દ્વારકાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો એ દ્વારકા સમજે છે જે ગોમતી નદીના તટ પર ભગવાન દ્વારાકાધીશજીનું મંદિર છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. મૂળ દ્વારકા ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા.
મૂળદ્વારકાને સુદામાપુરી પણ કહેવામાં આવે છે. અહીં સુદામાજીનું ઘર હતુ. તેને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતુ. ગોમત દ્વારકા એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાજકાથ કરતા હતા અને બેટ દ્વારકાએ સ્થાન છે જ્યાં ભગવાનનું નિવાસસ્થાન હતું. આ સ્થાન ગુજરાતમાં આવેલું છે. જેની સાથે રોચક કથા જોડાયેલી છે.
બેટનો મતલબ દરિયાની વચ્ચે ઉપસી આવેલું સ્થળ છે. આજ કારણે આ સ્થળનું નામ બેટ દ્વારકા પડ્યુ છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણની અહીં મિત્ર સુદામા સાથે મુલાકાત થઇ હતી. ગોમતી દ્વારકાથી આ સ્થળ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં કૃષ્ણ અને સુદામાની પ્રતિમાઓની પણ પૂજા કરવામાં આવે છે.
માન્યતા એવી છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ અહીં જ હતો. દ્વારકા ન્યાયાધીશ ભગવાન કૃષ્ણ મનાય છે. માનવામાં આવે છે કે દ્વારકા પણ તેમના જ હાથમાં છે માટે ભગવાન શ્રીકૃષ્ણને અહીં ભક્તજનો દ્વારકાધીશ નામે બોલાવે છે. માન્યતા એવી છે કે સુદામાજી જ્યારે પોતાના મિત્રને મળવા માટે આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઇને આવ્યા હતા. તેને ખાઇને ભગવાને મિત્રની દરિદ્રતાને દૂર કરી હતી માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ચોખાના દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે
પૂજારી અનુસાર એકવખત સંપૂર્ણ દ્વારકા નગરી સમુદ્રમાં ડુબી ગઇ હતી પણ બેટ દ્વારકા નહતું ડબ્યુ અને આ જગ્યા ટાપુના રૂપમાં રહ્યો હતો. મંદિર પોતાનું અન્નક્ષેત્ર પણ છે.
માન્યતા એવી છે કે બેટ દ્વારકા જ એક સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણે પોતાના પરમ ભક્ત નરસિંહની હુંડી ભરી હતી. પહેલાના જમાનામાં અહીં લોકો પગપાળા યાત્રા દરમિયાન પોતાની પાસે વધારે રૂપિયા નહોતા રાખતા. ચોરી ના થાય તેનો પણ ડર હતો. તે સમયે કોઇ વિશ્વસ્ત વ્યકિત પાસે રૂપિયા લખાવીને બીજા ગામ જઇને હુંડી સ્વીકારવામાં આવતી હતી. નરસિંહ મહેતાની ગરીબોનો ઉપહાસ કરવા માટે કેટલાક લોકોએ નરસિંહના નામની હુંડી લખાવી દીધી હતી પણ ભગવાન શ્રીકૃષ્ણએ શ્યામલાલ શેઠનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહની હુંડીને ભરી દીધી. આ રીતે નરસિંહના નામનું ધન તીર્થયાત્રીઓના આપી દીધા અને આ રીતે નરસિંહની ખ્યાતિમાં વધારો થયો.
દ્વારકા નગરી જવા માટે લગભગ દ્વારકાથી 35 કિમીનું અંતર કાપવું પડે છે. જેમાં 30 કિમીનો રસ્તો છે જ્યારે બાકીને 5 કિમીનો રસ્તો જળમાર્ગ છે. એટલે જ સમુદ્રી માર્ગે બેટ દ્વારકા પહોંચાય છે. અમદાવાદથી દ્વારકા વચ્ચેનું અંતર 440 કિમી છે. જો અનુકૂળતા હોય તો તમે કાર લઇને પણ દ્વારકા પહોંચી શકે છો.