ઘણી વાર જમ્યા બાદ પેટ ભારે લાગે છે તથા ખોરાક પચવામાં તકલીફ પડે છે તો આ છે ખોરાક પચાવવા માટેના સરળ ઉપાયો
શું જમ્યા બાદ પેટ ભારે લાગે છે?
ખોરાક પચવામાં અહં તકલીફ પડે છે?
તો આ છે ઉપાયો
ઘણી વાર આપણને થોડું જમીએ તો પણ પેટ ભારે લાગવા લાગતું હોય છે. આમ થાય ત્યારે જમવાની ઇચ્છા મરી જાય છે અને જમ્યા બાદ ચેન પડતું નથી. કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે કે જે જમે એ પચી જતું હોય છે. આપણે તેમના માટે એવું પણ કહીએ છીએ કે આને તો પથરા પણ પચી જાય. પેટ ભારે લાગવાનું એક કારણ મુખ્ય છે અને તે છે પાચન યોગ્ય રીતે ન થવું. જ્યારે પાચન થતું નથી ત્યારે જમેલો ખોરાક જાણે પેટમાં જ રહી જાય છે અને પેટમાં ખૂબ ભાર લાગવા લાગે છે. તેનાં અનેક કારણો હોઇ શકે છે. આવા સમયે આપણે કેટલાક ઘરગથ્થુ નુસખા અજમાવીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.
અજમો અને સંચળ
આ બંને વસ્તુઓ રસોડામાં સરળતાથી મળી જશે અને તેમાંથી પાણી બનાવવું ખૂબ જ સરળ છે. ગેસ પર એક ગ્લાસ પાણી મૂકો અને તેમાં બે ચમચી અજમો, અડધી ચમચી સંચળ મિક્સ કરીને ઉકાળો. તેને દિવસમાં બે વાર પીઓ. જમ્યા બાદ આ જ પાણી પીઓ.
મધ
મધ ભોજન કર્યા પછી પેટમાં ભારેપણું દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. આ માટે ભોજન ખાધા પછી થોડું મધ ચાખવાની આદત રાખો. એવું કહેવાય છે કે તે ભારેપણા સિવાય પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે.
અળસી
ઘણી વાર તમને ભારેપણાની સમસ્યા રહેતી હોય છે તો તમે તેને મૂળમાંથી ખતમ કરવા માટે અળસીનાં બીજની મદદ લઈ શકો છો. આ માટે અળસીનાં બીજને રાતે પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીઓ.
લીલી ઈલાયચી
લીલી ઈલાયચી, જે ચા અથવા ખાવાનો સ્વાદ વધારે છે તેનો ઉપયોગ ભારેપણું દૂર કરવા માટે કરી શકાય છે. જો તમે ખાધા પછી ભારે પેટ થવાથી પરેશાન છો તો આ સ્થિતિમાં લીલી ઈલાયચી ચાવો. આમ કરવાથી તમને ઘણી રાહત મળશે.
વરિયાળી અને સાકર
એવું કહેવાય છે કે વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી ભારેપણું દૂર થાય છે. રોજ ખાધા પછી વરિયાળી અને સાકર ખાઓ, કારણ કે
તે પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે.