રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને રવિવારે નવી મુંબઈની તળોજા જેલમાં મોકલવામાં આવ્યા હતા.
જાણો તળોજા જેલ વિષે
અંડરવર્લ્ડ ક્રિમિનલ્સ નો ગઢ ગણાતો "તળોજા જેલ "
અબુ સાલેમ પર થયો હતો હુમલો
અર્નબ પર મુંબઈ પોલીસનો આરોપ છે કે તે કસ્ટડીમાં હોવા છતાં તે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા જેથી તેમને તળોજા જેલ શિફ્ટ કરવામાં આવ્યા હતા.
તો આવો જાણીયે તળોજા જેલ વિષે :
1. તળોજા જેલ મુંબઈથી લગભગ 50 કિલોમીટર દૂર નવી મુંબઈના સુદૂર વિસ્તારમાં સ્થિત છે.
2. આ જેલને અંડરવર્લ્ડનો નવું ઠેકાણું ગણવામાં આવે છે. અહીંયા ઘણા નામચીન ખૂંખાર ગુનેગારો કેદ છે.
3. મહારાષ્ટ્રના આ સૌથી મોટા જેલમાં 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ અને 26/11 બ્લાસ્ટના ઘણા આરોપી કેદ છે.
4. ગુલશન કુમાર હત્યાકાંડના આરોપી અને ડી-કંપનીના મેમ્બર અબુ સાલેમ અને અબ્દુલ કય્યુમ પણ આ જેલના કેદી હતા.
5. વર્ષ 2012માં અબુ સાલેમ પર જાનલેવા હુમલો થયો હતો, સાલેમ પર હુમલો કરનાર દેવેન્દ્ર જગતાપ હતા જેઓ એડવોકેટ શાહિદ આઝમીના મર્ડરના આરોપી હતા
6. ભરત નેપાળી ગેંગના ક્રિમિનલ અબ્બાસ ખાન પણ આ જેલના કેદી હતા. મટકા કિંગ સુરેશ ભગતને મોતના ઘાટ ઉતરનાર ગુનેગારો પણ આ જેલના કેદી હતા.
7. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશના સૌથી અધિક ખૂંખાર અપરાધીઓને તળોજા જેલમાં રાખવામાં આવે છે
8. અર્નબ ગોસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે તેમને જબરદસ્તી તળોજા જેલમાં લઇ જવામાં આવ્યા છે. પોલીસ વેનમાં અર્નબે કીધું હતું કે તેમની જાન પર ખતરો છે, એટલે તે કોર્ટને તેમની મદદ કરવાનું કહે છે.