કેજીએફ ફિલ્મ વિષે તો સૌને ખ્યાલ હશે પણ જાણો કેજીએફનો રિયલ ઈતિહાસ શું છે.
કેજીએફ 2 જલ્દી થશે રિલીઝ
કર્ણાટક પાસે સ્થિત છે કેજીએફ
ભારતનું સૌથી પહેલું વિજળી મેળવનાર શહેર હતું કેજીએફ
કેજીએફ 2 જલ્દી થશે રિલીઝ
રોકિંગ સ્ટાર યશ આને સંજય દત્ત સ્ટારર ફિલ્મ KGF ચેપ્ટર 2 જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેજીએફ અને રોકી ભાઈનાં તેના પર રાજ કરવાની સ્ટોરી બતાવવામાં આવશે. ફિલ્મમાં રોકીની ટક્કર અધીરા સાથે થશે, જે પોતાના કેજીએફને ફરી મેળવવા આવ્યો છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ 2018માં રિલીઝ થયો હતો અને ત્યારથી જ ફેન્સ બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. આવામાં અમે તમને જણાવી દઈએ કે કેજીએફની રિયલ સ્ટોરી શું છે.
શું છે કેજીએફનો ઈતિહાસ?
કેજીએફનું આખું નામ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ છે. આ કર્ણાટકનાં દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સ્થિત એક જગ્યા છે. બેંગ્લોરનાં પૂર્વમાં આવેલા બેંગ્લોર-ચેન્નાઈ એક્સપ્રેસ વેથી 100 કિલોમીટર દૂર કેજીએફ ટાઉનશિપ છે. આ જગ્યાનો ઈતિહાસ ખૂબ જ જુનો અને દિલચસ્પ રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, 1871 માં બ્રિટિશ સૈનિક માઈકલ ફીટઝગેરાલ્ડ લેવેલીએ 1804માં એશિયાટિક જર્નલમાં છપાયેલ ચાર પાનાનો આર્ટિકલ વાંચ્યો હતો. તેમાં કોલારમાં મળનાર સોના વિષે જણાવવામાં આવ્યું હતું. આ આર્ટિકલ વાંચ્યા બાદ કોલારમાં લેવેલીની ઉત્સુકતા વધી હતી. આ ટોપિકને વાંચતા લેવેલીનાં હાથોમાં બ્રિટિશ સરકારના લેફટીનેન્ટ જોન વોરેનનો એક આર્ટિકલ લાગ્યો હતો. લેવેલીને મળેલ જાણકારી અનુસાર, 1799ની શ્રીરંગપટ્ટનમની લડાઈમાં અંગ્રેજોએ ટીપૂ સુલ્તાનને માર્યા બાદ કોલાર અને ત્યાની આસપાસનાં વિસ્તાર પર કાબૂ મેળવ્યો હતો. તેના થોડા સમય બાદ અંગ્રેજોએ આ જમીન મૈસુર રાજ્યને આપી દીધી. જોકે કોલારની જમીન તેમણે સર્વે માટે પોતાની પાસે જ રાખી હતી.
ચોલ સામ્રાજ્યમાં લોકો જમીનને હાથથી ખોદીને સોનું કાઢતા હતા. વોરેને સોના વિષે તેમને જાણકારી આપનારને ઇનામ આપવાની ઘોષણા કરી હતી. એ ઘોષણાનાં થોડા દિવસો બાદ એક બળદગાડામાં અમુક ગામવાસીઓ વોરેન પાસે આવ્યા. એ બળદગાડામાં કોલાર વિસ્તારની માટી લાગેલી હતી. ગામવાસીઓએ વોરેન સામે જ આ માટી ધોઈને સાફ કરી, તો તેમાં સોનાના અંશ મળી આવ્યા. વોરેનને ફરી જાણવા મળ્યું કે કોલાર લોકોના હાથથી ખોદીને સોનું કાઢવાને કારણે 56 કિલો માટીમાંથી થોડું સોનું નીકળી શકે છે. આવામાં તેમણે ઉપાય આપ્યો કે ટેકનીકની મદદથી વધારે સોનું મેળવી શકાય છે.
