વૃષપર્વા નામે એક રાજા, તેને શર્મિષ્ઠા નામની દીકરી. તે પોતાની સખીઓ સાથે વનમાં ફરવા ગઇ. દેવયાની રાજગુરુની દીકરી, તે પણ શર્મિષ્ઠાની બહેનપણી. વનમાં એક સુંદર સરોવર. શર્મિષ્ઠા બધી બહેનપણીઓ સાથે નાહવા સરોવરમાં પડી. સરોવર પાસે શિવજી આવ્યા. કન્યાઓ શરમાણી. શર્મિષ્ઠાએ ભૂલમાં દેવયાનીનાં કપડાં પહેરી લીધાં.
આ રીતે વિશ્વામિત્રને મેનકા સાથે સંબંધ થયો
આ રીતે ગાંધર્વ વિવાહથી જોડાયા
તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી હું તમને જ વરીશઃ દેવયાની
દેવયાની કહે, અમે બ્રાહ્મણ બીજાનાં કપડાં પહેરતાં નથી. “દેવયાની ગુરુ શુક્રાચાર્યની દીકરી હતી શર્મિષ્ઠા અને તેની બહેનપણીઓએ દેવયાનીને નિર્વસ્ત્ર કરી કૂવામાં નાખી દીધી અને ચાલી નીકળી. દેવયાની કૂવામાં પડી પડી “બચાવો-બચાવો” એમ બૂમ પાડતી હતી. કૂવા પાસેથી રાજા યયાતિ પસાર થતા, તેણે આ બૂમ સાંભળી. યયાતિએ કન્યાને મદદ કરવા પોતાનો ખેસ કૂવામાં નાખ્યો અને દેવયાનીએ અર્ધો ખેસ શરીર પર વીંટી લીધો અને અર્ધાથી યયાતિ એ દેવયાનીને બહાર ખેંચવા માંડી. દેવયાનીનો જમણો હાથ પકડી યયાતિએ તેને કૂવામાંથી બહાર કાઢી.
તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી હું તમને જ વરીશઃ દેવયાની
દેવયાનીએ યયાતિને કહ્યું,” તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી હું તમને જ વરીશ.” યયાતિએ કહ્યું કે અમે ક્ષત્રિય અને તમે બ્રાહ્મણ. તારા પિતાજી આ વાત સહન નહીં કરી શકે. દેવયાની કહે, “મને કચનો શાપ છે તેથી કોઇ બ્રાહ્મણ મને નહીં વરે, માટે બાધ નથી.” શુક્રાચાર્યે વૃષપર્વા પાસે જઇ કહ્યું, “હે રાજા ! તારી દીકરી શર્મિષ્ઠાએ મારી દીકરી દેવયાનીને કૂવામાં નાખી દીધેલી. આજથી હું તમારા ગુરુપદનો ત્યાગ કરું છું.” શર્મિષ્ઠા અને યયાતિ સંબંધ થયો. દેવયાનીને ખબર પડતાં પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરી. ગુસ્સે ભરાયેલા શુક્રાચાર્યે યયાતિને શાપ દીધો. “હે રાજા યયાતિ ! તારી આ ભરજુવાનીમાં ઘડપણ આવી જશે. તારો દીકરો પોતાની જુવાની તને આપી દે તો જ ફરી જુવાની પ્રાપ્ત થશે. યયાતિની નજર પોતાના દીકરા યદુ પર પડી. યદુ કહે, “પિતાજી, સાઠે બુદ્ધિ નાઠી લાગે છે !” યદુએ પોતાની જુવાની આપવાની ના પાડી. યયાતિએ કહ્યું, યયાતિને રાજગાદી નહીં મળે. યદુ વંશમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણનો જન્મ થયો. શુકદેવજી કહે, “હે પરીક્ષિત ! આજે તારો ચોથો દિવસ પૂરો થાય છે. હવે હું જે વાત કરું છું તે તું ધ્યાનથી સાંભળ.”
