારમાં 5થી વધારે વ્યક્તિ હાજર ન હોય.
દેશમાં કોરોના વાયરસ મહામારીને લઇને જારી લૉકડાઉન બે સપ્તાહ લંબાવાયું
દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. આ વચ્ચે કોરોના સંકટનો સામનો કરવા માટે દેશમાં લૉકડાઉન બે સપ્તાહ માટે લંબાવાયું છે. હવે દેશમાં 17 મે સુધી લૉકડાઉન જારી રહેશે. ગૃહ મંત્રાલય દ્વારા તેની જાણકારી અપાઇ છે. લૉકડાઉન 2.0 આગામી 3 મે પૂર્ણ થવાનું હતું. મોદી સરકારે દેશવ્યાપી લૉકડાઉન બે સપ્તાહ માટે વધારવાનો નિર્ણય લીધો છે. હવે 4 મેથી 17 મે સુધી લૉકડાઉન 3.0 જારી રહેશે.
Ministry of Home Affairs issues order under the Disaster Management Act, 2005 to further extend the Lockdown for a further period of two weeks beyond May 4: MHA pic.twitter.com/Cw4bkdMTFU
દેશમાં 2.01 કરોડ પીપીઇની જરૂરિયાત છે, ત્યારે તેને ધ્યાને લેતા કેન્દ્ર સરકારે 2.22 કરોડ પીપીઇનો ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત દેશમાં 19,398 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે. જ્યારે 60,884 વેન્ટિલેટર્સ તૈયાર કરવાના ઓર્ડર અપાયા છે. જેમાંથી 59,884 વેન્ટિલેટર્સ ઘરેલૂ ઉત્પાદકો દ્વારા જ બનાવામાં આવશે.
મહારાષ્ટ્રના પૂણેમાં કોરોના વાયરસથી 4ના મોત
મહારાષ્ટ્રના પૂણેમાં આજે કોરોના વાયરસથી 4 લોકોના મોત થયા છે. તમામ 4 મૃતક કોરોના પોઝિટિવ હતા. આ સાથે પૂણેમાં કોરોના વાયરસથી કુલ 99 લોકોના મોત થયા છે. પૂણે સ્વાસ્થ્ય અધિકારીએ આ વિશે જાણકારી આપી છે.
દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 1993 નવા કેસ, 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે અને 72 લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35043 થઇ ગઇ છે. તેમાંથી કુલ 25007 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 8888 લોકો કોરોના બીમારીથી ઠીક થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1147 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં કોરોના બીમારીથી રિકવરીનો રેટ વધીને 25.37 ટકા થયો છે.
ગુજરાતમાં 4395, દિલ્હીમાં 3515 કોરોના પોઝિટિવ, MPમાં 2626, રાજસ્થાનમાં 2582, તમિલનાડુમાં 2323 કેસ નોંધાયા છે તો UPમાં 2211, આંધ્રપ્રદેશમાં 1403, તેલંગાણામાં 1038 કેસ, પ.બંગાળમાં 758, જમ્મૂ કશ્મીરમાં 614 કેસ, કર્ણાટક 565, કેરળમાં 498, પંજાબમાં 480 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1993 કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કોરોના વાયરસ બીમારીથી દર્દીઓ સાજા થવાનો દર 25.19 ટકા થયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર
રાજ્યમાં અત્યાર સુધીમાં 4395 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી 214 લોકોના મૃત્યુ થયા છે અને સાથે જ કોરોના પોઝિટિવ બાદ 614 દર્દીઓ સાજા થયા છે.
લોકડાઉનને લઈને અમદાવાદ મનપા વધુ કડક બની
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અગાઉ શહેરમાં લોકડાઉનનું કડક પાલન તેમજ જાહેર સ્થળ પર માસ્ક ફરજિયાતને લઇને આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં લોકડાઉનના પગલે બહાર નીકળતા લોકો હજી પણ માસ્ક પહેરીને નીકળતાં નથી. ત્યારે હવે આજથી શહેરમાં મનપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્કના નિયમોને વધુ કડકપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજથી અમદાવાદ શહેરમાં મનપા કોઇપણ કારણ વગર બહાર નીકળતા લોકો તેમજ નિયમોનું પાલન નહીં કરનારાઓ પાસેથી આકરો દંડ વસૂલશે. જેમ કે કોઇપણ રસ્તા પર નીકળેલ જનતાએ માસ્ક ન પહેર્યું હોય તો 2 હજારથી 50 હજાર સુધીનો દંડ વસૂલશે.
ગુજરાત હાઇકોર્ટનુ ઉનાળુ વેકેશન રદ્દ કરાયુ
ગુજરાત હાઈકોર્ટમાં કેસનું પ્રમાણ વધી જતાં તેમનું ઉનાળું વેકેશન રદ્ કરવામાં આવ્યું છે. અહીં લૉકડાઉનનું પાલન કરવાની સાથે વીડિયો કોન્ફરન્સથી તમામ કેસોની સુનવણી કરવામાં આવશે.
CM રૂપાણીની રાજ્યોના સરપંચો સાથે ચર્ચા
CM રૂપાણી આજે રાજ્યોના સરપંચો સાથે ચર્ચા કરશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સરપંચો સાથે ચર્ચા કરશે અને કોરોનાને લઇ ગામની સ્થિતિ અંગે માહિતિ મેળવશે.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને બેઠક
આજે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીને લઈને બેઠક યોજાશે. 9 ખાલી બેઠકો મુદ્દે આજે મહત્વની બેઠક યોજાશે. રાજ્યપાલે ચૂટણીપંચને ચૂંટણી યોજવા અનુરોધ કર્યો હતો, મુખ્ય ચૂંટણી કમિશનર બેઠકમાં હાજર રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. વીડિયો કોન્ફરન્સથી સુનીલ અરોરા બેઠકમાં હાજર રહેશે.