યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. વેદ વ્યાસ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!
અર્જુન જો કે કિન્નરવેશે એને નૃત્ય શીખવતો હોય છે અને ઉત્તરા તો અભિમન્યુની પત્ની બને છે પણ અજ્ઞાનવશ સ્ત્રીસહજ ઈર્ષ્યાભાવને કવિએ જે રીતે આલેખ્યો છે એ ધ્યાનાર્હ છે. પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જાણીતી છે. જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે. ક્યારેક તેણીને ક્રૃષ્ણા અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક પાંડવો થકી એક એમ તેણીને પાંચ પુત્ર હતા: પ્રતિવિંધ્ય, સુતસોમા, શ્રુતકીર્તિ, શતનિકા અને શ્રુતસેન.
આ રીતે પડ્યા પાંચાલી અને દ્રૌપદી નામ
દ્રોણ વતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા, જેમણે પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો. દ્રોણ ઉપરનું વેર વાળવા માટે તેઓએ (દ્રુપદ) અગ્નિ-ભોગ (યજ્ઞ) કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે. યજ્ઞબલિની આ આગમાંથી સુંદર શ્યામવર્ણી યુવાન દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી સાથે ઉદ્ભવે છે. તેના શ્યામવર્ણ માટે તેનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું, છતાં તે દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઊછરેલી હોવાથી પાંચાલી તરીકે વધુ ઓળખાઈ. દ્રુપદની ઈચ્છા હતી કે, માત્ર અર્જુનના હાથમાં તેમની પુત્રીનો હાથ જાય.
વાર્ણાવત ખાતે પાંડવોના સંભવિત મૃત્યુની વાત સાંભળીને તેઓ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે, જેનો હેતુ અર્જુનને જાહેરમાં લાવવાનો હતો. દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર પાંચ તીર સાધવાનાં હતાં. દ્રુપદને વિશ્વાસ હતો કે, માત્ર અર્જુન જ આ કાર્ય પૂર્ણ કરી શકે છે. બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે, જ્યારે અન્ય રાજાઓ અને રાજકુમારો તેને સાધવામાં નિષ્ફળ રહ્યા. દેશનિકાલ સમયે પાંડવોની માતા કુંતીએ તેમની પાસેનું (કે ભીક્ષા દ્વારા પ્રાપ્ત થયેલું ઉદાહરણ તરીકે દાન) બધું જ પરસ્પર સરખાભાગે વહેંચી લેવા સલાહ આપી હતી. દ્રૌપદી સાથે ત્યાંથી પરત ફર્યા બાદ અર્જુન ચોક્કસ હેતુ સાથે પહેલા તેની માતાને કહે છે, "જુઓ માતા, હું ભીક્ષા (દાન) લાવ્યો છું!".
પાંચ લાક્ષણિકતાઓ વાળો પતિ મુશ્કેલ છે
અર્જુન શેની વાત કરી રહ્યો છે એવી કોઈ જ દરકાર લીધા વિના કુંતી પુત્રને અહોભાવ સાથે જે પણ છે તેને ભાઈઓ સાથે વહેંચવા કહે છે. માતાની આજ્ઞાનું પાલન કરવા તમામ ભાઈઓ દ્રૌપદીની સંમતિ લીધા વિના જ તેને પત્ની તરીકે સ્વીકારે છે. જ્યારે કૃષ્ણ તેમના પરિવારની મુલાકાત લે છે ત્યારે તેઓ દ્રૌપદીને સમજાવે છે કે પાંચ ભાઈઓની પત્ની હોવાની તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મની કોઈ ઘટનાનું પરિણામ છે. તેણે પાછલા જન્મમાં જીવનભર ભગવાન શિવની આરાધના કરી પાંચ ઈચ્છીત ગુણોવાળો પતિ મળે તેવુ વરદાન માંગ્યું હતું. શિવ તેની આ આરાધનાથી પ્રસન્ન થયા અને કહ્યું કે તે ઈચ્છી રહી છે તેવી પાંચ લાક્ષણિકતાઓ વાળો પતિ મુશ્કેલ છે. પરંતુ તેણી તેની વાતને વળગી રહી અને ફરી તે જ માગણી ઉચ્ચારી. ત્યારબાદ ભગવાન શિવએ તેને આ વરદાન આપ્યું અને કહ્યું કે હવે પછીના જન્મમાં તેને આ મળશે.
આથી, પાંચે ભાઈઓ સાથે તેનાં લગ્ન થાય છે, દરેક એક ખાસ ગુણ ધરાવે છે: યુધિષ્ઠિર તેમનાં ધર્મનાં જ્ઞાન માટે; હજાર હાથીઓનું બળ ધરાવતો શક્તિશાળી ભીમ તાકત માટે; પરાક્રમી અર્જુન પોતાની હિંમત અને રણભૂમિનાં જ્ઞાન માટે; અતિશય દેખાવડા નકુલ અને સહદેવ, જેમનો પ્રેમથી પ્રણયના દેવ કામ પણ શરમમાં મુકાઈ જાય છે. મહાકાવ્યના અંત સુધીમાં દ્રૌપદીનાં કોઈ બાળકો જીવિત રહેતાં નથી. અર્જુન અને સુભદ્વાનો પૌત્ર પરીક્ષિત એકલો પાંડવ છે કે જે મહાભારતના અંત સુધી જીવિત રહે છે.