બુધવારનો દિવસ અનેક રાશિ માટેના જાતકો માટે સામાન્ય રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી લાભ થાય છે. આ સાથે આજે ધાણાનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે આજના દિવસે દાન લાયક વ્યક્તિને મગનું દાન કરવાથી લાભ થાય છે. બુધવાર હોઈ ભોજનમાં પણ મગનો ઉપયોગ શુભ ગણાય છે.
મેષ :- (અ.લ.ઇ)
નવા કામકાજ અને પ્રવાસ માટે શુભ દિવસ. વેપારના કામકાજમા લાભ થશે. ઘરમા શુભ પ્રસંગનું આયોજન થાય. શેર સટ્ટાનાં કામકાજમાં લાભ જણાય.
વૃષભ :- (બ.વ.ઉ)
આજનો દિવસ સામાન્ય જણાશે. આળસ અને બેચેની રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ-વિવાદમાં ના ઉતવું.