આ રીતે મેનકા સાથે સંબંધ થયો
૮૦ વર્ષના વિશ્વામિત્ર તપ કરે છે. શરીર ઘસાતું જાય છે. આવરદા પૂરી થતી જાય છે છતાં તપના બળથી ઇન્દ્ર ડરે છે. તેણે સ્વર્ગની અપ્સરા મેનકાને કહ્યું, “જા પૃથ્વી પર અને ઋષિ વિશ્વામિત્રના તપનો ભંગ કરાવ.” વિશ્વામિત્ર જ્યાં તપ કરે છે ત્યાં ૧૬ વર્ષની મેનકા આવી નૃત્ય કરવા લાગી. તેનો ગાવાનો ને ઝાંઝરનો અવાજ સાંભળી વિશ્વામિત્ર તપભંગ થયા. તેમનું પતન થયું. મેનકા સાથે સંબંધ થયો. પરિણામે એક દીકરી થઇ.
આ રીતે ગાંધર્વ વિવાહથી જોડાયા
દીકરીને જંગલમાં એકલી મૂકીને વિશ્વામિત્ર અને મેનકા ચાલ્યા ગયા. જંગલનાં પક્ષીઓએ બાળકીને મોટી કરી તેનું નામ શકુંતલા પાડ્યું. જંગલમાં અનાથ છોકરીને કણ્વ ઋષિએ જોઇ. તે બાળકીને પોતાના આશ્રમમાં લાવ્યા. દીકરી શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં જોતજોતામાં મોટી થતી ગઇ. રાજા દુષ્યંત શિકાર કરતો કરતો કણ્વ ઋષિના આશ્રમમાં આવ્યો. શકુંતલાને જોઇ. બંને ગાંધર્વવિવાહથી જોડાઇ ગયા.
શકુંતલા આજે સાસરે જવાની છે. આશ્રમના તપસ્વી બાળકોએ આજે વેદોચ્ચાર કરવો છોડી દીધો છે. હરણાંઓએ ઘાસ ખાવાનું છોડી દીધું છે. શકુંતલા પિતા કણ્વને પગે લાગે છે. કણ્વ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. કણ્વ શકુંતલાને કહે છે, “હે દીકરી ! તું મારી પાલક પુત્રી, તને સાસરે વળાવતાં મને આટલું દુ:ખ થાય છે તો જન્મ દેનાર માતાને કેટલું દુ:ખ થતું હશે?''
વીંટી ખોવાઈ જવાના કારણે શકુંતલાનો કર્યો અનાદર
શકુંતલા સગર્ભા છે. સગર્ભા દીકરીને સાસરે વળાવવા ગયા. દુષ્યંત રાજા શકુંતલાને જોઇ કહે, “કોણે લગ્ન કર્યાં છે?” લગ્નની વાત રાજા ભૂલી ગયો. શકુંતલાએ કહ્યું, “તમે વીંટી બદલાવી છે.” શકુંતલા પોતાના હાથમાં દુષ્યંત વીંટી બતાવવા જાય છે, પણ હાથમાં વીંટી ન હતી. શકુંતલાના હાથની વીંટી નદી પાર કરતાં માછલી ગળી ગઇ હતી. શકુંતલાનો દુષ્યંતે અનાદર કર્યો. શકુંતલાએ વનમાં આશ્રમમાં દીકરાને જન્મ આપ્યો તેનું નામ ભરત પાડ્યું. સમય જતાં એક માછીમાર રાજદરબારમાં વીંટી લઇને આવ્યો. વીંટીને જોતાં જ દુષ્યંતને શકુંતલા સાથેનાં લગ્ન યાદ આવી ગયા. રાજા દુષ્યંત જંગલમાં જઇ શકુંતલા અને ભરતને પોતાના રાજ્યમાં લઇ આવ્યા.