નાતાલ અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ ૨૫મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર નવ માસ બાદ આ તારીખ એટલે કે ૨૫મી ડિસેમ્બર આવે છે.
12 દિવસ સુધી ચાલે છે નાતાલનો તહેવાર
ક્રિસમસ સાથે સંકળાયેલા છે આ રિવાજ
આ રીતે થઈ છે નાતાલના તહેવારની શરૂઆત
નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ ૧૨ દિવસ સુધી ચાલે છે. ખ્રિસ્તી ધર્મની રજા હોવા છતાં પણ નાતાલની ઉજવણી કેટલાક બિનખ્રિસ્તીઓ દ્વારા પણ ઊજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિ રિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વેના અથવા તો બિનસાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળના છે.
નાતાલની ઉજવણીમાં છે આ રિવાજ
નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિ રિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.
વેપારીઓને આ સમયે થાય છે લાભ
ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ તીવ્ર બની જાય છે. લોકો માટે આ એક નોંધપાત્ર ઘટના અને વેપારીઓ માટે વેચાણનો મુખ્ય સમયગાળો બની જાય છે. નાતાલની આર્થિક અસરો એક એવું પાસું છે કે જે છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં સ્થિરતાપૂર્વક વધી રહ્યું છે.