શું તમે કાળો દોરો પહેરવાનું ધાર્મિક મહત્વ વિશે જાણો છો? જો નહીં તો આ ખબર તમારા માટે છે.
જાણો કાળો દોરો પહેરવાનું મહત્વ
પુરૂષોને કયા પગમાં બાંધવો જોઈએ કાળો દોરો
મહિલાઓને આ પગમાં બંધવો જોઈએ કાળો દોરો
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને યોગ્ય જીવન મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવ્યા છે. તેમાંથી અમુક ઉપાયો એવા પણ છે જેને કોઈ પણ વ્યક્તિ સરળતાથી અપનાવી શકે છે. જો તમે આ ઉપાયોને ફેશનની રીતે પણ અપનાવો છો તો પણ કોઈ મુશ્કેલી નહીં થાય. આ ઉપાયોમાંથી એક છે પગમાં કાળો દોરો બાંધવો.
મોટાભાગે તમે ઘણા લોકોને પગમાં કાળો દોરો બાંધતા જોયા હશે. અહીં સુધી કે ઘણા બોલિવુડ સેલેબ્રિટિઝ પણ પોતાના પગમાં કાળો દોરો બાંધે છે. તેમાંથી એક સારા અલી ખાન પણ છે જેના પગમાં તમે મોટાભાગે કાળો દોરો જોયો હશે.
ખરાબ નજરથી બચાવે છે કાળો દોરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ ખરાબ નજરથી બચાવે છે. માટે લોકો કાળો ટીકો લગાવો છે, કાળા કપડાં અથવા કાળા દોરાનો ઉપયોગ નજરથી બચવા માટે કરે છે. જોકે અમુક લોકો કાળા દોરાને ફક્ત ફેશનના રીતે પણ જુએ છે પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળ ધાર્મિક મહત્વ શું છે? જો નહીં તો આ અબર તમારા માટે છે. કારણ કે આજે અમે તમને જણાવી શું કે પગમાં કાળો દોરો પહેરવા પાછળનું ધાર્મિક મહત્વ. તો આવો જાણીએ.
આર્થિક સ્થિતિ થશે ઠીક
જો તમે આર્થિક પરેશાનિઓનો સામનો કરી રહ્યા છો અથવા તમને જોબ અથવા બિઝનેસમાં લોસ થઈ રહ્યો છે તો એવામાં તમે પગમાં કાળો દોરો પહેરી શકો છો. તેનાથી તમને થતા લોસથી છુટકારો મળી જશે સાથે જ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
નકારાત્મક શક્તિ અને ખરાબ નજરથી બચાવ
હિન્દૂ શાસ્ત્રોમાં નજર લાગવા અને તેના બચાવ વિશે ઘણુ બધુ જણાવવામાં આવ્યું છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં પણ નજર લાગવાથી બચવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાંથી જ એક પગમાં કાળા દોરો બાંધવાનો છે. માન્યતાઓ અનુસાર જો તમારે કોઈ નકારાત્મક શક્તિ પરેશાન કરે છે અથવા તમને નજર લાગી ગઈ છે તો એવામાં તમારા પગમાં કાળો દોરો ધારણ કરવો જોઈએ.
કયા પગમાં બાંધવો જોઈએ કાળો દોરો?
જ્યોતિષ અનુસાર, મહિલાઓને હંમેશા ડાબી પગમાં અને પુરૂષોને હંમેશા જમણા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. આમ કરવુ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરૂષોના પગમાં કાળા દોરો મંગળવારે બાંધવો જોઈએ.