ડાયટ અને એક્સરસાઈઝનું ધ્યાન રાખવાથી પમ ઘણાં લોકોનું વજન ઘટતું નથી. તેનાથી નિરાશ થઈને લોકો ડાયટિંગ કરવા લાગે છે અથવા તો સપ્લીમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે. જેના કારણે સ્વાસ્થ્યને ઘણાં નુકસાન થાય છે. આવામાં ઘણીવાર લોકો સમજી નથી શકતાં કે આવું કેમ થઈ રહ્યું છે, તો તમને જણાવી દઈએ કે આવું મેટાબોલિઝ્મ સ્લો થવાને કારણે થાય છે.
મેટાબોલિઝ્મ સ્લો થવા પર નથી ઘટતી પેટની ચરબી
આ લક્ષણો દેખાય તો સમજો તમારું મેટાબોલિઝ્મ સ્લો છે
આનાથી એક્સ્ટ્રા ફેટ બનીને બોડીમાં જમા થવા લાગે છે
મેટાબોલિઝ્મ સ્લો હોવા પર શરીર ભોજનમાંથી મળતી કેલરીને ખર્ચ કરી શકતું નથી. જેના કારણે એક્સ્ટ્રા કેલરી ફેટ બનીને બોડીમાં જમા થવા લાગે છે અને વજન વધે છે. મેટાબોલિઝ્મની પ્રોસેસ જો ધીમી હોય તો જે ફૂડ આપણે ખાઈએ છીએ તે બરાબર પચતું નથી અને વજન ધીરે-ધીરે વધવા લાગે છે. જો મેટાબોલિઝ્મ સારું હોય તો ખોરાક યોગ્ય રીતે પચી જાય છે, સાથે જ વજન પણ કંટ્રોલમાં રહે છે અને અન્ય પણ ઘણાં ફાયદાઓ મળે છે. તો ચાલો જાણી લો આ લક્ષણો.
સતત બોડી પેઈન થવું
ઘણીવાર કેટલાક લોકોને સતત મસલ્સ પેઈન અને શરીરમાં દુખાવો રહે છે. તેની પાછળનું કારણ થાઈરોઈડ પણ હોઈ શકે છે. જેના કારણે મેટાબોલિઝ્મ પર ખરાબ અસર પડવાનું શરૂ થાય છે. તેનાથી સ્થૂળતાની પરેશાની વધે છે, જેથી આ લક્ષણ દેખાય તો અદેખાઈ કર્યા વિના ડોક્ટરને બતાવવું જોઈએ.
હમેશાં થાક લાગવો
જે લોકોનું મેટાબોલિઝ્મ સ્લો હોય છે તેમને બહુ વધારે થાક લાગ્યા કરે છે. આ પરેશાનીને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લેવી અથવા મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય એવો ડાયટ ફોલો કરવો. એકવારમાં ખાવાની જગ્યાએ દર 2 કલાકે થોડું-થોડું ખાવું.
પેટની ચરબી ઓછી ન થવી
જો વધુ કંઈ ન ખાવા છતાં પણ પેટની આસપાસ ચરબીના થર વધી જાય તો આવું મેટાબોલિક રેટ ઓછું હોવાને કારણે થાય છે. આવામાં ફેટ ઘટાડવામાં પરેશાની થાય છે. જેથી આવી સમસ્યા થાય તો મેટાબોલિક રેટ ચેક કરાવવો.
કલાકો સુધી ભૂખ ન લાગવી
ઘણાં લોકોને ભૂખ જ નથી લાગતી અથવા સવારે ખાંધુ હોય તો સીધું રાતે જ ખાય. આવું મેટાબોલિઝ્મમાં ગરબડ થવાને કારણે પણ થઈ શકે છે. જેથી આવું કંઈ થાય તો ડોક્ટરની સલાહ લેવી.