KGF હતું પહેલું વિજળી મેળવનાર શહેર
'1804 થી 1860 વચ્ચે આ વિસ્તારમાં ઘણું રિસર્ચ અને સર્વે થયા. પરંતુ અંગ્રેજી સરકારને કંઈ ન મળ્યું. આ રિસર્ચને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. ત્યાર બાદ ત્યાં ખોદકામ અટકાવવામાં આવ્યું હતુ. 1871માં વોરેનની રિપોર્ટ વાંચીને લેવેલીનાં મનમાં કોલારને લઈને ઉત્સુકતા વધી હતી. લેવેલીએ બળદગાડામાં બેસીને બેંગ્લોરથી કોલારની 100 કિલોમીટરની યાત્રા કરી. ત્યાં લગભગ 2 વર્ષ સુધી રિસર્ચ કર્યા બાદ 1873માં લેવેલીએ મૈસુરનાં મહારાજા પાસેથી તે જગ્યા પર ખોદકામ કરવાની પરવાનગી માંગી.
લેવેલીએ કોલાર ક્ષેત્રમાં 20 વર્ષ સુધી ખોદકામ કરાવવાનું લાઈસન્સ લીધું હતું. ત્યાર બાદ 1875આ ત્યાં કામની શરૂઆત થઇ હતી. ગયા થોડા વર્ષો સુધી લેવેલીનો મોટાભાગનો સમય પૈસા ભેગા કરવામાં અને લોકોને કામ કરવા માટે તૈયાર કરવામાં જ નીકળ્યો હતો. ઘણી તકલીફો બાદ કોલાર ગોલ્ડ ફિલ્ડ એટલે કે કેજીએફથી સોનું કાઢવાનું કામ શરુ કરવામાં આવ્યું. કેજીએફની ખીણોમાં પહેલા લાઈટની સુવિધા મશાલ કે માટી અને તેલથી સળગાવવામાં આવતી લાલટેનથી થતી હતી. પરંતુ આ પુરતું ન હતું. એટલા માટે ત્યાં વિજળીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રકારે કેજીએફ વિજળી મેળવનાર ભારતનું પહેલું શહેર બન્યું હતું.
કોલાર ગોલ્ડ ફિલ્ડની વિજળીની જરૂરીયાત પૂરી કરવા માટે ત્યાંથી 130 કિલોમીટર દૂર કાવેરી વિજળી કેંદ્ર બનાવવામાં આવ્યું હતું. વિજળી પહોંચ્યા બાદ કેજીએફમાં સોનાનાં ખોદકામને વધારવામાં આવ્યું હતું. ત્યાં ઝડપથી ખોદકામ કરવા માટે મશીનોને કામ પર લગાવવામાં આવ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે 1902 આવતા આવતા કેજીએફ ભારતનું 95 ટકા સોનું કાઢવા લાગ્યું હતું. આના કારણે 1905માં સોનાનાં ખોદકામનાં મામલામાં ભારત દુનિયામાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું હતું.
નાનું ઇંગ્લેન્ડ કહેવાતી હતી આ જગ્યા
કોલાર ગોલ્ડ ફિલ્ડમાં સોનું મળ્યા બાદ ત્યાની તસવીર જ બદલાઈ ગઈ હતી. તે સમયની બ્રિટિશ સરકારનાં અધિકારી અને એન્જીનિયર ત્યાં પોતાના ઘર બનાવવા લાગ્યા. લોકોને ત્યાનું વાતાવરણ ખૂબ જ પસંદ આવવા લાગ્યું, કેમકે તે જગ્યા ઠંડી હતી. ત્યાં જે પ્રકારે બ્રિટિશ પ્રણાલીમાં ઘરોનું નિર્માણ થયું હતું, તેનાંથી લાગતું હતું કે તે જાણે ઇંગ્લેન્ડ જ છે . ડેક્કન હેરાલ્ડ અનુસાર, કેજીએફને નાનું ઇંગ્લેન્ડ કહેવામાં આવતું હતું.
ભારતનાં હાથોમાં આવીને જુઓ કેવી કેજીએફની સ્થિતિ
દેશને જ્યારે આઝાદી મળી, તો ભારત સરકારે આ જગ્યાને પોતાના કાબૂમાં લીધી હતી. તેના લગભગ એક દશકા બાદ 1956માં આ ખીણનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 1970માં ભારત સરકારની ભારત ગોલ્ડ માઈન્સ કંપનીએ ત્યાં કામ કરવાનું શરુ કર્યું હતું. 1979માં તો એ સ્થિતિ હતી કે કંપની પાસે મજૂરોને આપવા માટે પૈસા ન હતા. આવી જ પરિસ્થિતિ રહેતા 2001માં ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ કંપનીએ ત્યાં સોનાનું ખોદકામ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તે જગ્યા એક ખંડેર બની ગઈ. માનવામાં આવે છે કે કેજીએફમાં આજે પણ સોનું છે.